Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Gujarat»લોકસભાની ચૂંટણી માટે કમર કસતી પ્રદેશ કોંગ્રેસ કોંગ્રેસ ૨૦મી ઓગસ્ટથી રાજ્યમાં પદયાત્રા યોજશે
    Gujarat

    લોકસભાની ચૂંટણી માટે કમર કસતી પ્રદેશ કોંગ્રેસ કોંગ્રેસ ૨૦મી ઓગસ્ટથી રાજ્યમાં પદયાત્રા યોજશે

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 16, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ગુજરાત કોંગ્રેસમાં હવે નવા પ્રાણ ફૂંકવા માટે હાઈકમાન્ડે રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલને પ્રદેશ પ્રમુખનો તાજ પહેરાવ્યો છે. ત્યારે આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસની બેઠક મળી હતી. જેમાં આગામી લોકસભાની ચૂંટણી માટેની તૈયારીઓ અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી. આગામી સમયમાં કોંગ્રેસના સંગઠનમાં પણ ફેરફાર થવાની શક્યતાઓ બેઠકમાં વ્યક્ત કરવામાં આવી હતી. તે ઉપરાંત નવા સંગઠનને લઈને પણ તૈયારીઓ તેજ કરી દેવાઈ છે. રાહુલ ગાંધીની ભારત જાેડો યાત્રાના બીજા તબક્કાની પણ આ બેઠકમાં ચર્ચાઓ કરવામાં આવી છે

    પ્રાપ્ત વિગતો પ્રમાણે આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિતના કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ બેઠકમાં આગામી સમયમાં સંગઠનને મજબૂત કરવા માટે કેટલાક ર્નિણયો લેવામાં આવ્યાં છે. જે કાર્યકરો નિષ્ક્રિય ભૂમિકા ભજવી રહ્યાં છે તેમને પક્ષ બહારનો રસ્તો દેખાડી દેવામાં આવશે તેવુ કોંગ્રેસના સુત્રો જણાવી રહ્યાં છે. તે ઉપરાંત નવું સંગઠન રચાય તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે. હવે આગામી સમયમાં પક્ષના જે હોદ્દેદારો છે તેમની જવાબદારીનું મૂલ્યાંકન પણ કરવામાં આવશે. તેમને મળેલી જવાબદારી અને જવાબદેહી પણ નક્કી કરવામાં આવશે. જેથી હવે આગામી સમયમાં કોંગ્રેસના સંગઠનમાં મોટા ફેરફાર થાય તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે.

    તાજેતરમાં જ એવી ચર્ચાઓ સામે આવી હતી કે, વાયનાડના સાંસદ અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની ભારત જાેડો યાત્રાનો બીજાે ભાગ ગુજરાતથી શરૂ કરવામાં આવશે. આ બાબતેની ચર્ચાઓ પણ બેઠકમાં થઈ હોવાનું જાણવા મળ્યું છે.
    આગામી સમયમાં કોંગ્રેસ મતદારોને રિઝવવા માટે જનસંપર્કની શરૂઆત કરશે. આગામી ૨૦ ઓગસ્ટે રાજીવ ગાંધીની જન્મજયંતિથી કોંગ્રેસ પદયાત્રા શરૂ કરશે. આ પદયાત્રામાં કોંગ્રેસ પ્રમુખ સહિતના નેતાઓ જાેડાશે અને મતદારો સાથે સંપર્ક કરશે. જિલ્લા દીઠ અને લોકસભાની બેઠક પ્રમાણે જનસંપર્ક કરવામાં આવશે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Rain casualty Faridabad:ફરીદાબાદ અકસ્માત, કાનપુરના 6 મજૂરમાં 2ના મોત, 4 ઘાયલ

    July 10, 2025

    Gujarat Bridge Collapse: મહિસાગર નદી પર પુલ તૂટી પડતાં 13નાં મોત, સરકારની તાત્કાલિક કાર્યવાહી

    July 9, 2025

    Panchayat corruption: દેવરિયામાં મૃત વ્યક્તિને મજૂરી મળતી રહી!

    July 9, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.