Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Gujarat»વડોદરા કન્ઝ્‌યુમર ફોરમનો ઐતિહાસિક ચુકાદો મહિલાની સર્જરી વખતે તબીબની બેદરકારી ભારે પડી
    Gujarat

    વડોદરા કન્ઝ્‌યુમર ફોરમનો ઐતિહાસિક ચુકાદો મહિલાની સર્જરી વખતે તબીબની બેદરકારી ભારે પડી

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 17, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    વડોદરાના કન્ઝ્‌યુમર ફોરમે ગ્રાહકની તરફેણમાં એક ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. ઘટનાના ૨૦ વર્ષ બાદ એક મહિલાને ન્યાય મળ્યો છે. ફરજમાં બેદરકારી દાખવવા બદલ તબીબે ફરિયાદીને ૨૧ લાખ રૂપિયાનું વળતર ચૂકવવું પડશે. આ વળતર મહિલાને તકલીફ ઓછી નહીં કરી શકે, પણ બેદરકાર તબીબો માટે સબક છે. તબીબને ધરતી પરના ભગવાન કહેવાય છે કેમ કે તે વ્યક્તિનો જીવ બચાવે છે. જાે કે વડોદરામાં એક મહિલા માટે એક તબીબ દુશ્મન સાબિત થયો છે. તબીબે તેમની સમસ્યા દૂર કરવાની જગ્યાએ અનેક ગણી વધારી દીધી. વર્ષ ૨૦૦૪માં મહિલાની સર્જરી કરવામાં આવી હતી. ફરિયાદી પક્ષનું માનીએ તો શૈલેષ તલાટી નામના તબીબે સર્જરી કરી અને યોગેશ શાહ નામના તબીબે મહિલાને એનેસ્થેસિયા આપ્યું હતું. જાે કે એનેસ્થેસિયાનો ડોઝ વધુ અપાતા નેહા શાહ નામના દર્દી કોમામાં પહોંચી ગયા હતા.

    સર્જરી બાદ મહિલાની હાલતમાં સુધારો થવાની જગ્યાએ બગડતી ગઈ. તેમના પરિવારજનોએ ૩ વર્ષ સુધી હોસ્પિટલો બદલી. મહિલા કોમામાંથી બહાર તો આવ્યા, જાે કે શરીર ૯૦ ટકા કામ કરતું બંધ થઈ જતા આજે પણ પથારીવશ છે. ૨૦૦૭માં મહિલાના પતિ સમીર શાહે કન્ઝ્‌યુમર ફોરમમાં તબીબ સામે કેસ દાખલ કર્યો હતો. પહેલા તો તબીબે પોતાની ભૂલ માનવાનો ઈન્કાર કર્યો. પછી એક લાખ રૂપિયામાં પતાવટ કરવાની પણ ઓફર કરી. જાે કે સમીરભાઈને ન્યાય જાેઈતો હતો.

    કન્ઝ્‌યુમર ફોરમે કેસ દાખલ થયાના ૧૭ વર્ષ બાદ પોતાનો ચુકાદો આપ્યો છે. કોર્ટે ફરિયાદીને ૨૧ લાખ રૂપિયાનું વળતર આપવા તબીબને આદેશ આપ્યો છે. આ વળતર વડોદરાના કન્ઝ્‌યુમર ફોરમના ઈતિહાસમાં સૌથી વધુ વળતર છે. ફરિયાદીએ કન્ઝ્‌યુમર કોર્ટના ચુકાદા સામે સંતોષ વ્યક્ત કર્યો છે, ફરિયાદી સાથે ન્યાય થયો છે. જાે કે એક વ્યક્તિની તકલીફ તેનાથી ઘટી જતી નથી. એક તબીબની બેદરકારી વ્યક્તિને કેટલી ભારે પડી શકે છે, તેનો આ દાખલો છે. આ કેસને જાેતાં સમજી શકાય છે કે તબીબના વ્યવસાયમાં બેદરકારીને કોઈ અવકાશ નથી. આ ચુકાદો આવા તબીબો માટે ચેતવણી સમાન છે, દર્દીઓે પણ પોતાના કાયદાકીય અધિકાર વિશે ખબર હોવી જરૂરી છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Indian cricketer રવિન્દ્ર જાડેજા BJP માં જોડાયા.

    September 5, 2024

    TRAI: ટેલીમાર્કેટિંગ કંપનીઓ સામે મોટી કાર્યવાહી, 50 બ્લેકલિસ્ટ, 8 લાખ ફરિયાદો મળી

    September 3, 2024

    Gujarat: મોરબીમાં NH 27 વાહનવ્યવહાર માટે ફરીથી ખોલવામાં આવ્યો.

    August 30, 2024
    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.