Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»ભારત સસ્તી દવા ઉત્પાદન કરતો દેશ હોવાની માન્યતા ભારતે ઈરાક મોકલેલી શરદીની દવામાં ઝેરી રસાયણ મળ્યા
    India

    ભારત સસ્તી દવા ઉત્પાદન કરતો દેશ હોવાની માન્યતા ભારતે ઈરાક મોકલેલી શરદીની દવામાં ઝેરી રસાયણ મળ્યા

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 28, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ભારત દુનિયામાં સૌથી સસ્તા દરે દવા ઉત્પાદન કરતો દેશ ગણાય છે જેના કારણે ઘણા ગરીબ દેશો મેડ ઈન ઈન્ડિયા દવાઓ પર આધાર રાખે છે. પરંતુ તાજેતરમાં કેટલીક દવાઓ જાેખમી સાબિત થઈ રહી છે જેના કારણે તેની ગુણવત્તા સામે સવાલ ઉઠ્‌યા છે. તાજેતરમાં ભારતે ઈરાક મોકલેલી શરદીની દવામાં ઝેરી રસાયણો હોવાનું બહાર આવ્યું છે. ઈરાક એક્સપોર્ટ કરવામાં આવેલા શરદીના સિરપની ચકાસણી કરવામાં આવી ત્યારે આ ચોંકાવનારી વિગત મળી છે. થોડા સમય અગાઉ કેટલાક દેશોમાં ભારતીય કફ સિરપના કારણે બાળકોના મોત થયા હોવાના અહેવાલ આવ્યા હતા, પરંતુ તેને પુષ્ટિ મળી ન હતી. ઈરાકમાં વેચાઈ રહેલા ભારતીય શરદીના સિરપની તપાસ કરવામાં આવી ત્યારે તેમાં ૨.૧ ટકા ઈથાઈલિન ગ્લાઈકોલ મળી આવ્યું હતું જે વિશ્વ સ્તરે સ્વીકાર્ય લિમિટ કરતા ૨૧ ગણું વધારે હતું. આ કમ્પાઉન્ડ નાના પ્રમાણમાં લેવામાં આવે તો પણ માનવી માટે જીવલેણ સાબિત થઈ શકે છે. ગયા વર્ષે ગામ્બિયા અને ઉઝબેકિસ્તાનમાં ૨૦૦થી વધારે બાળકોના મોત પાછળ પણ આ રસાયણ જવાબદાર ગણવામાં આવે છે. આ બાળકો પણ ભારતીય કફ સિરપના કારણે મૃત્યુ પામ્યા હોવાનો આરોપ મુકવામાં આવ્યો છે.

    હવે આ મુદ્દો ઈરાક સરકારના હાથમાં છે. ઈરાકી સરકાર પણ જાે આ બબતની પુષ્ટિ આપશે તો ભારતીય દવાઓ અંગે વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબલ્યુએચઓ) દ્વારા એલર્ટ આપી શકાય છે. ઈરાકી સરકારના પ્રવક્તાએ કહ્યું કે તે દવાઓની આયાત, વેચાણ અને વિતરણ અંગે ચુસ્ત નિયમોનું પાલન કરે છે. પરંતુ ભારતીય શરદીની દવા અને તેમાંથી મળી આવેલા ઝેરી રસાયણ વિશે કોઈ ટિપ્પણી કરી ન હતી.
    ઓક્ટોબર ૨૦૨૨માં ગામ્બિયામાં ૬૦ બાળકોના મોત થયા હતા જેના માટે કફ સિરપને જવાબદાર ગણવામાં આવે છે. આ સિરપનું ઉત્પાદન ભારતની મેઈડેન ફાર્મા દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ ઓક્ટોબર ૨૦૨૨માં ઈન્ડોનેશિયામાં પણ કફ સિરપથી લગભગ ૨૦૦ બાળકો મૃત્યુ પામ્યા હતા. આ દવા ઈન્ડોનેશિયામાં જ ઉત્પાદિત હતી.

    ભારતમાંથી કેટલાક દેશોમાં જે દવા નિકાસ કરવામાં આવી રહી છે તેમાં એથેલેન ગ્લાયકોલનામના રસાયણનો વધારે પડતો ઉપયોગ કરવામાં આવે છે. લાઈબેરિયા અને માર્શલ આઈલેન્ડમાં પણ દવાઓમાંથી ઝેરી પદાર્થો મળી આવ્યા છે. જાેકે, તેમાં કોઈ બીમારી થયા હોવાના પૂરાવા નથી મળ્યા. ઈરાકમાંથી જે દવામાંથી ઝેરી રસાયણો મળી આવ્યા છે તે શરદીની સિરપનું નામ કોલ્ડ આઉટછે. છેલ્લા એક વર્ષમાં ભારતમાંથી એક્સપોર્ટ કરવામાં આવેલી દવામાંથી ઝેરી પદાર્થ મળી આવ્યા હોય તેવી આ નવમી ઘટના છે. કોલ્ડ આઉટના લેબલ પરથી જાણવા મળે છે કે તેનું ઉત્પાદન ચેન્નાઈ સ્થિત કંપની ફોરસ્ટસ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કંપની દુનિયાના ૫૦ દેશોમાં દવાની નિકાસ કરે છે જેમાં યુકે, જર્મની અને કેનેડાનો પણ સમાવેશ થાય છે. ફોર્ટસદ્વારા પુડુચેરી સ્થિત કંપની શારુન ફાર્માને પેટા કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હોવાનું કહેવાય છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Education: અમેરિકામાં અભ્યાસ: રહેવાનો વાસ્તવિક ખર્ચ કેટલો છે?

    August 22, 2025

    PM Modi: લોકસભા અને રાજ્યસભા સ્થગિત, વડાપ્રધાન મોદીએ રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા

    August 21, 2025

    Rahul Gandhi: રાહુલ ગાંધીની યાત્રા દરમિયાન અકસ્માત

    August 21, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.