Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Gujarat»સુરેન્દ્રનગરના સાયલામાં ૨૮ વર્ષીય યુવકની હત્યા.
    Gujarat

    સુરેન્દ્રનગરના સાયલામાં ૨૮ વર્ષીય યુવકની હત્યા.

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 20, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    સુરેન્દ્રનગર જિલ્લામાં ચોરી-લૂંટફાટ અને હત્યાના બનાવો સતત વધી રહ્યા છે, જેના પગલે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

    સુરેન્દ્રનગર જિલ્લામાં સતત બીજા દિવસે હત્યાનો બનાવ બન્યો છે. ગઈકાલે પાટડીના વડગામમાં ૧૯ વર્ષીય યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને કરપીણ કરપીણ હત્યા કરાયા બાદ આજે સાયલામાં ૨૮ વર્ષીય યુવકની હત્યા કરવામાં આવી છે. યુવકની હત્યાથી સાયલામાં પટેલ સમાજમાં આક્રોશ જાેવા મળી રહ્યો છે. તો પરિવારજનોએ પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા છે.

    મળતી માહિતી અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ખાતે વિશાલ પટેલ (ઉં.વ ૨૮) નામના યુવકની ડમ્મર ચડાવીને કરાઈ હત્યા કરાતા ચકચાર મચી જવા પામી છે. યુવકના પરિવારનોએ મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો છે. સુરેન્દ્રનગરના સાયલામાં પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે. પરિવારજનોએ અકસ્માત નહી પરંતુ હત્યા થઈ હોવાનો આક્ષેપ કર્યો છે. આજે યુવકની ડમ્પર અડફેટે મોત થયા પરિવારજનોમાં આક્રોશ જાેવા મળી રહ્યો છે.
    પરિવારજનોનું કહેવું છે કે, અંગત અદાવતમાં ધમકી મળ્યા બાદ આજે ડમ્પરની અડેફેટે વિશાલનું મૃત્યુ નિપજ્યું છે. ગઈકાલે મૃતકને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. જેથી ગઈકાલે સાયલા પોલીસ સ્ટેશન ખાતે વિશાલ પટેલ ફરિયાદ નોંધાવવા માટે ગયો હતો. જાેકે, પોલીસે વિશાલની ફરિયાદ લીધી ન હતી અને આજે વિશાલ પર ડમ્પર ફરી વળ્યું છે. પોલીસે ફરિયાદ ધ્યાને ન લેતા ઘટના બની હોવાનો આક્ષેપ પરિવારજનોએ કર્યો છે.
    ગઈકાલે જ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના વડગામમાં ૧૯ વર્ષીય યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને કરપીણ હત્યા કરવામાં આવી હતી. પાટડી તાલુકામાં આવેલા વડગામમાં રહેતા અને છૂટક મજૂરી કામ કરતા લક્ષ્મણભાઈ ઠાકોરના ૧૯ વર્ષના પુત્ર રાહુલ પર ગાડીમાં આવેલા શખ્સોએ તલવાર અને ધારીયાથી હુમલો કર્યો હતો. જે રાહુલ પર હુમલો કર્યા બાદ આ શખ્સો ગાડીમાં ફરાર થઈ ગયા હતા. જે બાદ રાહુલને સારવાર અર્થે દસાડાની હોસ્પિટલમાં ખસેડાયો હતો.

    જ્યાંથી વધુ સારવાર માટે વિરમગામ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરોએ તેને મૃત જાહર કર્યો હતો. તાજેતરમાં જ સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના સમઢીયાળા ગામે જમીન બાબતે બે સગાભાઈ ઘાતકી હત્યા કરવામાં આવી હતી. જે બાદ રેન્જ આઈજી દ્વારા આ કેસમાં જીૈં્‌ની રચના કરીને આરોપીનેઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. જ્યારે ચુડા પોલીસ સ્ટેશનના બે ઁજીૈંને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Indian cricketer રવિન્દ્ર જાડેજા BJP માં જોડાયા.

    September 5, 2024

    TRAI: ટેલીમાર્કેટિંગ કંપનીઓ સામે મોટી કાર્યવાહી, 50 બ્લેકલિસ્ટ, 8 લાખ ફરિયાદો મળી

    September 3, 2024

    Gujarat: મોરબીમાં NH 27 વાહનવ્યવહાર માટે ફરીથી ખોલવામાં આવ્યો.

    August 30, 2024
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.