Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»કાર હરિયાણાના બાદલીથી બહાદુરગઢ તરફ જતી હતી પાર્ક ટ્રકની સાથે કાર ટકરાતાં ગુજરાતના પાંચ યુવકનાં મોત
    India

    કાર હરિયાણાના બાદલીથી બહાદુરગઢ તરફ જતી હતી પાર્ક ટ્રકની સાથે કાર ટકરાતાં ગુજરાતના પાંચ યુવકનાં મોત

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 10, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ગુજરાતની ક્રેટા કાર બાદલીથી બહાદુરગઢ તરફ જઈ રહી હતી. તે પાછળથી રોડની બાજુમાં પાર્ક કરેલી ટ્રક સાથે અથડાઈ હતી.
    કારમાં કુલ પાંચ લોકો મુસાફરી કરી રહ્યા હતા, જેમાંથી તમામ પાંચના મોત થયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર કારમાં સવાર તમામ ગુજરાતના રહેવાસીઓ હતા.પાંચેય મૃતક યુવકો ઉત્તર ગુજરાતના ચૌધરી સમાજના હતા કેએમપીએક્સપ્રેસ વે પર ફરી એકવાર સ્પીડનો કહેર જાેવા મળ્યો છે. અહીં એક ઝડપી ક્રેટા કાર અને ટ્રક વચ્ચે આ ભયાનક માર્ગ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા હતા.આ અકસ્માત બાદલી અને બુપાનિયા ગામ વચ્ચે કેએમપી એક્સપ્રેસમાં થયો હતો. આ અકસ્માત સવારે સાડા સાત વાગ્યે કેએમપીએક્સપ્રેસ વે પર થયો હતો. અહીં ૫ લોકો હાઇ સ્પીડ ક્રેટા વાહનમાં બહાદુરગઢ તરફ આવી રહ્યા હતા. અચાનક વાહને સંતુલન ગુમાવ્યું અને ટ્રક સાથે અથડાઈ હતી. મૃતકો ઉત્તર ગુજરાતના મહેસાણાના રહેવાસી હોવાનુ મીડિયા રિપોર્ટના આધારે જાણવા મળ્યું છે.

    ટક્કર એટલી જાેરદાર હતી કે ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. ત્યાં બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને હોસ્પિટલ લઈ જતી વખતે અન્ય એક વ્યક્તિનું મોત થયું હતું. એક વ્યક્તિની ગંભીર હાલતને જાેતા તેને પીજીઆઈ રોહતક મોકલવામાં આવ્યો હતો જ્યાં તેનું પણ મોત થયું હતું. બાદમાં પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે બહાદુરગઢ જનરલ હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. ડો. ઉરેન્દ્રએ જણાવ્યું કે પાંચેય મૃતકોના મૃતદેહને હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યા છે.

    ડીએસપી અરવિંદ દહિયાએ જણાવ્યું કે અકસ્માતનો ભોગ બનેલું વાહન ગુજરાતનું છે. અકસ્માતમાં મૃત્યુ પામેલા અને ઘાયલ થયેલા તમામ લોકો ગુજરાતના રહેવાસી છે. મૃતકોની ઓળખ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ટૂંક સમયમાં તેમના પરિવારજનોને જાણ કરવામાં આવશે. સંબંધીઓ બહાદુરગઢ પહોંચ્યા બાદ જ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તે જ સમયે, અકસ્માત થતાં જ ટ્રક ચાલક વાહન ઘટનાસ્થળ પર છોડીને નાસી ગયો હતો. તેની ધરપકડ માટે પણ પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    IndiGo: 1,600 ફ્લાઇટ્સ રદ, DGCA નારાજ – ઇન્ડિગો દૈનિક રિપોર્ટ સબમિટ કરશે

    December 11, 2025

    DRDO Jobs: 764 જગ્યાઓ માટે મોટી ભરતી, અરજીઓ ખુલી

    December 11, 2025

    SC: “સમાજમાં ફરવાનો કોઈ અધિકાર નથી” – એસિડ હુમલાખોરો પર સુપ્રીમ કોર્ટનું મોટું નિવેદન

    December 11, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.