Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»ઉદ્ધવ ઠાકરેએ પીએમ મોદીની ટીકા કરી હતી પ્રિયંકા ગાંધી મોદી વિરુદ્ધ ચૂંટણી લડશે તો જીત મેળવશે
    India

    ઉદ્ધવ ઠાકરેએ પીએમ મોદીની ટીકા કરી હતી પ્રિયંકા ગાંધી મોદી વિરુદ્ધ ચૂંટણી લડશે તો જીત મેળવશે

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 14, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    શવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)ના નેતા સંજય રાઉતે કહ્યું હતું કે જાે પ્રિયંકા ગાંધી વારાણસીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે આગામી લોકસભા ચૂંટણી લડશે તો તેમની જીત નિશ્ચિત છે. વારાણસીના લોકો પ્રિયંકા ગાંધીને ઇચ્છે છે. તેમણે દાવો કર્યો કે રાયબરેલી, વારાણસી અને અમેઠીની લડાઈ ભાજપ માટે મુશ્કેલ છે. રવિવારે (૧૩ ઓગસ્ટ) તેમણે મુંબઈમાં પત્રકારોના એક પ્રશ્નના જવાબમાં આ દાવો કર્યો હતો. શિવસેના સાંસદે કહ્યું હતું કે, જાે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વારાણસીથી ચૂંટણી લડશે તો વડાપ્રધાન માટે લોકસભા મતવિસ્તારમાં જીતવું મુશ્કેલ બનશે. તેમણે કહ્યું, મને ખાતરી છે કે પ્રિયંકા જીતશે. રાઉતે કહ્યું કે ૨૦૨૪માં આખો દેશ રાહુલ ગાંધીની સાથે ઉભો રહેશે. આ સાથે તેમણે અમેઠી, વારાણસી અને રાયબરેલી સીટો પર પણ ફેરફારનો દાવો કર્યો હતો. હાલમાં પીએમ મોદી વારાણસીથી, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની અમેઠીથી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી રાયબરેલી બેઠક પરથી સાંસદ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા શિવસેનાના સાંસદ સંજય રાઉતે રવિવારે કહ્યું હતું કે જાે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી પીએમ મોદીના મતવિસ્તાર વારાણસીથી આગામી લોકસભાની ચૂંટણી લડશે તો તેના ચોંકાવનારા પરિણામો આવી શકે છે.

    સંજય રાઉતે કહ્યું, “ભારતમાં રાજકીય પરિસ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે અને કોંગ્રેસને લોકોનું સમર્થન મળી રહ્યું છે. જાે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વારાણસી લોકસભા સીટ પરથી ચૂંટણી લડે છે, તો પીએમ મોદી માટે ચૂંટણી જીતવી મુશ્કેલ બની જશે અને પ્રિયંકા તેમના પર વિજય મેળવી શકે છે. રાઉતે ૨૦૧૪ની વિધાનસભા ચૂંટણી પહેલા ગઠબંધન તોડવા માટે શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરેને દોષી ઠેરવવા માટે પીએમ મોદીની પણ ટીકા કરી હતી. તેમણે કહ્યું કે, “પીએમ મોદીએ મહારાષ્ટ્રના સાંસદોની બેઠકમાં કહ્યું હતું કે ઠાકરેએ ૨૦૧૪માં ગઠબંધન તોડી નાખ્યું હતું. તેઓ જૂઠું બોલી રહ્યા છે કારણ કે મહારાષ્ટ્રમાં દરેક વ્યક્તિ જાણે છે કે ભાજપના તત્કાલિન નેતા એકનાથ ખડસેએ ઠાકરેને ફોન કર્યો હતો અને તેમને ગઠબંધન તોડવાના ભાજપના ર્નિણયની જાણકારી આપી હતી. થોડા દિવસો પહેલા પીએમ મોદીએ તેમના એક નિવેદનમાં કહ્યું હતું કે ગઠબંધન ભાજપે નહીં પરંતુ ઉદ્ધવ ઠાકરેએ તોડ્યું છે. પીએમ મોદીના આ નિવેદન પર ઘણા નેતાઓની પ્રતિક્રિયા સામે આવી છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Jammu Police દ્વારા હેલ્પલાઈન નંબર જાહેર, લોકોને સતર્ક રહેવાની અપીલ

    May 10, 2025

    Indian Army Press Conference: કર્નલ સોફિયાએ MEA પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું- PAK દ્વારા કરવામાં આવેલા બધા હુમલા નિષ્ફળ ગયા

    May 10, 2025

    PIB fact check: પાકિસ્તાને ભારતીય પાયલટને પકડ્યો? ફાઈટર જેટ ક્રેશ થયો? PAКના 3 દાવાઓ, PIB ફેક્ટ ચેક દ્વારા પોલ ખોલી

    May 10, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.