Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Gujarat»અકસ્માત કેસમાં મિત્રોએ પોલીસને કહ્યું તથ્યને ફુલ સ્પીડમાં બેફામ કાર ચલાવવાની આદત
    Gujarat

    અકસ્માત કેસમાં મિત્રોએ પોલીસને કહ્યું તથ્યને ફુલ સ્પીડમાં બેફામ કાર ચલાવવાની આદત

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 23, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ઈસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માત વખતે જેગુઆર કારમાં તથ્ય પટેલની સાથે ૩ યુવતી સહિત ૫ ફ્રેન્ડ્‌સ પણ તેની સાતે જ હતા. આ કેસમાં પોલીસે તથ્ય પટેલના પાંચેય મિત્રોની અટકાયત કરી છે અને હવે તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. જાે કે, તેમણે આ અકસ્માતથી પોતાને દૂર રાખવા માટેના નિવેદનો પોલીસને આપ્યા છે અને અકસ્માત માટે માત્ર ને માત્ર તથ્ય પટેલને જ જવાબદાર ગણાવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
    ટ્રાફિક પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, અકસ્માત બાદ કારમાં રહેલા તથ્ય પટેલના પાંચ ફ્રેન્ડ્‌સની તાત્કાલિક અટકાયત કરવામાં આવી હતી અને છેલ્લા બે દિવસમાં તેમના નિવેદનો નોંધવામાં આવ્યા હતા. તેઓએ અમને જાણ કરી કે તથ્યને ફુલ સ્પીડમાં બેદરકારીપૂર્વક વાહન ચલાવવાની આદત છે. વધુમાં તેઓએ ૩ જુલાઈના વહેલી સવારે સિંધુભવન રોડ પર અગાઉ થયેલા અકસ્માતની વિગતો પણ જાહેર કરી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.

    પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, તથ્યના મિત્રોએ જણાવ્યું કે તેઓએ તેને સાવધાનીથી વાહન ચલાવવા માટે ચેતવણી આપી હતી. તેમ છતાં તેણે તેમની ચેતવણીની અવગણના કરી અને કારમાં લાઉડ મ્યુઝિક ચાલુ રાખ્યું. ‘તે બધાએ તેની વિરુદ્ધ નિવેદનો આપ્યા હતા, જે કેસને સમર્થન આપવા માટે મજબૂત જુબાની તરીકે કામ કરશે’, તેવું અધિકારીએ ઉમેર્યું. ઉલ્લેખનીય છે કે, રિમાન્ડની અરજીમાં, શહેર ટ્રાફિક પોલીસે તથ્ય વારંવાર પાનની દુકાનો પર કેમ આવતો હતો તે જાણવાના પર ભાર મૂક્યો હતો. એક વરિષ્ઠ ટ્રાફિક પોલીસ અધિકારીએ સમજાવ્યું કે તેઓ અન્ય વ્યક્તિઓના નિવેદનો મેળવશે જેથી તથ્યનો કેસ વધુ મજબૂત બનાવી શકાય.
    વધુ પુરાવા એકત્ર કરવા અને ઇસ્કોન ફ્લાયઓવર અકસ્માતનું ઓથેન્ટિક રીકન્સ્ટ્રક્શન કરવા માટે શહેરની ટ્રાફિક પોલીસે જગુઆર અને થારના સમાન મોડલને સામેલ કર્યા હતા. એક વરિષ્ઠ ટ્રાફિક પોલીસ અધિકારીએ કહ્યું, અમે ઇચ્છીએ છીએ કે, રીકન્સ્ટ્રક્શન શક્ય તેટલું વાસ્તવિક દેખાય. અલગ-અલગ વાહનોનો ઉપયોગ કરવાથી સચોટ રજૂઆત ન થઈ શકે. તેના બદલે, અમે તથ્ય પટેલની ઝડપ નક્કી કરવા માટે આ ઘટનામાં સામેલ વાહનોના સમાન મોડલનો ઉપયોગ કર્યો. તેઓએ થારના બ્લિંકર્સને એક્ટિવ અને જેગુઆરને લગભગ ૧૨૦ાદ્બॅરની ઝડપે ચલાવી હતી.

    ઉલ્લેખનીય છે કે, ૨૦ જુલાઇના રોજ તથ્ય પટેલની જેગુઆરને ૪૦ મિનિટ અગાઉ અન્ય અકસ્માત જાેવા ઇસ્કોન ફ્લાયઓવર પર એકઠા થયેલા ભીડને ટક્કર માર્યા બાદ ધરપકડ કરવામાં આવી હતી. રીકન્સ્ટ્રક્શનમાં અમને જેગુઆરની બ્રેક્સ લગાવવામાં વિલંબ જણાયો. સ્પીડમાં આવતી કારને રોકવામાં લગભગ ૧૨ સેકન્ડનો સમય લાગ્યો હતો અને તે સમયગાળા દરમિયાન ૯ લોકોએ જીવ ગુમાવ્યો અને ૧૩ને ઈજાઓ થઈ, એમ એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Indian cricketer રવિન્દ્ર જાડેજા BJP માં જોડાયા.

    September 5, 2024

    TRAI: ટેલીમાર્કેટિંગ કંપનીઓ સામે મોટી કાર્યવાહી, 50 બ્લેકલિસ્ટ, 8 લાખ ફરિયાદો મળી

    September 3, 2024

    Gujarat: મોરબીમાં NH 27 વાહનવ્યવહાર માટે ફરીથી ખોલવામાં આવ્યો.

    August 30, 2024
    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.