Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»કલમ ૩૭૦ સંદર્ભની અરજીઓ પર સુપ્રીમમાં સુનાવણી કલમ ૩૭૦ પર બ્રેક્ઝિટ જેવા જનમતનો કોઈ પ્રશ્ન જ નથી
    India

    કલમ ૩૭૦ સંદર્ભની અરજીઓ પર સુપ્રીમમાં સુનાવણી કલમ ૩૭૦ પર બ્રેક્ઝિટ જેવા જનમતનો કોઈ પ્રશ્ન જ નથી

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 9, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    સુપ્રીમ કોર્ટમાં જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવવાને પડકારતી અરજીઓ પર સુનાવણી ચાલી રહી છે ત્યારે ગઈકાલે કોર્ટે મહત્વની ટિપ્પણી કરતા કહ્યું હતું કે કલમ ૩૭૦ નાબૂદ કરવા પર બ્રેક્ઝિટ જેવા જનમતનો કોઈ પ્રશ્ન જ નથી કારણ કે કલમ ૩૭૦ની નાબૂદી બંધારણીય રીતે માન્ય હતી કે નહી તે અંગે કોર્ટ મૂલ્યાંકન કરી રહી છે. આ સિવાય સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ભારત એક બંધારણીય લોકશાહી છે, જ્યાં તેના લોકોની ઇચ્છા સ્થાપિત સંસ્થાઓ દ્વારા જ જાણી શકાય છે.
    સીજેઆઈની આગેવાની હેઠળની પાંચ જજાેની બંધારણીય બેન્ચે ગઈકાલે વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલની દલીલ બાદ ‘બ્રેક્ઝિટ’ પર આ ટિપ્પણી કરી હતી. સિબ્બલે કહ્યું હતું કે બંધારણની કલમ ૩૭૦ નાબૂદ કરવી એ બ્રેક્ઝિટ જેવું રાજકીય કાર્ય હતું, જ્યાં બ્રિટિશ નાગરિકોના અભિપ્રાય લોકમત દ્વારા પ્રાપ્ત કરવામાં આવ્યા હતા. સિબ્બલે વધુમાં કહ્યું હતું કે જ્યારે ૫ ઓગસ્ટ ૨૦૧૯ ના રોજ કલમ ૩૭૦ નાબૂદ કરવામાં આવી હતી ત્યારે આવો કોઈ અભિપ્રાય કોઈ પાસેથી લેવામાં આવ્યો ન હતો. નેશનલ કોન્ફરન્સના નેતા મોહમ્મદ અકબર લોન વતી સિબ્બલ હાજર થયા હતા જેમણે કલમ ૩૭૦ નાબૂદને પડકાર્યો હતો.

    સિબ્બલે કહ્યું કે સંસદે જમ્મુ અને કાશ્મીરમાં લાગુ બંધારણની જાેગવાઈને એકપક્ષીય રીતે બદલવાના કાયદાને મંજૂરી આપી છે. આ અદાલતે નક્કી કરવાનો સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું ભારત સરકાર આ કરી શકે છે. સિબ્બલે જમ્મુ અને કાશ્મીરની બંધારણ સભાની ગેરહાજરીમાં કલમ ૩૭૦ નાબૂદ કરવાની સંસદની શક્તિ પર વારંવાર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે કલમ ૩૭૦ને રદ કરવાની અથવા તેમાં સુધારો કરવાની ભલામણ કરવાની સત્તા માત્ર બંધારણ સભાને જ છે. બંધારણ સમિતિનો કાર્યકાળ ૧૯૫૭માં સમાપ્ત થયો ત્યારથી, જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જાે આપતી બંધારણીય જાેગવાઈને કાયમી ગણવામાં આવી હતી.
    જસ્ટિસ સંજય કિશન કૌલ, જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ સૂર્યકાંતનો બંધારણીય બેંચમાં સમાવેશ થાય છે. જાેકે જસ્ટિસ ચંદ્રચુડ સિબ્બલની દલીલોથી પ્રભાવિત થયા ન હતા અને કહ્યું હતું કે બંધારણીય લોકશાહીમાં લોકોના અભિપ્રાય જાણવાનું કામ સ્થાપિત સંસ્થાઓ દ્વારા થવું જાેઈએ. તમે બ્રેક્ઝિટ લોકમત જેવી પરિસ્થિતિની કલ્પના કરી ન કરી શકો. જાે કે બેન્ચ સિબ્બલના મત સાથે સંમત થયા હતા કે બ્રેક્ઝિટ એક રાજકીય ર્નિણય હતો, પરંતુ કહ્યું હતું કે આપણા જેવા બંધારણમાં જનમત લેવાનો કોઈ પ્રશ્ન જ નથી. સિબ્બલે અગાઉના જમ્મુ અને કાશ્મીર રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કરવાના કેન્દ્રના ર્નિણય પર સવાલ ઉઠાવતા કહ્યું કે બંધારણ તેની મંજૂરી આપતું નથી.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Taiwan China tension news:તાઇવાન સંરક્ષણ મંત્રાલય અપડેટ

    July 2, 2025

    Waterfalls near Varanasi:વારાણસીથી 100 કિમીની અંદરના પર્યટન સ્થળ

    July 1, 2025

    Sawan Mehndi Design:સાવન માટે 6 સુંદર અને સરળ અરબી મહેંદી ડિઝાઈન્સ

    July 1, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.