Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Gujarat»ઈસ્કોન બ્રિજ પર યુવકે ૧૮૦ની સ્પીડે જેગુઆર ગાડીને લોકોનાં ટોળા પર ચલાવી ઈસ્કોન બ્રિજ પર ગમખ્વાર અકસ્માતમાં ૯ લોકોના મોત
    Gujarat

    ઈસ્કોન બ્રિજ પર યુવકે ૧૮૦ની સ્પીડે જેગુઆર ગાડીને લોકોનાં ટોળા પર ચલાવી ઈસ્કોન બ્રિજ પર ગમખ્વાર અકસ્માતમાં ૯ લોકોના મોત

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 20, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    અમદાવાદ શહેરમાં ઈસ્કોન બ્રિજ પાસે મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત થયો છે. જેમાં જેગુઆર કાર ચાલકે બ્રિજ પર ઉભેલા ટોળા પર ગાડી ફેરવી દીધી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ અમદાવાદના જાણિતા બિલ્ડરનો દીકરો હોવાની માહિતી મળી રહી છે. અહીં પહેલાથી જ એક અકસ્માત સર્જાયો હતો તેને જાેવા માટે લોકોની ભીડ ઉમટી પડી હતી. આ દરમિયાન પૂર ઝડપે જેગુઆર ગાડી આવી અને ૯ લોકોને કાળ બની ભરખી ગઈ હતી. બીજી બાજુ ગાડીની એરબેગ પણ ફાટી ગઈ હતી. જેથી કરીને લોકોમાં અફરા તફરી સર્જાઈ ગઈ હતી. ઈસ્કોન બ્રિજ પર કાચના ટૂકડાઓ ગાડીનો કૂરચો બોલી ગયો છે. ૯માંથી ૨ પોલીસ કર્મીના પણ મોત થઈ ગયા છે. વધુમાં જાણવા મળી રહ્યું છે કે આ નબીરો ૧૮૦થી વધુની સ્પીડ સાથે ગાડી ચલાવી રહ્યો હતો. મોડી રાત્રે અમદાવાદ શહેરના ઈસ્કોન બ્રિજ પર મહિન્દ્રા થાર અને ડમ્પર વચ્ચે અકસ્માત થયો હતો.

    ત્યાં ઈજાગ્રસ્તોને મદદ કરવા માટે લોકોના ટોળા જમા થઈ ગયા હતા. સુરેન્દ્રનગરથી અભ્યાસ માટે અમદાવાદ આવેલા ૨ વિદ્યાર્થીઓ સહિત હોમગાર્ડ અને કોન્સ્ટેબલ પણ અહીં હાજર હતા. ત્યારે મોડી રાત્રે પૂર ઝડપે ૧૮૦થી વધુની સ્પિડ પર આવી રહેલી જેગુઆર ગાડીએ અકસ્માત પાસે ઉભેલા ટોળાને ફંગોળ્યું હતું. આ ટક્કર એટલી ભયાનક હતી કે ટોળામાં ઉભેલા બધા લોકો હવામાં ફંગોળાઈ ૨૫થી ૩૦ ફૂટ દૂર પડ્યા હતા. કોઈ ફિલ્મ જેલા દ્રશ્યો સર્જાયા હોય તેવો ભયાનક માહોલ ઉભો થયો હતો. આ જેગુઆર ગાડીએ જેવી રીતે ટોળાને ફંગોળ્યું એમાં ૨ પોલીસ અધિકારીઓ પણ સામેલ હતા. જાેતજાેતામાં ઘટનાસ્થળ પર જ ૬ લોકોએ પોતાોન જીવ ગુમાવી દીધો હતો. જ્યારે અન્ય ૩ લોકોને સારવાર અર્થે ખસેડાયા ત્યારે મૃત્યુ પામ્યા હતા.

    બીજીબાજુ આ જેગુઆર ગાડીની એરબેગ ફાટી નીકળી હતી જેમાં પોલીસ તપાસમાં જણાવ્યા પ્રમાણે અમદાવાદના જાણિતા બિલ્ડરનો પુત્ર ગાડી ચલાવી રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. તેને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી કરીને તેને સારવાર માટે સીમ્સ હોસ્પિટલ ખાતે ખસેડાયો છે. ઈસ્કોન બ્રિજ પર પહેલા જ એક અકસ્માત થયો હતો જેને જાેવા માટે લોકોની ભીડ ઉમટી હતી. તેમાં ૯ લોકોને યુવકે જેગુઆર ગાડીથી કચડી નાખ્યા હતા. જાેતજાેતમાં આ તમામ લોકોના મોત નીપજ્યા હતા. ઈસ્કોન બ્રિજ પર ૨ પોલીસ અધિકારીને પણ હવામાં ફંગોળ્યા હોવાથી તેમનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે બીજી બાજુ ૧૦૮ને તાત્કાલિક ફોન કરી દેવાયો હતો અને જાેતજાેતમાં લોકોને સોલા સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા હતા.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Rain casualty Faridabad:ફરીદાબાદ અકસ્માત, કાનપુરના 6 મજૂરમાં 2ના મોત, 4 ઘાયલ

    July 10, 2025

    Gujarat Bridge Collapse: મહિસાગર નદી પર પુલ તૂટી પડતાં 13નાં મોત, સરકારની તાત્કાલિક કાર્યવાહી

    July 9, 2025

    Panchayat corruption: દેવરિયામાં મૃત વ્યક્તિને મજૂરી મળતી રહી!

    July 9, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.