Banana in Winter
જો તમે દરરોજ તમારા આહારમાં ફળોનો સમાવેશ કરો છો, તો તમને એ પણ ખબર હશે કે ફળો ખાવાનો યોગ્ય સમય કયો છે. બપોરે ફળો ખાવા શ્રેષ્ઠ છે. ફળો ખાધા પહેલા કે પછી તરત જ ખોરાક ન ખાઈ શકાય,નહિતર ફળો પણ નુકસાન પહોંચાડી શકે છે.
ઘણા લોકો શરદી અને ખાંસી થાય ત્યારે કેળા ખાવાનું ટાળે છે. તેમને લાગે છે કે કેળા ખાવાથી શરીરમાં કફ વધે છે, જેના કારણે શરદી કે ખાંસી મટવામાં ઘણો સમય લાગે છે. તમને જણાવી દઈએ કે કેળામાં ભરપૂર માત્રામાં પોટેશિયમ હોય છે.કેળા શરીરમાં પાણીની ઉણપને પૂર્ણ કરે છે અને તમને હાઇડ્રેટેડ રાખવામાં મદદ કરી શકે છે. કેળામાં હાજર 100 કેલરી શરીરને ઉર્જા પૂરી પાડે છે.
સ્વાસ્થ્ય નિષ્ણાતો કહે છે કે કેળામાં રહેલા પોષક તત્વો શરીરને સ્વસ્થ રાખે છે. તેથી કેળા ખાવા દરેક ઋતુમાં ફાયદાકારક છે પરંતુ જો તમને શ્વાસ લેવામાં કોઈ તકલીફ હોય, તો તેને ઓછી માત્રામાં જ ખાઓ.
શિયાળાની ઋતુમાં હાડકા સંબંધિત સમસ્યાઓ વધી જાય છે. દરરોજ જરૂરી માત્રામાં કેલ્શિયમનું સેવન કરવાથી હાડકાની ઘનતા જાળવી રાખવામાં મદદ મળે છે અને તેમને મજબૂત બનાવવામાં મદદ મળે છે. કેળામાં પોટેશિયમ, કેલ્શિયમ, મેંગેનીઝ, મેગ્નેશિયમ, આયર્ન, ફોલેટ, નિયાસિન, રિબોફ્લેવિન અને બી6 જેવા તમામ જરૂરી વિટામિન અને ખનિજો જોવા મળે છે. આ બધા પોષક તત્વો તમને સ્વસ્થ રાખે છે
કેળામાં દ્રાવ્ય અને અદ્રાવ્ય બંને પ્રકારના ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે. દ્રાવ્ય ફાઇબર પાચનક્રિયાને ધીમી કરે છે.આનાથી પેટ લાંબા સમય સુધી ભરેલું લાગે છે. આ જ કારણ છે કે મોટાભાગના લોકો નાસ્તામાં કેળા ખાવાનું પસંદ કરે છે જેથી તેમને ઝડપથી ભૂખ ન લાગે. આયુર્વેદ અનુસાર રાત્રે કેળું ખાવાનું ટાળવું જોઈએ કારણ કે તે ખાંસી અને શરદીમાં વધારો કરી શકે છે.
કેળા ખાવાથી હૃદય રોગ અને હાઈ બ્લડ પ્રેશરથી બચી શકાય છે.નિષ્ણાતો ના કહ્યા પ્રમાણે ફાઇબરયુક્ત ખોરાક હૃદય રોગ અને કોરોનરી ધમની રોગને રોકવામાં મદદ કરે છે. કેળામાં હાજર પોટેશિયમ હૃદયના ધબકારા અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે, અને મનને પણ સતર્ક રાખે છે.