Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Gujarat»સર્ક્‌યુલેશન છતાં ભારે વરસાદની આગાહી નથી ગુજરાતમાં મેઘરાજા હમણાં ધડબડાટી નહીં બોલાવે
    Gujarat

    સર્ક્‌યુલેશન છતાં ભારે વરસાદની આગાહી નથી ગુજરાતમાં મેઘરાજા હમણાં ધડબડાટી નહીં બોલાવે

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 12, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગે આગાહી કરવામાં આવી છે. જેમાં વરસાદનું જાેર વધવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી નથી. હવામાન વિભાગે રાજ્યમાં મોટાભાગે હળવો અને કેટલાક ભાગમાં સામાન્ય વરસાદ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી હતી. પાછલા કેટલાક સમયથી વરસાદે વિરામ લીધો છે ત્યારે ખેડૂતો ખેતી કામમાં લાગી ગયા છે. પરંતુ હવે તેમને સવાલ થઈ રહ્યો છે કે પિયત કરવું કે નહીં કારણ કે જાે તેઓ પિયત કરી દે અને વરસાદ આવી જાય તો ખેતીને નુકસાન થઈ શકે છે. અમદાવાદ હવામાન કેન્દ્રના ડિરેક્ટર ડૉ. મનોરમા મોહંતી દ્વારા શુક્રવારે જણાવવામાં આવ્યું હતું કે રાજ્યમાં ભારે વરસાદની સંભાવના નથી. પરંતુ હળવો વરસાદ રહી શકે છે. આ સાથે તેમણે દક્ષિણ ગુજરાત પર બનેલી સિસ્ટમની પણ વાત કરી હતી.

    રાજ્યમાં હાલ વરસાદનું જાેર ઘટ્યું છે તેવામાં તાપમાનમાં મોટો ફેરફાર નથી થયો પરંતુ ભેજના કારણે લોકો બફારો અને ઉકળાટનો અનુભવ દિવસ દરમિયાન કરી રહ્યા છે. ડૉ. મોહંતીએ શુક્રવારે જણાવ્યું હતું કે, આગામી પાંચ દિવસ (૧૫ ઓગસ્ટ સુધી) હળવો વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, આ સાથે એકાદ જગ્યા પર સામાન્ય વરસાદ પણ વરસી શકે છે. હાલ રાજ્યના દક્ષિણ ભાગમાં અપર લેવલ પર સર્ક્‌યુલેશન છે જેની અસર જાેવા મળી રહી છે. જેનું લેવલ ૫૦૦ મીલીબાર છે. આ કારણે ગુજરાતમાં વરસાદ રહી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર માટેની આગાહી કરીને ડૉ. મોહંતીએ જણાવ્યું છે કે, સૌરાષ્ટ્રમાં એકાદ-બે જગ્યાઓ પર વરસાદ થવાની સંભાવનાઓ છે. પાંચ દિવસની આગાહીમાં માછીમારો માટે ચેતવણી માત્ર ૧૩ તારીખ માટે આપવામાં આવી છે. જેમાં પણ ઉત્તર ગુજરાતના દરિયાકાંઠાના માછીમારો માટે ચેતવણી આપવામાં આવી છે. અમદાવાદ-ગાંધીનગર માટે આગાહી કરવામાં આવી છે જેમાં પણ હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

    જાેકે, સતત વરસાદ રહેવાની સંભાવનાઓ નથી પરંતુ ટૂંકા સમય માટે વરસાદ થયા બાદ વાદળો પસાર થઈ જવાથી વરસાદ અટકી જશે. અહીં ચારથી પાંચ હળવા વરસાદના સ્પેલ રહેવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ભેજના કારણે હાલ બફારો અનુભવાઈ રહ્યો છે. જાેકે, બીજી તરફ વાદળછાયું વાતવરણ રહેવાથી તાપમાનમાં પણ ઘટાડો થયો છે. રાજ્યમાં શુક્રવારે સૌથી ઊંચું તાપમાન ભાવનગરમાં ૩૪ ડિગ્રી નોંધાયું હતું, જ્યારે વલ્લભ વિદ્યાનગરમાં ૩૩ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. આ સિવાય અમદાવાદ સહિતના વડોદરા, રાજકોટ, કંડલા (એરપોર્ટ) અને વલસાડમાં ૩૨ ડિગ્રી તાપમાન નોંધાયું છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Rain casualty Faridabad:ફરીદાબાદ અકસ્માત, કાનપુરના 6 મજૂરમાં 2ના મોત, 4 ઘાયલ

    July 10, 2025

    Gujarat Bridge Collapse: મહિસાગર નદી પર પુલ તૂટી પડતાં 13નાં મોત, સરકારની તાત્કાલિક કાર્યવાહી

    July 9, 2025

    Panchayat corruption: દેવરિયામાં મૃત વ્યક્તિને મજૂરી મળતી રહી!

    July 9, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.