Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Gujarat»પરિવાર પાસે નહોતા સારવારના પૈસા ડામ આપતા વધારે બીમાર પડેલી ૧૦ મહિનાની બાળકીનું સારવાર દરમિયાન મોત
    Gujarat

    પરિવાર પાસે નહોતા સારવારના પૈસા ડામ આપતા વધારે બીમાર પડેલી ૧૦ મહિનાની બાળકીનું સારવાર દરમિયાન મોત

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 10, 2023No Comments3 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    વિરમગામમાં થોડા દિવસ પહેલા અંધશ્રદ્ધાનો ભોગ બનેલી ૧૦ મહિનાની બાળકીનું સારવાર દરમિયાન મોત થયું છે. આરોપી મહિલાને જેલભેગી કરવામાં આવી છે. સમગ્ર કેસની વાત કરીએ તો, બાળકીને શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાથી પહેલા ડોક્ટર પાસે જ લઈ જવામાં આવી હતી. પરંતુ ત્યાં સારવારનો ખર્ચ ૫૦ હજાર રૂપિયા થશે તેમ કહેવામાં આવ્યું હતું અને પરિવાર પાસે આટલી રકમ ન હોવાથી કોઈના કહેવા પર તેમણે વડગામમાં આવેલા મંદિરના એક ભુવા પાસે લઈ જવામાં આવી હતી. જ્યાં ભુવાએ તેને પેટના ભાગ પર ગરમ-ગરમ સળીયાના ત્રણ ડામ થતાં તેની સ્થિતિ વધુ વણસી હતી. જ્યાં બાદ તેને તરત જ રાજકોટની સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલી કે. ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં આશરે પાંચ દિવસ તેની સારવાર ચાલી હતી. ૫ ઓગસ્ટથી તે લાઈફ-સપોર્ટ સિસ્ટમ પર હતી અને બુધવારે સવારે તેનું મોત થયું હતું. તેને ગંભીર ન્યૂમોનિયા થયો હતો’,

    તેમ રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. રાધેશ્યામ ત્રિવેદીએ કહ્યું હતું. દવા કામ ન કરી રહી હોવાથી બાળકીના માતા-પિતા તેને સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના વડગામ ગામમાં એક ભુવા પાસે લઈ ગયા હતા. ભુવાએ તેને પેટના ભાગે ડામ આપ્યા હતા. શાકભાજી વેચી પરિવારનો જીવનનિર્વાહ ચલાવતા બાળકીના પિતાએ પોલીસને જણાવ્યું હતું કે, તેણે એટલા માટે ભુવા પાસે જવું પડ્યું હતું કારણ કે ડોક્ટરે સારવારના ૫૦ હજાર રૂપિયા કીધા હતા અને ખર્ચ તેને પરવડી શકે તેમ નહોતો. જાે કે, બાળકીની સ્થિતિ વધુ બગડતા તેને રાજકોટ લઈ જવામાં આવી હતી.

    જ્યાં પોલીસને તેને ડામ આપવામાં આવ્યા હોવાની જાણ કરવામાં આવી હતી. બાળકીના દાદા ચતુર સુરેલાએ ભુવા પુતળી ઠાકોર સામે દસાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યા બાદ કલમ ૩૦૮ હેઠળ તેની ધરપકડ કરવામાં આવી હતી. છોકરીનું મૃત્યુ થયું હોવાથી પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ અમે પુતળી ઠાકોર સામે હત્યાની કલમ ઉમેરવાની વિનંતી કરતો રિપોર્ટ કોર્ટમાં રજૂ કરીશું’, તેમ દસાડાના સબ ઈન્સપેક્ટર વિષ્ણુદાન ખાડિયાએ જણાવ્યું હતું. સુરેલાએ જણાવ્યું હતું કે, બાળકી કોમલને શરદી અને ઉધરસ હોવાથી ૪ ઓગસ્ટના રોજ વિરમગામ શહેરની એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. ડોક્ટરે આપેલી સલાહ પ્રમાણે પરિવારને એક્સ-રે પોસાય તેમ ન હોવાથી તેઓ ઘરે પરત ફર્યા હતા. પરિવારને આ દરમિયાન જાણ થઈ હતી કે, પુતળી ઠાકોર નામના ભુવા ધાર્મિક વિધિઓ કરીને ઘણી બીમારીઓ દૂર કરે છે. માતા-પિતા એ જ દિવસે તેને વડગામ લઈ ગયા હતા, જ્યાં મંદિરના પરિસરમાં પુતળીએ સળીયાના ડામ આપ્યા હતા. કચ્છના પીડિયાટ્રિશન ડોક્ટર રાજેશ મહેશ્વરીએ કહ્યું હતું કે ‘નવજાત બાળકીનું મોત પીડાદાયી છે અને તે એ વાત યાદ અપાવે છે કે ગામડાઓમાં અંધશ્રદ્ધા કાયમ રહેશે. રાજ્યમાં અંધશ્રદ્ધાના કિસ્સાઓ સામે આવતા રહે છે. ભુવાની સાથે-સાથે બાળકી સાથે આવા અમાનવીય વ્યવહાર કરવા દેનારા તેના માતા-પિતા સામે પણ કેસ થવો જાેઈએ.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Rain casualty Faridabad:ફરીદાબાદ અકસ્માત, કાનપુરના 6 મજૂરમાં 2ના મોત, 4 ઘાયલ

    July 10, 2025

    Gujarat Bridge Collapse: મહિસાગર નદી પર પુલ તૂટી પડતાં 13નાં મોત, સરકારની તાત્કાલિક કાર્યવાહી

    July 9, 2025

    Panchayat corruption: દેવરિયામાં મૃત વ્યક્તિને મજૂરી મળતી રહી!

    July 9, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.