Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»કોંગ્રેસ અધ્યક્ષે ઓમન ચાંડીના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું કેરળના પૂર્વ સીએમ ઓમન ચાંડીનું નિધન થયું
    India

    કોંગ્રેસ અધ્યક્ષે ઓમન ચાંડીના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું કેરળના પૂર્વ સીએમ ઓમન ચાંડીનું નિધન થયું

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 18, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    કોંગ્રેસ પાર્ટીના દિગ્ગજ નેતા અને કેરલના પૂર્વ મુખ્યમંત્રી ઓમન ચાંડીનું આજે સવારે નિધન થઈ ગયું છે.તેઓ ૭૯ વર્ષના હતા. છેલ્લા કેટલાય મહિનાથી બેંગલુરુમાં તેમની સારવાર ચાલી રહી હતી. ઓમન ચાંડીના નિધનના સમાચાર તેમના દીકરાએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આપ્યા છે. ઓેમન ચાંડીએ ૨૦૦૪-૨૦૦૬, ૨૦૧૧-૨૦૧૬ દરમ્યાન કેરલના મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. તો વળી ઓમન ચાંડીના નિધન પર કેરલ કોંગ્રેસના અધ્યક્ષ કે. સુધાકરને ટિ્‌વટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે ટિ્‌વટ કરીને જણાવ્યું કે, કેરલના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ કોંગ્રેસ નેતા ઓમન ચાંડીનું નિધન થઈ ગયું છે. તેમણે ટિ્‌વટ કરીને લખ્યું છે કે, પ્રેમની શક્તિથી દુનિયા પર વિજય મેળવનરા રાજાની કહાનીનો માર્મિક અંત થયો. આજે હું એક મહાન વ્યક્તિના નિધનથી ખૂબ જ દુઃખી થયો છે.

    તેમણે અગણિત વ્યક્તિના જીવનને પ્રભાવિત કર્યું છે અને તેમની વિરાસત હંમેશા અમારા આત્માના ગુંજતા રહે છે. આપને જણાવી દઈએ કે, ઓમન ચાંડી લાંબા સમયથી બીમાર હતા. વર્ષ ૨૦૧૯માં તેમની તબિયત ખરાબ થઈ હતી. ચાંડીને ગળાથી સંબંધિત બીમાર વધ્યા બાદ તેમને જર્મની લઈ જવામાં આવ્યા હતા. વર્ષ ૧૯૭૦માં તેમણે કેરલના વિધાનસભામાં પુથુપલ્લી મત વિસ્તારમાંથી ચૂંટાઈ આવ્યા હતા. તેમના દીકરા ચાંડી ઓમ્મને મંગળવારે એટલે કે આજે સવારે લગભગ ૫ વાગ્યે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પોતાના પિતાના નિધનના સમાચાર આપ્યા હતા. તેઓ કોટ્ટાયમ જિલ્લામાં પોતાના ગૃહનગર પુથુપલ્લીથી ચૂંટણી લડતા હતા. તેમણે સતત ૧૨ વિધાનસભા ચૂંટણી જીતી હતી.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Waterfalls near Varanasi:વારાણસીથી 100 કિમીની અંદરના પર્યટન સ્થળ

    July 1, 2025

    Sawan Mehndi Design:સાવન માટે 6 સુંદર અને સરળ અરબી મહેંદી ડિઝાઈન્સ

    July 1, 2025

    India-Ghana relations:પીએમ મોદી ઘાના મુલાકાત

    July 1, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.