Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»નૂંહમાં હિંસા બાદ સરકારની કડક કાર્યવાહીને આંચકો હરિયાણામાં બૂલડોઝરની કાર્યવાહી પર હાઈકોર્ટની રોક
    India

    નૂંહમાં હિંસા બાદ સરકારની કડક કાર્યવાહીને આંચકો હરિયાણામાં બૂલડોઝરની કાર્યવાહી પર હાઈકોર્ટની રોક

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 7, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    હરિયાણાના નૂહ, મેવાત સહિત વિવિધ વિસ્તારોમાં ભડકેલી હિંસા બાદ હરિયાણા સરકારે કડકાઈ કરતાં બુલડોઝર ફેરવવાની શરૂઆત કરી હતી. સતત ચારથી પાંચ દિવસ સુધી હરિયાણા સરકારે બુલડોઝરની કાર્યવાહી કરતાં રમખાણોમાં સામેલ લોકોના મકાનો, દુકાનો, હોટેલો તોડી પાડ્યા હતા.જાેકે હવે આ મામલે ખુદ પંજાબ એન્ડ હરિયાણા હાઈકોર્ટે બુલડોઝરની કાર્યવાહી પર રોક લગાવી દીધી છે.
    હરિયાણા સરકાર દ્વારા કરવામાં આવી રહેલી બુલડોઝરની કાર્યવાહીને કારણે રમખાણકારોની સંપત્તિઓની નિશાન બનાવવામાં આવી રહી હતી. આ મામલે પંજાબ-હરિયાણા હાઈકોર્ટે જાતે જ સુઓ મોટો હાથ ધરી હતી અને પછી આ ચુકાદો આપતાં બુલડોઝરની કાર્યવાહી પર રોક લગાવી હતી.

    નૂહમાં છેલ્લા ચાર દિવસથી ડિમોલિશન ચાલી રહ્યું હતું. આ દરમિયાન ૭૫૩ થી વધુ મકાનો, દુકાનો, શોરૂમ, ઝૂંપડપટ્ટી અને હોટલ તોડી પાડવામાં આવી છે. તેમને ગેરકાયદે ગણાવતા પ્રશાસને કહ્યું કે, તેમનામાં રહેતા લોકો ૩૧ જુલાઈની હિંસામાં સામેલ હતા. નૂહમાં અત્યાર સુધીમાં પ્રશાસને ૩૭ જગ્યાએ કાર્યવાહી કરી છે અને ૫૭.૫ એકર જમીન ખાલી કરાવી છે. જેમાંથી ૧૬૨ કાયમી અને ૫૯૧ હંગામી બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા. નૂહ શહેર ઉપરાંત પુનાના, નગીના, ફિરોઝપુર ઝિરકા અને પિંગણવા જેવા વિસ્તારોમાં પણ અતિક્રમણ દૂર કરવામાં આવ્યા હતા. ગઈકાલે પ્રશાસને ૩ માળની સહારા હોટેલને પણ તોડી પાડી હતી જ્યાંથી હિંસાના દિવસે પથ્થરમારો કરવામાં આવ્યો હતો. વહીવટીતંત્રનું કહેવું છે કે હોટલ માલિકને આ વાતની પહેલેથી જ જાણ હતી, પરંતુ તેણે તોફાનીઓને રોક્યા ન હતા.

    નૂહમાં હિંસા બાદ કર્ફ્‌યુમાં છૂટછાટ આપવામાં આવી છે. ગઈકાલે વહીવટીતંત્રે સરકારી ઓફિસો, બેંક-એટીએમ ખોલવાની મંજૂરી આપી દીધી છે. જાે કે બેંકો અને એટીએમ સવારે ૧૧ થી બપોરે ૩ વાગ્યા સુધી જ ખુલશે. કર્ફ્‌યુમાં છૂટછાટનો સમય હવે બદલીને સવારે ૯ વાગ્યાથી બપોરે ૧ વાગ્યા સુધી કરવામાં આવ્યો છે. પ્રશાસનનું કહેવું છે કે લોકો ઓળખ કાર્ડ બતાવીને સરકારી ઓફિસ કે બેંક-એટીએમ જઈ શકે છે. નૂહમાં ૮ ઓગસ્ટની મધ્યરાત્રિ સુધી ઈન્ટરનેટ બંધ રહેશે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Petrol Pump: ભારત 1 લાખ પેટ્રોલ પંપ નેટવર્કને પાર કરી ગયું, વિશ્વનું ત્રીજું સૌથી મોટું દેશ બન્યું

    December 25, 2025

    IndiGo: 1,600 ફ્લાઇટ્સ રદ, DGCA નારાજ – ઇન્ડિગો દૈનિક રિપોર્ટ સબમિટ કરશે

    December 11, 2025

    DRDO Jobs: 764 જગ્યાઓ માટે મોટી ભરતી, અરજીઓ ખુલી

    December 11, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.