Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Gujarat»પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી ત્રણ કારને ટક્કર મારનાર કાર ચાલકની ધરપકડ
    Gujarat

    પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી ત્રણ કારને ટક્કર મારનાર કાર ચાલકની ધરપકડ

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 9, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    અમદાવાદમાં ફરી એકવાર રફતારનો કહેર જાેવા મળ્યો હતો. શહેરના શેલામાં કાર ચાલકે ત્રણ વાહનોને ટક્કર મારી હતી. જેમાં એક મહિલાને ઇજા પહોંચી હતી. હેરિયર ગાડીના ચાલકે ત્રણ કારને અકસ્માત સર્જાયો હતો. આ બનાવને પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.અકસ્માત સર્જનાર ગાડીનો નંબર GJ 38 BE 9113 છે. અકસ્માતની જાણ પોલીસને થતાં તાત્કાલિક પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. જાે કે અકસ્માત બાદ કાર ચાલક ફરાર થઇ થયો હતો પરંતુ બાદમાં કારચાલક આરોપી મનોજ અગ્રવાલની પોલીસે મોડી રાત્રે ધરપકડ કરી હતી. કારને પણ બોપલ પોલીસ સ્ટેશનમાં જપ્ત કરવામાં આવી હતી. અકસ્માતમાં એક ગાડીની એરબેગ પણ ખુલી ગઈ હતી. પ્રત્યદર્શીએ દાવો કર્યો હતો કે ગાડીની સ્પીડ ૧૦૦ કિલોમીટર પ્રતિ કલાકની હશે. શેલા વિસ્તારની આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, એક મહિલાને ઇજા પહોંચી હતી. બે ગાડીઓને ભારે તો એક ગાડીને સામાન્ય નુકસાન પહોંચ્યુ હતું. અકસ્માત સર્જનારની ગાડી સ્કાય સિટી ખાતે આવેલા ફ્લોરિસ નામની સ્કીમમાં મળી આવી હતી.પોલીસે ગણતરીની મિનિટોમાં જ આ કારને શોધી લીધી હતી.

    જ્યારે અકસ્માત સર્જીને નાસી છૂટેલા કારચાલકની પણ ધરપકડ કરી હતી. નોંધનીય છે કે ત્રણ દિવસ અગાઉ પણ શહેરના સી જી રોડ પર લાલ બંગલા પાસે અકસ્માત સર્જાયો હતો. ચાર રસ્તા પર ટર્ન લેતી અલ્ટો કારને ફોર્ચ્યુનર ચાલકે ટક્કર મારી હતી. જેમાં અલ્ટો કાર ચાલક ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાયો હતો. અકસ્માત બાદ નંબર પ્લેટ કાઢીને ગાડીમાં મૂકી દેવામાં આવી હતી. કારચાલક સગીર હોવાનો અકસ્માત સર્જનાર વ્યક્તિના મિત્રનો દાવો કર્યો હતો. ઘટનામાં ઇજાગ્રસ્ત વ્યક્તિનું નામ વિવેક દેસાઈ છે અને તે અલ્ટો કાર ચલાવતો હતો. ઉલ્લેખનીય છે કે શહેરના સૌથી ગોઝારા અકસ્માતમાં સામેલ ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી તથ્ય પટેલે જગુઆર કારથી કચડીને ૯ લોકોનો ભોગ લીધો હતો. જેમાં ત્રણ પોલીસકર્મીઓના પણ મોત નિપજ્યાં હતા. આ કેસમાં એક તપાસ ટીમ બનાવવામાં આવી હતી.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Indian cricketer રવિન્દ્ર જાડેજા BJP માં જોડાયા.

    September 5, 2024

    TRAI: ટેલીમાર્કેટિંગ કંપનીઓ સામે મોટી કાર્યવાહી, 50 બ્લેકલિસ્ટ, 8 લાખ ફરિયાદો મળી

    September 3, 2024

    Gujarat: મોરબીમાં NH 27 વાહનવ્યવહાર માટે ફરીથી ખોલવામાં આવ્યો.

    August 30, 2024
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.