Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»ઋષિ સુનકે કહ્યું હિંદુ હોવાથી રામકથા સાંભળવા આવ્યો છું પીએમ ઋષિ સુનક મોરારિ બાપુની રામકથા સાંભળવા પહોંચ્યા
    India

    ઋષિ સુનકે કહ્યું હિંદુ હોવાથી રામકથા સાંભળવા આવ્યો છું પીએમ ઋષિ સુનક મોરારિ બાપુની રામકથા સાંભળવા પહોંચ્યા

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 16, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    શું તમે ક્યારેય વિચાર્યું હતું કે કોઈ વિદેશી વડાપ્રધાન કોઈ હિંદુ કથાવાચકના મુખેથી કહેવાતી રામકથા સાંભળવા પહોંચશે? પરંતુ આવું થયું છે. બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક રામકથા સાંભળવા પહોંચ્યા હતા. આ રામકથા બ્રિટનની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં યોજાઈ હતી અને કથાકાર હતા મોરારિ બાપુ. કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં મોરારિ બાપુની રામકથા બેઠી છે. જેમાં મંગળવારે એકાએક બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક પહોંચી ગયા હતા. ઋષિ સુનક કથામાં પહોંચ્યા પછી સામાન્ય વ્યક્તિની જેમ જ મોરારિ બાપુની સામે ખુરશીમાં બેઠા હતા. તેમણે કહ્યું કે, તેઓ વડાપ્રધાન તરીકે નહીં પરંતુ હિંદુ હોવાના લીધે કથા સાંભળવા આવ્યા છે. ઋષિ સુનકે વ્યાસપીઠ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. પોતાના સંબોધનની શરૂઆત ઋષિ સુનકે જય સીયારામના નાદ સાથે કરી હતી. તેમણે કહ્યું, ‘વડાપ્રધાન તરીકે કામ કરવું ઘણું મુશ્કેલ હોય છે. કેટલાય અઘરા ર્નિણયો લેવા પડે છે, મુશ્કેલ કામ પાર પાડવા પડે છે. એટલે જ મને આશીર્વાદ આપો. મોરારિ બાપુની કથામાં હાજરી આપવી મારા માટે સન્માન અને ખુશીની વાત છે. મોરારિ બાપુના મંચ પર પાછળની બાજુએ હનુમાજીનું ગોલ્ડન રંગનું ચિત્ર છે એ જ પ્રકારે ૧૧ ડાઉનિંગ સ્ટ્રીટમાં મારી ડેસ્ક ઉપર હું ભગવાન ગણેશજીની મૂર્તિ રાખું છું.

    મને આ વાતનો ગર્વ છે. આપણા ગ્રંથોમાં એક નેતાએ કરવાના કાર્યોનો જે ઉલ્લેખ છે તેને કરવાનો હું પ્રયાસ કરી રહ્યો છું. તમારી ઉર્જા મને પ્રેરણા આપે છે. ગત અઠવાડિયે જ તમે ભારતમાં ૧૨ જ્યોર્તિલિંગ ફરી-ફરીને રામકથા કરી અને તેના માટે ૧૨ હજાર કિલોમીટરનું ભ્રમણ કર્યું. અને હું માનતો હતો કે હું વધારે ટ્રાવેલિંગ કરું છું”, તેમ બ્રિટિશ પીએમે જણાવ્યું. બ્રિટનના પીએમ ઋષિ સુનકે કહ્યું કે, તેમને બ્રિટિશ અને હિંદુ હોવા પર ગર્વ છે. તેમણે બાળપણમાં પોતાના પરિવાર સાથે મંદિર જવાની વાતને યાદ કરી. તેમણે કહ્યું કે, સૌથી મોટું મૂલ્ય કર્તવ્ય અથવા સેવા છે. જણાવી દઈએ કે, ઋષિ સુનકે મંચ ઉપર આરતીમાં ભાગ લીધો હતો. આ સિવાય મોરારિ બાપુએ પોતાની કામળી અને શિવલિંગ પણ ઋષિ સુનકને ભેટમાં આપ્યું હતું. મોરારિ બાપુની ૯ દિવસની રામકથાનો કેમ્બ્રિજ યુનિવર્સિટી ખાતે પ્રારંભ ગત શનિવારે થયો હતો અને ૨૦ ઓગસ્ટે પૂર્ણાહુતિ થશે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Jammu Police દ્વારા હેલ્પલાઈન નંબર જાહેર, લોકોને સતર્ક રહેવાની અપીલ

    May 10, 2025

    Indian Army Press Conference: કર્નલ સોફિયાએ MEA પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું- PAK દ્વારા કરવામાં આવેલા બધા હુમલા નિષ્ફળ ગયા

    May 10, 2025

    PIB fact check: પાકિસ્તાને ભારતીય પાયલટને પકડ્યો? ફાઈટર જેટ ક્રેશ થયો? PAКના 3 દાવાઓ, PIB ફેક્ટ ચેક દ્વારા પોલ ખોલી

    May 10, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.