Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»બાગેશ્વર બાબાનો વધુ એક વિવાદ ગળામાં મંગળસૂત્ર ન હોય તો પ્લોટ ખાલી સમજવો : ધિરેન્દ્ર શાસ્ત્રી
    India

    બાગેશ્વર બાબાનો વધુ એક વિવાદ ગળામાં મંગળસૂત્ર ન હોય તો પ્લોટ ખાલી સમજવો : ધિરેન્દ્ર શાસ્ત્રી

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 15, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ચર્ચામાં રહેતાં બાગેશ્વર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ એક નિવેદન આપી મોટો વિવાદ સર્જ્‌યો છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં બાબા પ્રવચન દરમિયાન બોલી રહ્યાં છે કે કોઈ સ્ત્રીના લગ્ન થઈ ગયા હોય તો તેની ઓળખ બે જ રીતે થાય – એક માંગમાં સિંદૂર, બીજુ ગળામાં મંગળસૂત્ર. સારું, માની લો કે માંગમાં સિંદૂર ન હોય અને ગળામાં મંગળસૂત્ર પણ નહોય તો આપણે શું સમજીએ કે ભાઈ આ પ્લોટ હજુ ખાલી છે. તેમના આ નિવેદન પર લોકો ભડક્યાં હતાં. ખાસ કરીને મહિલાઓમાં આ નિવેદનથી ભારે ગુસ્સો દેખાઈ રહ્યો છે.

    અનેક લોકોએ સોશિયલ મીડિયા પર આ વીડિયો શેર કરતાં ગુસ્સો વ્યક્ત કર્યો અને ટીકા પણ કરી હતી. કેટલાક યૂઝર્સે કહ્યું કે આવી વાતો કરનાર વ્યક્તિ ન તો સંત હોઈ શકે અને ન તો કથાવાચક. અનેક મહિલાઓએ આવા વિવાદિત નિવેદન બદલ બાબા સામે રોષ ઠાલવ્યો હતો. એક ટિ્‌વટર યૂઝરે લખ્યું કે અમારે પણ જાણવું છે કે ક્યા ક્યા પ્લોટ ખાલી છે. પહેરો તમે પણ મંગળસૂત્ર અને ભરો માંગ… બાબા બનાવી દીધા છે. શરમ આવે છે કે મહિલાઓ આજે કેવા સમાજમાં જીવી રહી છે. ખરેખર ભાગ્યહીન.

    વીડિયોમાં દેખાય છે કે બાબા બાગેશ્વર કહે છે કે અને માંગમાં સિંદૂર હોય. ગળામાં મંગળસૂત્ર હોય તો આપણે લોકો દૂરથી જ જાેઈએ સમજી જઈએ છીએ કે રજિસ્ટ્રેશન થઈ ગયું છે. આમ તો આ વીડિયોમાં દેખાય છે કે પ્રવચન સાંભળતી મહિલાઓ તાળીઓ વગાડી રહી છે અને હસી રહી છે પણ સોશિયલ મીડિયા હિન્દુ મહિલાઓ તેમના આ નિવેદન પર રોષ વ્યક્ત કરી રહી છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Drinking Poisonous Liquor: અમૃતસરમાં ઝેરી દારૂનો કહેર: 14 લોકોનાં મોત, 5 ગામોમાં હડકંપ

    May 13, 2025

    India-Pakistan Tension: ભારત-પાકિસ્તાન DGMO વચ્ચે આજે મહત્વપૂર્ણ વાતચીત, ભારત આપશે કડક સંદેશ-સીઝફાયરનું ઉલ્લંઘન ન થવું જોઈએ

    May 12, 2025

    Jammu Police દ્વારા હેલ્પલાઈન નંબર જાહેર, લોકોને સતર્ક રહેવાની અપીલ

    May 10, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.