Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Gujarat»રાજકોટથી અલકાયદાના ત્રણ આતંકીને ઝડપ્યા હતા પકડાયેલા ત્રણમાંથી એક આતંકી પાંચ વર્ષ જેતપુરમાં રહ્યો છે
    Gujarat

    રાજકોટથી અલકાયદાના ત્રણ આતંકીને ઝડપ્યા હતા પકડાયેલા ત્રણમાંથી એક આતંકી પાંચ વર્ષ જેતપુરમાં રહ્યો છે

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 5, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    તાજેતરમાં જ ગુજરાત એટીએસદ્વારા રાજકોટમાંથી આતંકી સંગઠન સાથે સંકળાયેલા અલકાયદાના ત્રણ આતંકીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ ત્રણેય આતંકીઓની રિમાન્ડ દરમિયાન પુછપરછમાં સામે આવ્યું હતું કે,ત્રણ આતંકી પૈકી એક સૈફ નવાઝ નામનો આતંકી અગાઉ જેતપુરમાં ૫ વર્ષ સુધી રહી ચૂક્યો છે. તે સોનીબજારમાં બંગાળી કારીગર તરીકે કામ કરતો હતો. હવે આ તપાસના તાર જેતપુર સુધી પહોંચે તેવી શક્યતાઓ છે.

    પ્રાપ્ત વિગતો પ્રમાણે અલ-કાયદા માટે કામ કરતા ત્રણ આતંકવાદી પૈકી સૈફ ઉર્ફે શોએબ નવાઝ નામનો આંતકવાદી જેતપુર સ્થિત મહંમદ ખેરુદ્દીન ઉર્ફે સિરાજ શેખ અને મહંમદ શાહબુદ્દીન શેખ ઉર્ફે શાહબુદ્દીન નામના બંગાળી મુસ્લિમભાઈઓને ત્યાં ૫ વર્ષથી સોનીકામ કરતો હતો. હાલ સોનીકામમાં મંદી આવતાં શાહબુદ્દીને રાજકોટમાં આવી પોતાનો વ્યવસાય નવેક મહિનાથી શરૂ કર્યો હતો અને ત્યાં ત્રણ જેટલા કારીગરોને સોનીકામે રાખ્યા હતા જેમાં આતંકી સૈફ નવાઝને પણ રાખ્યો હતો. જેતપુરના સાડી ઉદ્યોગમાં ૫૦,૦૦૦ કરતા વધુ પરપ્રાંતીય કારીગરો કામ કરી રહ્યા છે.

    રાજકોટમાંથી ઝડપાયેલા આતંકવાદીઓ બીજા લોકોને અલ-કાયદા મોડ્યૂલ સાથે જાેડવા તેમજ જેહાદી પ્રવૃત્તિ તરફ જાેડવા કામ કરતા હોવાની માહિતી એટીએસને મળી હતી, ત્યારે શું આ આતંકવાદી જેતપુરમાં રહી આ પ્રવૃત્તિ કરી હતી કે કેમ અથવા જેતપુરના કોઈ શખસને પોતાની સાથે આ પ્રવૃત્તિમાં જાેડાવવા કામ કર્યું હતું કે કેમ એ દિશામાં તપાસ કરવામાં આવશે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Indian cricketer રવિન્દ્ર જાડેજા BJP માં જોડાયા.

    September 5, 2024

    TRAI: ટેલીમાર્કેટિંગ કંપનીઓ સામે મોટી કાર્યવાહી, 50 બ્લેકલિસ્ટ, 8 લાખ ફરિયાદો મળી

    September 3, 2024

    Gujarat: મોરબીમાં NH 27 વાહનવ્યવહાર માટે ફરીથી ખોલવામાં આવ્યો.

    August 30, 2024
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.