Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»RBI એ રેપો રેટ યથાવત રાખ્યો મોંઘવારીમાં પિસાતા સામાન્ય માણસને છેવટે કોઈ રાહત નહીં
    India

    RBI એ રેપો રેટ યથાવત રાખ્યો મોંઘવારીમાં પિસાતા સામાન્ય માણસને છેવટે કોઈ રાહત નહીં

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 11, 2023No Comments3 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ભારતીય રિઝર્વ બેંકે આજે તેની નાણાકીય નીતિ જાહેર કરી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે જાહેરાત કરી છે કે રેપો રેટ અને રિવર્સ રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવી રહ્યો નથી. રેપો રેટ ૬.૫૦ ટકા પર યથાવત રાખવામાં આવ્યો છે. લોન લેનારાઓ માટે આ સારા સમાચાર છે કારણ કે હવે બેંકોને લોનના વ્યાજ દરમાં વધારો કરવાનું કોઈ કારણ મળ્યું નથી. આ સાથે તેમણે કહ્યું કે, આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે આરબીઆઈનું ફોકસ મોંઘવારી ઘટાડવા પર છે અને આપણી અર્થવ્યવસ્થામાં વૃદ્ધિ અકબંધ છે. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે આરબીઆઈનું ફોકસ મોંઘવારી ઘટાડવા પર છે અને આપણી અર્થવ્યવસ્થામાં વૃદ્ધિ અકબંધ છે. જાે કે મોંઘવારી દર આરબીઆઈના લક્ષ્યાંક કરતા વધારે છે, પરંતુ આરબીઆઈ ૪ ટકાના ફુગાવાનો દર હાંસલ કરવા માટે પ્રતિબદ્ધ છે. આરબીઆઈએ Withdrawal Of Accommodation નું વલણ જાળવી રાખ્યું છે.

    આજની જાહેરાત પછી, MSF બેંક રેટ ૬.૭૫% પર યથાવત છે. જ્યારે, SDF દર ૬.૨૫% પર યથાવત છે. શક્તિકાંત દાસે જુલાઈ-ઓગસ્ટ મહિનામાં મોંઘવારી વધવાની આગાહી કરી છે. તેમણે કહ્યું કે શાકભાજીના ભાવ વધવાને કારણે મોંઘવારી વધી શકે છે. જાે કે, શક્તિકાંત દાસે એમ પણ કહ્યું કે તેઓ મોંઘવારી દરને ૪% સુધી લાવવા માટે પ્રતિબદ્ધ છે. જ્યારે હોમ લોન સસ્તી હતી ત્યારે લોકોએ આનો ફાયદો ઉઠાવીને મકાન કે ફ્લેટ ખરીદ્યા હતા. પરંતુ હવે તેમને હપ્તા ભરવામાં મુશ્કેલી પડી રહી છે. એક વર્ષથી ઓછા સમયમાં હોમ લોનનો વ્યાજ દર ૬.૭ ટકાથી વધીને ૯.૨૫ ટકા થઈ ગયો છે. જાે કોઈએ એપ્રિલ ૨૦૧૯માં ૬.૭ ટકાના દરે ૫૦ લાખ રૂપિયાની લોન લીધી હોત તો તેની લોન માર્ચ ૨૦૩૯માં સમાપ્ત થઈ જતી હોત. પરંતુ હવે તેનો દર ૯.૨૫ ટકા પર પહોંચી ગયો છે. તદનુસાર, તેની હોમ લોન નવેમ્બર ૨૦૫૦ માં સમાપ્ત થશે, જેનો અર્થ છે કે તેણે મૂળ કરતાં ૧૩૨ વધુ હપ્તાઓ ચૂકવવા પડશે. એટલે કે તેણે મૂળ કાર્યકાળ કરતાં ૧૧ વર્ષ વધુ હપ્તા ચૂકવવા પડશે. રેપો રેટ તે વ્યાજ દર છે કે જેના પર ભારતમાં રાષ્ટ્રીયકૃત સરકારી અને ખાનગી ક્ષેત્રની બેંકો RBI પાસેથી નાણાં ઉછીના લે છે.

    મોંઘવારી વધ્યા પછી, RBI રેપો રેટમાં વધારો કરે છે, જ્યારે ફુગાવાનો દર ઘટે છે ત્યારે તેને ઘટાડે છે. રિવર્સ રેપો રેટ એ વ્યાજ દર છે જેના પર જાહેર અને ખાનગી ક્ષેત્રની બેંકો તેમની થાપણો આરબીઆઈ પાસે રાખે છે. રેપો રેટનો અર્થ એ છે કે જ્યારે વ્યાપારી બેંકોને ભંડોળની અછતનો સામનો કરવો પડે છે, ત્યારે તેઓ આરબીઆઈ દ્વારા માન્ય સિક્યોરિટીઝ જેમ કે ટ્રેઝરી બિલ્સ (તેમની વૈધાનિક પ્રવાહિતા ગુણોત્તર મર્યાદાથી ઉપર) વેચીને એક દિવસ માટે આરબીઆઈ પાસેથી લોન લે છે. આરબીઆઈ Repo Rate ને ઘટાડવા અથવા વધારવા માટે દર બે મહિનાના અંતરાલ પર દ્વિ-માસિક સમીક્ષા કરે છે. આ સમીક્ષા RBI ની મોનેટરી પોલિસી કમિટીની બેઠકમાં કરવામાં આવી છે. MPC ની બેઠક સામાન્ય રીતે ત્રણ દિવસ માટે યોજવામાં આવે છે, પરંતુ ખાસ સંજાેગોમાં, તે પણ એક દિવસમાં પૂર્ણ થાય છે. તેવી જ રીતે, દ્વિ-માસિક સમીક્ષા સામાન્ય રીતે બે મહિનાના અંતરાલ પર યોજાય છે, પરંતુ ખાસ સંજાેગોમાં તે હોઈ શકે છે. એક મહિનાના અંતરાલ પર કરવામાં આવે છે. જેમ કે, તે મે ૨૦૨૨ માં કરવામાં આવ્યું હતું. અગાઉ, આરબીઆઈએ પોલિસી વ્યાજ દર નક્કી કરવા એપ્રિલ મહિનામાં દ્વિ-માસિક સમીક્ષા કરી હતી. તદનુસાર, જૂનમાં દ્વિ-માસિક સમીક્ષા થવી જાેઈતી હતી, પરંતુ આરબીઆઈએ અર્થતંત્રમાં રોકડના પ્રવાહને રોકવા અને લોનને મોંઘી કરીને ખર્ચ ઘટાડવા માટે મે મહિનામાં જ નીતિગત વ્યાજ દરોની સમીક્ષા કરવા MPC ની બેઠક બોલાવી હતી અને વ્યાજ દરોમાં ૦.૪૦ ટકા અથવા ૪૦ બેસિસ પોઈન્ટ્‌સનો વધારો કરવામાં આવ્યો હતો.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Electricity Futures: બજારમાં નક્કી થશે વીજળીના ભાવ! NSE 11 જુલાઈથી લાવશે ‘ઈલેક્ટ્રિસિટી ફ્યુચર્સ’, જાણો કેવી રીતે થશે ફાયદો

    June 28, 2025

    Shubhanshu Shukla ISS Mission: શુભાંશુ શુક્લાનો અંતરિક્ષ પ્રવાસ: ISS પહોંચવાનું ટાઈમ, મિશનની અવધિ અને સફળતાની ખાસ વાતો

    June 25, 2025

    DGCA Action on Air India: એર ઈન્ડિયા વિમાન દુર્ઘટના બાદ DGCA નું કડક પગલું

    June 21, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.