Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Gujarat»નિધનથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો ૪૨ વર્ષીય વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું
    Gujarat

    નિધનથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો ૪૨ વર્ષીય વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 20, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    શહેરના અઠવા વિસ્તારમાં ૪૨ વર્ષીય વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે. ટેલરિંગનું કામ કરતા જયેશભાઈ પટેલે આજે સવારે બાથરૂમમાં નાહવા જતા અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. પરિવારજનો તેમને સારવાર અર્થે નવી સિવિલ લઈ ગયા હતા. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. તેમના નિધનથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.

    સુરત શહેરમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યો છે. ખાસ કરીને નાની ઉંમરમાં જ હાર્ટ એટેક આવતા જ લોકોમાં ભયનો માહોલ જાેવા મળી રહ્યો છે. બાઈક ચલાવતા હોય કે ચાલતા ચાલતા, ઊંઘમાંથી ઊઠવાની સાથે જ હાર્ટ એટેક આવવાથી મોતના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે. ત્યારે વધુ એક કિસ્સો સુરતના અઠવા વિસ્તારમાં બન્યો છે. ઓલપાડી મોહલામાં રહેતા ૪૨ વર્ષ જયેશભાઈ ચીમનભાઈ પટેલ ટેલરિંગ નું કામ કરતા હતા. આજરોજ સવાર બાથરૂમમાં નાહવા ગયા હતા. દરમિયાન અચાનક તેમને હાર્ટ એટેક આવતા પરિવારના લોકો દોડી આવ્યા હતા. તેમને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવતા ફરજ પરના હાજર તબીબોએ મૃતક જાહેર કર્યો હતો.

    મહત્વની વાત એ છે કે રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી હાર્ટ એટેકના પ્રમાણમાં સતત વધારો નોંધાયો છે. અને જેમાં ખાસ કરીને ૧૫ થી ૪૦ વર્ષની ઉંમરના લોકો હાર્ટ એટેકના વધુ શિકાર બની રહ્યા છે. જ્યારે અચાનક હાર્ટ એટેક આવવાથી મોતના નીપજતા લોકોમાં ભયનું વાતાવરણ જાેવા મળી રહ્યું છે. કોરોના પછી હાર્ટએટેકના કિસ્સા સતત વધી રહ્યાં છે. આ હાર્ટએટેકના કિસ્સા જીવલેણ બની રહ્યાં છે. ચિંતાની બાબત એ છે કે, હવે યુવા વયના લોકોને હાર્ટએટેક આવી રહ્યો છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Indian cricketer રવિન્દ્ર જાડેજા BJP માં જોડાયા.

    September 5, 2024

    TRAI: ટેલીમાર્કેટિંગ કંપનીઓ સામે મોટી કાર્યવાહી, 50 બ્લેકલિસ્ટ, 8 લાખ ફરિયાદો મળી

    September 3, 2024

    Gujarat: મોરબીમાં NH 27 વાહનવ્યવહાર માટે ફરીથી ખોલવામાં આવ્યો.

    August 30, 2024
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.