Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»૩ વર્ષમાં આટલા લાખ કરોડ જમા થયા રિલાયન્સે ૨૦૨૯ સુધીમાં મુકેશ અંબાણીને ચેરમેન બનાવવા માંગી મંજૂરી
    India

    ૩ વર્ષમાં આટલા લાખ કરોડ જમા થયા રિલાયન્સે ૨૦૨૯ સુધીમાં મુકેશ અંબાણીને ચેરમેન બનાવવા માંગી મંજૂરી

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 7, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ના પ્રથમ ત્રિમાસિક ગાળા માટે કંપનીઓના પરિણામો જાહેર કરવાની સિઝનએ જાેર પકડ્યું છે. દેશની સૌથી મોટી લિસ્ટેડ કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે પણ લગભગ બે અઠવાડિયા પહેલા તેના પરિણામો જાહેર કર્યા છે અને હવે તેના શેરધારકોની વાર્ષિક સામાન્ય સભા આ મહિનાના અંતમાં યોજાવા જઈ રહી છે. પ્રસ્તાવિત છય્સ્ પહેલાં, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ૨૦૨૨-૨૩ માટે વાર્ષિક અહેવાલ બહાર પાડ્યો છે, જેમાં કંપનીએ ચેરમેન મુકેશ અંબાણી સહિત અનેક ટોચના અધિકારીઓના પગારની વિગતો આપી છે. આ સિવાય કંપનીએ સરકારને આપવામાં આવેલા ટેક્સ અને લોકોને આપવામાં આવેલી રોજગારીની તકો વિશે પણ માહિતી આપી છે. વાર્ષિક અહેવાલ મુજબ આ વખતે પણ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સૌથી વધુ કરદાતા છે. ૩૧ માર્ચ ૨૦૨૩ ના રોજ પૂરા થતા છેલ્લા નાણાકીય વર્ષ માટે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે તિજાેરીમાં ટેક્સ તરીકે રૂ. ૧.૭૭ લાખ કરોડનું યોગદાન આપ્યું છે. અગાઉ, નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન, સૌથી મોટી કંપનીએ ટેક્સ તરીકે ૧.૮૮ લાખ કરોડ રૂપિયા જમા કરાવ્યા હતા. કંપનીએ પ્રત્યક્ષ અને પરોક્ષ કર, સ્પેક્ટ્રમ ચાર્જ વગેરે સહિત છેલ્લા ત્રણ વર્ષમાં ૫.૬૫ લાખ કરોડ રૂપિયા ખજાનામાં જમા કરાવ્યા છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની ૪૬મી વાર્ષિક સામાન્ય સભા ૨૮ ઓગસ્ટના રોજ યોજાવા જઈ રહી છે. અગાઉ, ૨૧ જુલાઈએ, કંપનીએ જૂન ક્વાર્ટરના નાણાકીય પરિણામોની જાહેરાત કરી હતી.

    હવે કંપનીએ એજીએમ પહેલા તેનો તાજેતરનો વાર્ષિક રિપોર્ટ જાહેર કર્યો છે. કંપનીએ આગામી પાંચ વર્ષ માટે મુકેશ અંબાણીને ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે ફરીથી નિયુક્ત કરવાના પ્રસ્તાવ પર શેરધારકો પાસેથી મંજૂરી પણ માંગી છે. મુકેશ અંબાણી માત્ર દેશની સૌથી મોટી લિસ્ટેડ કંપનીના ટોચના એક્ઝિક્યુટિવ નથી, પરંતુ તેઓ અત્યારે ભારતના સૌથી ધનિક વ્યક્તિ પણ છે. તેઓ દાયકાઓથી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો બિઝનેસ સંભાળી રહ્યા છે. એજીએમમાં ??શેરધારકોની મંજૂરી મેળવ્યા પછી, તેમને વર્ષ ૨૦૨૯ સુધી કંપનીના સીએમડી તરીકે નિયુક્ત કરવામાં આવશે. મજાની વાત એ છે કે અંબાણી તેમના કાર્યકાળ દરમિયાન કોઈ પગાર નહીં લે. કોવિડ મહામારી બાદ મુકેશ અંબાણી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના સીએમડીની જવાબદારી સંભાળવાના બદલામાં કોઈ પગાર લઈ રહ્યા નથી. ગયા વર્ષે પણ તેણે કોઈ પગાર લીધો ન હતો.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Indian Railway: ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે મોટું એલાન: જમ્મુ-ઉધમપુરથી દિલ્હી સુધી તાત્કાલિક 3 સ્પેશિયલ ટ્રેનો ચલાવાશે

    May 9, 2025

    ICAI CA Exam 2025: ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે CA પરીક્ષા મુલતવી રાખવામાં આવી, icai.org પર સૌથી મહત્વપૂર્ણ અપડેટ્સ જુઓ

    May 9, 2025

    Delhi Alert: ભારત-પાક તણાવ બાદ દિલ્હી એલર્ટ પર, લાલ કિલ્લો અને કૂતૂબ મિનાર સહિત ઐતિહાસિક સ્થળોની સુરક્ષા ચુસ્ત

    May 9, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.