Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Gujarat»ટામેટા બાદ હવે ડુંગળીના ભાવમાં થયો વધારો સપ્તાહમાં રિટેઇલ બજારમાં ડુંગળીના ભાવ ૧૦થી ૧૫ રૂપિયા જેટલા ઊંચકાયા
    Gujarat

    ટામેટા બાદ હવે ડુંગળીના ભાવમાં થયો વધારો સપ્તાહમાં રિટેઇલ બજારમાં ડુંગળીના ભાવ ૧૦થી ૧૫ રૂપિયા જેટલા ઊંચકાયા

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 18, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    પહેલા ૨૦૦થી ૨૫૦ રૂપિયે કિલો મળતા લાલ ટામેટાએ લોકોને રડાવ્યા. જે ટામેટાના ભાવ હાલ ૮૦થી ૧૦૦ પહોંચતા લોકોને રાહત મળી છે, પરંતુ હવે તીખી ડુંગળીએ લોકોને રડાવાનું શરૂ કરી દીધું છે. કેમ કે ટામેટા અને શાકભાજીના ભાવ ઘટયા પણ ડુંગળીના ભાવમાં હવે વધારો નોંધાયો છે.છેલ્લા બે મહિનાથી શાકભાજીના ભાવ અને તેમાં પણ ટમેટાના ભાવ આસમાને હતા. ટમેટા ૧૫ દિવસ પહેલા બજારમાં કિલોના ૨૦૦થી ૨૫૦ રૂપિયા હતા. ત્યારે હવે ટામેટાની આવક શરૂ થતાં તેના ભાવમાં ઘટાડો થયો છે. હાલ ટામેટા ૧૦૦ રૂપિયાની આસપાસ બજારમાં મળી રહ્યા છે. પરંતુ હવે ડુંગળીએ લોકોને રડાવવાનું શરૂ કર્યું છે.
    આમ તો ડુંગળી તીખી હોય એટલે લોકોને રડાવે, પરંતુ તેના ભાવે હવે લોકોને રડાવવાનું શરૂ કર્યું છે. આ એટલા માટે કહેવું પડી રહ્યું છે, કારણ કે એક જ સપ્તાહમાં રિટેઇલ બજારમાં ડુંગળીના ભાવ ૧૦થી ૧૫ રૂપિયા જેટલા ઊંચકાયા છે.

    જેના કારણે હવે લોકોના બજેટ પર અસર સર્જાઇ છે.ડુંગળી એક સપ્તાહ પહેલા એપીએમસી બજારમાં પ્રતિ કિલો ૨૦ રૂપિયા આસપાસ મળતી હતી. જ્યારે જમાલપુર રિટેઇલ બજારમાં ૩૦ રૂપિયા આસપાસ મળતી હતી. પરંતુ એક જ સપ્તાહમાં આ ભાવમાં વધારો નોંધાયો છે. જેમાં એપીએમસીમાં હાલ આ ડુંગળી ૨૫થી ૩૦ રૂપિયા ભાવે મળી રહી છે. જ્યારે રિટેઇલ બજારમાં ૪૦ રૂપિયે કિલો ડુંગળી મળી રહી છે. તો શહેરમાં વિસ્તાર પ્રમાણે ભાવ વધુ જાેવા મળી રહ્યો છે. કે જ્યાં કેટલાક વિસ્તારમાં ૫૦થી ૬૦ રૂપિયા કિલો ડુંગળી મળી રહી છે.ભાવ વધવાના કારણે જે વાનગીમાં ડુંગળીનો ઉપયોગ થતો હોય છે.

    તેમાં હવે ઘટાડો જાેવા મળી રહ્યો છે. વેપારીઓની વાત માનીએ તો બજારમાં ડુંગળી નાશિક, પુને, કાઠીયાવાડ અને સૌરાષ્ટ્રમાંથી આવતી હોય છે. જેમાં હાલ સૌરાષ્ટ્ર અને કાઠીયાવાડથી ડુંગળી આવવાનું બંધ છે અને માત્ર નાશિક અને પુણેથી ડુંગળી આવી રહી છે. જાેકે ત્યાં વરસાદની અસરના કારણે ડુંગળીને નુકસાન થતાં અને આવક ઓછી થતા ભાવમાં વધારો નોંધાયો છે અને હજુ પણ આ ભાવ વધવાની શક્યતા વેપારીઓ સેવી રહ્યા છે.

    ટામેટાના ભાવમાં ૫૦ ટકા જ્યારે અન્ય શાકભાજીના ભાવમાં ૩૦ થી ૪૦ ટકા ઘટાડો નોંધાયો છે. જાેકે તેની સામે ડુંગળીના ભાવમાં ૨૦ ટકા ઉપર વધારો નોંધાયો છે. તો હજુ પણ ડુંગળીના ભાવ ૪૦ ટકા જેટલા વધવાની શકયતા છે. ત્યારે લોકો ઇચ્છી રહ્યા છે કે ડુંગળીના ભાવમાં વધારો ન આવે. કેમ કે ભાજીપાઉ હોય કે સલાડ હોય કે અન્ય શાક હોય કે જેમાં ડુંગળીની ગ્રેવી કે ડુંગળીનો ઉપયોગ થતો હોય છે. તેથી ભાવના કારણે તેનો સ્વાદ ફિકો પડી શકે છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    July 1 rule changes India:બિહાર ચૂંટણી અપડેટ

    July 1, 2025

    Weekly photo news highlights:ઈઝરાયલ ગાઝા હુમલા ફોટા

    July 1, 2025

    Indian cricketer રવિન્દ્ર જાડેજા BJP માં જોડાયા.

    September 5, 2024
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.