Yoga Tips
તમારે અવારનવાર ઉપવાસ કરવાના થતા હોય તો તમારા યોગ ક્યારેક છુટી જતા હોય છે. આજે અમે તમને આ સમસ્યાનો હલ શોધી આપીશુ. જો તમે આ સમય દરમિયાન ઉપવાસ કરી રહ્યા છો, તો પૂરતું પાણી પીઓ. શરીરને હાઇડ્રેટેડ રાખો. આ ઉપરાંત ખોરાક ન ખાવાથી શરીરની ઉર્જા ઓછી થવા લાગે છે.
તમે ફળો ખાઈને તમારી જાતને તાજગી આપવાનો પ્રયાસ કરી શકો છો, પરંતુ જો તમે શરીરની ઉર્જા જાળવી રાખવા માંગતા હો તો તમે યોગનો સહારો લઈ શકો છો. પહેલા તો આખા દિવસ દરમિયાન શરીરને કોઈ લોડ પડે તેવું કામ ન કરવું જોઈએ. પોતાની હેલ્થનું ધ્યાન રાખવું.
શરીરમાં ઉર્જાના પરિભ્રમણ માટે પ્રાણાયામ શ્રેષ્ઠ કસરત માનવામાં આવે છે. વિવિધ પ્રકારના પ્રાણાયામને તમારી દિનચર્યાનો ભાગ બનાવીને તમે દિવસભર તમારી જાતને ઉર્જાવાન રાખી શકો છો. પ્રાણાયામ દ્વારા મગજમાં ઓક્સિજનયુક્ત રક્તનું પરિભ્રમણ વધારી શકાય છે જે ઘણી ગંભીર સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરી શકે છે.
પશ્ચિમોતાનાસન: શરીરને એનર્જેટિક રાખવા માટે અને કમરની ચરબી ઓગાળવા માટે તમે પશ્ચિમોતાનાસન પણ કરી શકો છો. તેમાં વધારે ઉર્જાની જરુર નહી પડે.
તાડાસન: શરીને સ્ટ્રેચપ કરવા માટે અને સ્ફુર્તિ લાવવા માટે તાડાસન પણ કરી શકો છો. આમાં પણ વધારે એનર્જીની જરુર પડતી નથી. તમે આસાનીથી આ આસન કરી શકશો.
પર્વતાસન: શરીરના બધા બોડી પાર્ટસને એનર્જી આપવા માટે તમે પર્વતાસન પણ કરી શકો છો. તેમાં દરેક અંગને આરામ મળશે અને એક્ટિવ પણ રહેશે.