Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»ડુંગળીની નિકાસ પર નિયંત્રણો લાદી દીધા છે ટમેટાની જેમ ડુંગળી રડાવે તે પહેલાં જ સરકાર એક્શનમાં
    India

    ડુંગળીની નિકાસ પર નિયંત્રણો લાદી દીધા છે ટમેટાની જેમ ડુંગળી રડાવે તે પહેલાં જ સરકાર એક્શનમાં

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 20, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    કેન્દ્ર સરકારે દેશમાંથી ડુંગળીની નિકાસ પર નિયંત્રણો લાદી દીધા છે. સ્થાનિક બજારમાં ડુંગળીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા અને તેની કિંમતોને નિયંત્રણમાં રાખવા માટે સરકારે આ પગલું ભર્યું છે. આ અંતર્ગત ડુંગળીની નિકાસ પર ૪૦ ટકાની ભારે ડ્યુટી લાદવામાં આવી છે, જે આ વર્ષના અંત સુધી લાગુ રહેશે. કેન્દ્ર સરકારે શનિવારે સાંજે ડુંગળીની નિકાસ પર લાદવામાં આવેલી ડ્યૂટી અંગે નોટિફિકેશન બહાર પાડ્યું હતું. નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે સરકારે ૩૧ ડિસેમ્બર ૨૦૨૩ સુધી ડુંગળીની નિકાસ પર ૪૦ ટકા ડ્યૂટી લગાવવાનો ર્નિણય કર્યો છે.

    સરકારે ડુંગળીની નિકાસ પર આ પ્રતિબંધ એવા સમયે લગાવ્યો છે જ્યારે ટામેટાં પછી ડુંગળીના ભાવ આસમાને પહોંચવાની આશંકા હતી. એવું કહેવામાં આવી રહ્યું હતું કે સપ્ટેમ્બરથી ડુંગળીના ભાવ વધવા લાગશે અને સામાન્ય લોકોને મોંઘવારીનો નવો આંચકો આપશે. આ આશંકાને જાેતા પહેલાથી જ અંદાજ લગાવવામાં આવ્યો હતો કે સરકાર ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લગાવવા માટે પગલાં લઈ શકે છે. ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ સ્થાનિક બજારમાં તેની ઉપલબ્ધતા જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવામાં મદદ કરશે. સ્થાનિક બજારમાં પર્યાપ્ત ઉપલબ્ધતા સાથે, ડુંગળીના ભાવ નિયંત્રણ બહાર જવાનું જાેખમ ઓછું રહેશે. તો બીજી તરફ, ઘરેલુ પુરવઠો સુનિશ્ચિત કરવા માટે, સરકાર ડુંગળીને બફર સ્ટોકમાંથી પણ મુક્ત કરવા જઈ રહી છે.

    ટામેટાં, શાકભાજી અને મસાલાના ભાવમાં લાગેલી આગને કારણે મે મહિના બાદ ફરી મોંઘવારી વધવા લાગી છે. જુલાઈમાં છૂટક ફુગાવાનો દર ઘણા મહિનાઓ પછી ૭ ટકાને પાર કરી ગયો હતો. તાજેતરમાં, રિઝર્વ બેંકે તેના બુલેટિનમાં આશંકા વ્યક્ત કરી છે કે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં છૂટક ફુગાવો ૬ ટકાથી વધુ રહી શકે છે, જે તેની ટોચની મર્યાદા છે. ફુગાવાના આ બદલાયેલા વલણ માટે ટામેટાને ખાસ કરીને જવાબદાર ગણવામાં આવે છે, જેની છૂટક કિંમત દેશના મોટાભાગના શહેરોમાં રૂ. ૨૦૦-૨૫૦ પ્રતિ કિલોએ પહોંચી ગઈ હતી. તાજેતરના સપ્તાહમાં ટામેટાના ભાવમાં થોડો ઘટાડો થયો છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Taiwan China tension news:તાઇવાન સંરક્ષણ મંત્રાલય અપડેટ

    July 2, 2025

    Waterfalls near Varanasi:વારાણસીથી 100 કિમીની અંદરના પર્યટન સ્થળ

    July 1, 2025

    Sawan Mehndi Design:સાવન માટે 6 સુંદર અને સરળ અરબી મહેંદી ડિઝાઈન્સ

    July 1, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.