Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Gujarat»ખેડાના મહેમદાવાદની ચોંકાવનારી ઘટના મહેમદાવાદની પરિણીતાએ યુવાનના ત્રાસથી આપઘાત કર્યો
    Gujarat

    ખેડાના મહેમદાવાદની ચોંકાવનારી ઘટના મહેમદાવાદની પરિણીતાએ યુવાનના ત્રાસથી આપઘાત કર્યો

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 17, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ખેડાના મહેમદાવાદમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મહેદાવાદમાં તોસીફખાન પઠાણ નામના યુવકના ત્રાસથી કંટાળીને એક પરિણીતાએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે. પરિણીતાએ આપાઘાત કરતા પહેલા સુસાઈડ નોટ લખી હતી. જેમાં તેણે તોસીફખાન પઠાણ ફોન અને મેસેજ કરીને બ્લેકમેલ કરતો હોવાનો ઉલ્લેખ કર્યો છે. હાલ પોલીસે તોસીફને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

    આ મામલે માહિતી આપતા મહેમદાવાદ પોલીસ સ્ટેશનના પીઆઇ રણજિતસિંહ ખાંટે જણાવ્યું કે, ગત ૧૪ ઓગસ્ટે પારુલ ઉર્ફે કાજલ પ્રજાપતિ નામની મહિલાએ આપાઘાત કર્યો હતો. મૃતક મહિલાના મૃતદેહ પાસેથી પોલીસને તપાસ દરમિયાન સુસાઈડ નોટ મળી આવી હતી. સુસાઈડ નોટમાં મૃતક મહિલાએ એવું લખેલું છે કે ‘હું તોસીફખાન પઠાણના કારણે આત્મહત્યા કરું છું. તોસીફખાન પઠાણે મારી જિંદગી બરબાર કરી નાખી છે.’મહિલાએ સુસાઈડ નોટમાં એવું પણ લખ્યું છે કે, ‘તોસીફખાન મને બ્લેકમેલ કરીને રૂપિયા માંગતો હતો. મેં રૂપિયા આપવાનો ઈનકાર કર્યો તો તેણે મને અને મારા પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હું તોસીફખાનના ત્રાસથી કંટાળીને આપઘાત કરું છું. તોસીફ પઠાણનો કેસ બંધ કરશો નહીં, તેને સજા અપાવજાે.’

    પીઆઇ રણજિતસિંહ ખાંટે જણાવ્યું કે, ત્રણ મહિના અગાઉ મૃતક મહિલાએ પોલીસ સ્ટેશનમાં તોસીફખાન સામે છેડતીની ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે તોસીફ પઠાણની અટકાયત કરી હતી અને તે બાદ પણ તોસીફ પઠાણે મહિલાને ત્રાસ આપવાનું ચાલું રાખ્યું હતું. જેથી કંટાળીને આખરે મહિલાએ અંતિમ પગલું ભર્યું હાલ મહેમદાવાદ પોલીસે તોસીફ પઠાણની ધરપકડ કરી છે. તો મહિલાની સુસાઈડ નોટને હ્લજીન્માં તપાસ માટે મોકલવામાં આવી છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Indian cricketer રવિન્દ્ર જાડેજા BJP માં જોડાયા.

    September 5, 2024

    TRAI: ટેલીમાર્કેટિંગ કંપનીઓ સામે મોટી કાર્યવાહી, 50 બ્લેકલિસ્ટ, 8 લાખ ફરિયાદો મળી

    September 3, 2024

    Gujarat: મોરબીમાં NH 27 વાહનવ્યવહાર માટે ફરીથી ખોલવામાં આવ્યો.

    August 30, 2024
    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.