Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Cricket»ભારત-બાંગ્લાદેશ ત્રીજી વન-ડેની ઘટના અમ્પાયરના ર્નિણય પર ગુસ્સો કરવા બદલ હરમનપ્રીત સામે પગલાં લેવાશે
    Cricket

    ભારત-બાંગ્લાદેશ ત્રીજી વન-ડેની ઘટના અમ્પાયરના ર્નિણય પર ગુસ્સો કરવા બદલ હરમનપ્રીત સામે પગલાં લેવાશે

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 25, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ભારતીય મહિલા ક્રિકેટ ટીમ અને બાંગ્લાદેશની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે શનિવારે ત્રીજી અને અંતિમ વનડે રમાઈ હતી. આ અંતિમ વનડે મેચ ટાઈ થઇ હતી. ભારતીય મહિલા ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરને આ મેચમાં અમ્પાયરના ર્નિણય પર ગુસ્સો આવ્યો હતો. અમ્પાયરે તેને એલબીડબલ્યુઆઉટ જાહેર કરી હતી. તે બાદ તેણે બેટ વડે જાેરથી સ્ટમ્પ પર માર્યું હતું. હરમનપ્રીતની આ હરકત પર બીસીસીઆઈએક્શન મોડમાં આવી ગઈ છે.ભારતીય મહિલા કેપ્ટન રમતના સાધનોને નુકસાન પહોંચાડવા અને અમ્પાયરોની ટીકા કરવા બદલ બે મેચના પ્રતિબંધનો સામનો કરી શકે છે, જેનો અર્થ એ થઈ શકે છે કે તે એશિયન ગેમ્સની શરૂઆતની મેચો નહી રમી શકે. હરમનપ્રીતને નાહિદા અખ્તરની બોલ પર એલબીડબલ્યુઆઉટ કરવામાં આવી હતી પરંતુ તેણે દાવો કર્યો હતો કે બોલ તેના બેટના તળિયે વાગી ગયો હતો. પેવેલિયન પરત ફરતા પહેલા તેણે પોતાનો ગુસ્સો સ્ટમ્પ પર કાઢ્યો હતો.

    આ પછી તેણે પોસ્ટ મેચ પ્રેઝેન્ટેશન સેરેમનીમાં અમ્પાયરોની ટીકા કરી અને એમ પણ કહ્યું કે અમ્પાયરોએ બંને ટીમો સાથે ટ્રોફી સમારંભમાં હાજરી આપવી જાેઈએ. તેના અસભ્ય વર્તનને કારણે બાંગ્લાદેશની કેપ્ટન નિગાર સુલ્તાના તેની ટીમ સાથે ત્યાંથી નીકળી ગઈ અને ભારતીય કેપ્ટનને શિષ્ટાચાર શીખવાની સલાહ આપી હતી.બીસીસીઆઈના સૂત્રોએ જણાવ્યું, હરમનપ્રીત પર રમતના સાધનોને નુકસાન પહોંચાડવાનો અને મેચ અધિકારીઓની ટીકા કરવાનો આરોપ છે અને તેના ખાતામાં ત્રણ ડીમેરિટ પોઈન્ટ ઉમેરવા કે ચાર આ અંગે ચર્ચા ચાલી રહી છે. જાે ૨૪ મહિનાની અંદર ચાર ડીમેરિટ પોઈન્ટ પ્રાપ્ત થાય છે, તો ખેલાડી એક ટેસ્ટ અથવા બે મર્યાદિત ઓવરોની મેચમાંથી બહાર થઈ શકે છે, આ સ્થિતિમાં તે એશિયન ગેમ્સની બે મેચમાંથી બહાર થઈ શકે છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    T20 World Cup 2026: ટિકિટ કેવી રીતે બુક કરવી અને તેની કિંમત કેટલી છે તે જાણો

    December 12, 2025

    T20I Series 2025: અભિષેક શર્માનો ધમાકો, વર્ષમાં 50 છગ્ગા પૂરા કર્યા

    December 12, 2025

    T20 World Cup 2026: ટિકિટનું વેચાણ શરૂ, પ્રવેશ 100 રૂપિયાથી શરૂ

    December 11, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.