Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»દિલ્હી બિલ પર ચર્ચામાં એનસીપી સાંસદના આક્રમક તેવર ભાજપ ઢંઢેરામાં ખોટું બોલ્યો કે સંસદમાં : સુપ્રિયા સુલે
    India

    દિલ્હી બિલ પર ચર્ચામાં એનસીપી સાંસદના આક્રમક તેવર ભાજપ ઢંઢેરામાં ખોટું બોલ્યો કે સંસદમાં : સુપ્રિયા સુલે

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 5, 2023No Comments3 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    નેશનલ કેપિટલ ટેરિટરી ઑફ દિલ્હી બિલ ૨૦૨૩ લોકસભામાં પસાર થઈ ગયું છે. બંને પક્ષોના કુલ ૨૬ સાંસદોએ ચર્ચામાં ભાગ લીધો હતો. આ બિલ પર ચર્ચા દરમિયાન રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) સાંસદ સુપ્રિયા સુલે ખૂબ જ આક્રમક રીતે જાેવા મળ્યા હતા. લોકસભા સાંસદ સુપ્રિયા સુલેએ ભાજપને ચાર પ્રશ્નો કર્યા હતા. અરવિંદ કેજરીવાલનું સમર્થન કરીને સુપ્રિયા સુલેએ સરકારને ચાર પ્રશ્નો કર્યા જે દરમિયાન તેઓના આંખમાં પાણી આવી ગયા હતા.

    હું જાણું છું કે દિલ્હી સંપૂર્ણ રાજ્ય નથી. પરંતુ હું પૂછવા માંગુ છું કે દિલ્હીમાં અત્યાર સુધીની તમામ ચૂંટણીઓમાં ભાજપ પોતાના ઘોષણાપત્રમાં દિલ્હીને સંપૂર્ણ રાજ્ય બનાવવાની વાત કરી રહી છે. જાે હું ખોટું બોલી રહી હોય તો તેઓ મને સુધારી શકે છે. એટલા માટે હું પૂછવા માંગુ છું કે, તમે ચૂંટણી ઢંઢેરામાં ખોટું બોલ્યા કે સંસદમાં ખોટું બોલી રહ્યા છો. વડાપ્રધાને સંસદને લોકશાહીનું મંદિર ગણાવ્યું હતું તેથી તમે ક્ષમા માગો છો કે તમે ઢંઢેરામાં ખોટું બોલ્યા અને દેશવાસીઓને ગુમરાહ કર્યા.

    જ્યારે જમ્મુ અને કાશ્મીર એક સંપૂર્ણ રાજ્ય બનવાની વાત કરો છો,તો તમે ત્રણ ભાગમાં કેમ વહેંચ્યું છે. આ ઉપરાંત જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરરજાે આપી ત્યાં ચૂંટણી કરવાની વાત કરવામાં આવી હતી છતાં આજે ચાર વર્ષથી થયા તો પણ કેમ કોઈ ચૂંટણી થઈ નથી. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ત્યાં એક વર્ષમાં ચૂંટણી થશે, મારે આ અંગે તેમનો જવાબ જાેઈએ છે. હું પૂછવા માંગુ છું કે એક સંપૂર્ણ રાજ્યનું વિભાજન કરીને તમે ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશો બનાવ્યા. દિલ્હી એક કેન્દ્રશાસિત પ્રદેશ છે જેને તમે પૂર્ણ રાજ્યનો દરજ્જાે મેળવવા માંગતા હતા. હું ભાજપના આ બેવડા ધોરણ પર જવાબ જાણવા માંગુ છું. ભાજપ નૈતિકતાની વાત કરે છે, હું પણ રાજકારણમાં નૈતિકતાની સમર્થક છું. હું નમ્રતાપૂર્વક કહેવા માંગુ છું કે ભાજપ અમને કહે છે કે, ૨૦૧૪ અને ૨૦૧૯માં અમને ડંખ મારવાના કારણે જનાદેશ આપવામાં આવ્યો હતો. સારી વાત છે, આ માટે અભિનંદન કારણ કે આ લોકશાહી છે, અમે માનીએ છીએ કે તમે જીત્યા અને અમે હારી ગયા. તો પછી કેજરીવાલ માટે એક નિયમ અને તેમના માટે એક નિયમ કેવી રીતે હોઈ શકે. જાે દિલ્હીની જનતાએ અરવિંદ કેજરીવાલને જનાદેશ આપ્યો છે તો તે ખોટું છે અને જાે તેમને જનાદેશ મળે છે તો તે લોકપ્રિયતા છે. આ કેવો ન્યાય છે સાહેબ? આ લોકો કહે છે કે કેજરીવાલને દિલ્હીની સાથે પંજાબ પણ મળ્યું. જનતાએ આ સરકાર આમ આદમી પાર્ટીને આપી છે.

    તે નૈતિકતાની વાત કરે છે, તેણે કહ્યું કે, દિલ્હીના સેક્રેટરીને પકડીને મારવામાં આવ્યો હતો. સાચું, હું સંમત છું કે આ ખોટું છે. જાે દિલ્હી સરકારે સેક્રેટરીને બાંધીને માર માર્યો હોય તો તે ખોટું છે. પરંતુ હું પૂછવા માંગુ છું કે મહારાષ્ટ્ર વિધાનસભામાં ભાજપના ૧૦૫ ધારાસભ્યો છે. ત્યાં ભાજપના એક ધારાસભ્યએ અધિકારીને થપ્પડ મારી હતી. ભાજપના એક સાંસદે એક અધિકારીને થપ્પડ પણ મારી હતી. હું કહેવા માંગુ છું કે જાે દિલ્હીમાં ખોટું છે તો મહારાષ્ટ્રમાં પણ ખોટું છે. એટલા માટે હું એ પણ કહીશ કે આરોપો એકતરફી ન હોવા જાેઈએ.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Education: અમેરિકામાં અભ્યાસ: રહેવાનો વાસ્તવિક ખર્ચ કેટલો છે?

    August 22, 2025

    PM Modi: લોકસભા અને રાજ્યસભા સ્થગિત, વડાપ્રધાન મોદીએ રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા

    August 21, 2025

    Rahul Gandhi: રાહુલ ગાંધીની યાત્રા દરમિયાન અકસ્માત

    August 21, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.