Diabetes
ખરાબ ખાવાની આદતો અને અસ્વસ્થ જીવનશૈલીને કારણે મોટાભાગના લોકો ડાયાબિટીસ જેવા ખતરનાક રોગોથી પીડાઈ રહ્યા છે. ડાયાબિટીસ એક એવો રોગ છે જેનો ઈલાજ શક્ય નથી, પરંતુ દવા અને આહારની મદદથી તેને નિયંત્રિત કરી શકાય છે.
ડાયાબિટીસના દર્દી માટે શરીરનું સુગરનું લેવલ નિયંત્રણમાં રાખવું ખૂબ જ જરૂરી છે. સુગર લેવલને નિયંત્રણમાં રાખવા માટે ડાયાબિટીસના દર્દીઓ ડાયટથી લઈને દવા બધું જ કરે છે.દવાઓ લેવા ઉપરાંત જો ડાયાબિટીસના દર્દીઓ તેમના ખાવા-પીવાની આદતોમાં ભૂલો કરે છે, તો તેમનું સુગરનું લેવલ ઝડપથી વધશે. તો થોડા સમય પછી દવા પણ બિનઅસરકારક બની શકે છે.
સવારનો સમય ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સમયે ખાવાની આદતોમાં કોઈપણ ભૂલ તમારા સુગર લેવલને અચાનક વધારી શકે છે. ત્યારે એ જાણી લઈએ કે સવારે શું ન ખાવું જોઈએ.
મોટાભાગના લોકો પોતાના દિવસની શરૂઆત ચા અને બ્રેડથી કરે છે. સફેદ બ્રેડનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ ખૂબ ઊંચો હોય છે. સવારે ખાલી પેટ ચા અને બ્રેડ ખાવાથી તમારું સુગર લેવલ અચાનક વધી શકે છે.
ફળોનો રસ સ્વાસ્થ્યપ્રદ છે, પરંતુ ખાલી પેટે જ્યુસનું સેવન ડાયાબિટીસના દર્દી માટે ખતરનાક બની શકે છે. ખાલી પેટે જ્યુસ પીવાથી અચાનક શુગર લેવલ વધી જાય છે.
સવારે કોર્ન ફ્લેક્સ અને મુસલીનું સેવન ન કરવું જોઈએ. બજારમાં ઉપલબ્ધ આ કોર્ન ફ્લેક્સ અને મુસલીમાં સુગર વધુ હોય છે, જેના કારણે તમારું સુગર લેવલ વધી શકે છે.