Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Entertainment»સુશાંત સિંહની બહેને કરી કોમેન્ટ અંકિતા લોખંડેએ દિવંગત પિતા માટે લખી ભાવુક કરનારી વાત
    Entertainment

    સુશાંત સિંહની બહેને કરી કોમેન્ટ અંકિતા લોખંડેએ દિવંગત પિતા માટે લખી ભાવુક કરનારી વાત

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 17, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ૧૨ ઓગસ્ટના રોજ ‘પવિત્ર રિશ્તા’ ફેમ અંકિતા લોખંડેના પિતા શશીકાંત લોખંડેનું નિધન થયું હતું. તેમની ઉંમર ૬૮ વર્ષ હતી અને તેઓ ઘણા લાંબા સમયથી બીમાર હતા. ૧૫મી ઓગસ્ટે પિતાને યાદ કરતાં એક્ટ્રેસે એક સ્પેશિયલ પોસ્ટ શેર કરી હતી, જેમાં તેમની પરિવાર સાથેની કેટલીક યાદોની તસવીરો હતી. આ સાથે તેણે પિતાના નિધન બાદ પરિવારના સભ્યો અને મિત્રો પાસેથી તેમના વિશે કેટલું બધું જાણવા મળ્યું તેનો ઉલ્લેખ કર્યો હતો. તેણે લખ્યું હતું ‘હેલ્લો ડેડી, હું તમને શબ્દોમાં વર્ણવી શકુ તેમ નથી પરંતુ હું તેમ કહેવા માગુ છું કે, મેં મારા જીવનમાં ક્યારેય પણ આટલી મજબૂત, એનર્જેટિક અને અદ્દભુત વ્યક્તિ જાેઈ નથી’.

    આગળ તેણે લખ્યું હતું ‘જ્યારે તમે અમને છોડીને ગયા ત્યારે તમારા વિશે વધારે જાણવા મળ્યું. દરેક વ્યક્તિ જે તમને મળવા આવતી હતી, તેમણે તમારા વખાણ કર્યા હતા, જેમ કે તમે કેવી રીતે દરરોજ તેમને ગુડ મોર્નિંગના મેસેજ મોકલતા હતા, કેવી રીતે તમને તેમની યાદ આવતી તો વીડિયો કોલ કરતા હતા. તમે દરેક વ્યક્તિ સાથેના દરેક સંબંધોને જીવંત રાખ્યા હતા. અને હવે મને ખબર પડી કે હું કેમ આવી છું. તે તમારા કારણે છે પા’.

    પોસ્ટમાં અંકિતાએ શેર કર્યું હતું કે, કેવી રીતે તે તેના પિતા પાસેથી ઘણું શીખી છે અને કેવી રીતે પોતાની માતા સાથે તેમની દેખરેખ કરવી તેની આદત બની ગઈ હતી. તેણે લખ્યું કે, તેમની સંભાળ રાખવાનું તેને યાદ આવશે કારણ કે તેઓ તેની દુનિયાના કેન્દ્ર હતા. એક્ટ્રેસે ઉમેર્યું હતું કે ‘તમે મને શ્રેષ્ઠ જીવન આપ્યું, શ્રેષ્ઠ યાદો આપી અને સંબંધોની મજબૂત સમજણશક્તિ આપી. તમે મને ગિવ અપ ન કરવાનું શીખવ્યું હતું. રાજાઓની જેમ મને જીવન જીવતા શીખવ્યું અને તમે મને હંમેશા ઉડવા માટે પાંખો આપી પા અને હું તમને વચન આપું છું કે ક્યારેય પણ તમને નિરાશ નહીં થવા દઉ કારણ કે તમે મારા જીવનનો હંમેશા માટે ભાગ રહેશો. હું કૃતજ્ઞ છું કે મને તમારી સાથે રહેવાની અને દરરોજ તમારી સંભાળ રાખવાની તક મળી. તમને અમને ખડેપગે રાખતા હતા તેથી છેલ્લા ત્રણ દિવસથી સવારે ઉઠીને હવે અમે શું કરીશું તેવું હું અને મમ્મી વિચારીએ છીએ. પપ્પાનું જમવાનું, પપ્પા માટે ફ્રૂટ, પપ્પા માટે નાસ્તો પરંતુ હવે અમારી પાસે કરવા માટે કંઈ નથી કારણ કે તમે અમને છોડીને જતા રહ્યા છો’.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Shweta Tiwari : શ્વેતા તિવારીએ પલકને બચાવવા માટે રાજા ચૌધરી સાથે કરી હતી ખાસ ડીલ

    June 30, 2025

    Ram Kapoor વિરુદ્ધ કાર્યવાહી: અપશબ્દ અને યૌન ટિપ્પણીઓનો વિવાદ

    June 24, 2025

    Sohail Khan and Seema Sajdeh Divorce: સોહેલ ખાન અને સીમા સજદેહના છૂટાછેડા કેમ થયા?

    June 24, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.