Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»ચંદ્રયાન-૩નો ચંદ્રની ભ્રમણકક્ષાનો પાંચમો તબક્કો પૂર્ણ ચંદ્રયાન-૩ ચંદ્રની સપાટીની વધુ નજીક પહોંચી ગયું
    India

    ચંદ્રયાન-૩નો ચંદ્રની ભ્રમણકક્ષાનો પાંચમો તબક્કો પૂર્ણ ચંદ્રયાન-૩ ચંદ્રની સપાટીની વધુ નજીક પહોંચી ગયું

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 16, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ેશના મહત્વાકાંક્ષી ચંદ્રયાન-૩એ ગઈકાલે ચંદ્રની ભ્રમણકક્ષાનો પાંચમો અને અંતિમ તબક્કો સફળતાપૂર્વક પૂર્ણ કર્યો હતો. હવે ચંદ્રયાન-૩ ચંદ્રની સપાટીની વધુ નજીક પહોંચી ગયું છે. ઈસરોએ ચંદ્રયાન-૩ મિશનને લઈને ટ્‌વીટ કર્યું હતું. આજે ચંદ્રયાનની યાત્રામાં મહત્વપૂર્ણ પરંતુ નિર્ણાયક ફેરફારો થશે.
    ઈસરોએ આજે ચોથી વખત ચંદ્રયાન-૩ ની ભ્રમણકક્ષા બદલી હતી. ઈસરોએ ચંદ્રયાન-૩ મિશનને લઈને ટ્‌વીટ કર્યું કે આજે સફળતાપૂર્વક એન્જિન ચાલુ કર્યા બાદ તેણે ચંદ્ર તરફ જતી ભ્રમણકક્ષા પૂર્ણ કરી લીધી છે. હવે તેનું અંતર ૧૫૩ કિમી ટ ૧૬૩ કિમી રહી ગયું છે. ઈસરોના જણાવ્યા અનુસાર આજે ચંદ્રયાનની યાત્રામાં મહત્વપૂર્ણ પરંતુ નિર્ણાયક ફેરફારો થવાના છે જેમાં ચંદ્રયાન લેન્ડરને અલગ કરવાની પ્રક્રિયા શરૂ કરશે અને આવતીકાલે વધુ એક રાઉન્ડ પૂર્ણ કર્યા બાદ ચંદ્રયાન-૩ના પ્રોપલ્શન મોડ્યુલ અને લેન્ડર મોડ્યુલ બે ભાગમાં અલગ થઈ જશે અને તેમની અલગ મુસાફરી શરૂ કરશે. જાે બધું બરાબર રહ્યું તો લેન્ડર તેના સમય મુજબ ૨૩ ઓગસ્ટે ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરશે.

    આ પહેલા ૧૪ ઓગસ્ટના રોજ ઈસરોએ જણાવ્યું હતું કે ચંદ્રયાન-૩ના થ્રસ્ટર્સ સક્રિય થયા હતા, જેની મદદથી ચંદ્રયાન-૩એ સફળતાપૂર્વક તેની ભ્રમણકક્ષા બદલી હતી.
    આ અગાઉ ૫ ઓગસ્ટના રોજ ચંદ્રયાન-૩ એ પ્રથમ વખત ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ કર્યો હતો અને ત્યારથી તે ત્રણ વખત તેની ભ્રમણકક્ષા બદલીને ચંદ્રની નજીક આવ્યું છે. ચંદ્રયાન-૩ ચંદ્રથી ૧૫૦ કિમી દૂર ભ્રમણકક્ષામાં ૧૯૦૦ કિમી પ્રતિ સેકન્ડની ઝડપે વહન કરી રહ્યું છે. ચંદ્રયાનનું ભ્રમણકક્ષા પરિભ્રમણ તબક્કો ચાલી રહ્યો છે અને ચંદ્રયાન-૩ લંબગોળ ભ્રમણકક્ષામાંથી ગોળાકાર ભ્રમણકક્ષામાં આવવાનું શરૂ કર્યું છે.
    ચંદ્રયાન-૩ મિશનમાં લેન્ડર, રોવર અને પ્રોપલ્શન મોડ્યુલનો સમાવેશ થાય છે. લેન્ડર અને રોવર ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરશે અને ૧૪ દિવસ સુધી પ્રયોગો કરશે. બીજી તરફ પ્રોપલ્શન મોડ્યુલ ચંદ્રની ભ્રમણકક્ષામાં રહીને ચંદ્રની સપાટી પરથી આવતા રેડિયેશનનો અભ્યાસ કરશે. આ મિશન દ્વારા ઈસરો ચંદ્રની સપાટી પર પાણી શોધી કાઢશે અને ચંદ્રની સપાટી પર ભૂકંપ કેવી રીતે આવે છે તે પણ જાણી શકશે.

    જાે આ મિશન સફળતાપૂર્વક પૂર્ણ થશે તો ભારત આ સિદ્ધિ કરનાર વિશ્વનો ચોથો દેશ બની જશે. આ ઉપરાંત ભારત વિશ્વનો પહેલો દેશ હશે જેણે કોઈપણ ભારે રોકેટ વિના આ મિશનને પૂર્ણ કર્યું છે. આ સિવાય ભારતના ખાતામાં વધુ એક સિદ્ધિ આવશે જે મુજબ ભારત સૌથી ઓછા ખર્ચે આ મિશનને પુર્ણ કરનારો દેશ બનશે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    IndiGo: 1,600 ફ્લાઇટ્સ રદ, DGCA નારાજ – ઇન્ડિગો દૈનિક રિપોર્ટ સબમિટ કરશે

    December 11, 2025

    DRDO Jobs: 764 જગ્યાઓ માટે મોટી ભરતી, અરજીઓ ખુલી

    December 11, 2025

    SC: “સમાજમાં ફરવાનો કોઈ અધિકાર નથી” – એસિડ હુમલાખોરો પર સુપ્રીમ કોર્ટનું મોટું નિવેદન

    December 11, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.