Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»મહારાષ્ટ્રમાં શિવસેનાના બે જૂથ વચ્ચેનું વાક્‌ યુધ્ધ તેજ બન્યું ૨૦ જૂનને ‘વિશ્વ ગદ્દાર દિવસ’ તરીકે માન્યતા આપવા સંજય રાઉતની માગ
    India

    મહારાષ્ટ્રમાં શિવસેનાના બે જૂથ વચ્ચેનું વાક્‌ યુધ્ધ તેજ બન્યું ૨૦ જૂનને ‘વિશ્વ ગદ્દાર દિવસ’ તરીકે માન્યતા આપવા સંજય રાઉતની માગ

    Shukhabar DeskBy Shukhabar DeskJune 21, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    મહારાષ્ટ્રમાં શિવસેનાના બે જૂથો બન્યા બાદ રાજ્યનું રાજકારણ ગરમાયું છે. શિવસેના (ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે) અને બીજેપી-શિવસેના (શિંદે જૂથ) વચ્ચે વાક યુદ્ધ સતત તેજ બની રહ્યું છે. ઉદ્ધ જૂથના નેતા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉતે સંયુક્ત રાષ્ટ્ર સામે અજીબ માંગ રાખી છે.
    સંજય રાઉતે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસને પત્ર લખ્યો છે. સંજય રાઉતે યુએનને લખેલા પત્રમાં કહ્યું છે કે, ૨૦ જૂનને ‘વિશ્વ ગદ્દાર દિવસ’ તરીકે માન્યતા આપવી જાેઈએ. રાઉતે કહ્યું કે જે રીતે ૨૧ જૂને વિશ્વ યોગ દિવસ મનાવવામાં આવે છે તેવી જ રીતે ૨૦ જૂનને ‘વિશ્વ ગદ્દાર દિવસ’ તરીકે ઉજવવો જાેઈએ.
    શિવસેના સાંસદે પોતાના પત્રમાં લખ્યું કે, હું ૨૦ જૂનને વિશ્વ ગદ્દાર દિવસ તરીકે ઉજવવાની અપીલ સાથે આ પત્ર લખી રહ્યો છું. મારી પાર્ટી શિવસેના (યુબીટી)નું નેતૃત્વ ઉદ્ધવ ઠાકરે કરે છે અને તેઓ મહારાષ્ટ્રના સીએમ રહી ચૂક્યા છે.સંજય રાઉતે આગળ લખ્યું કે- ‘૨૦ જૂન ૨૦૨૨ના રોજ બીજેપીના ખોળે બેસી એકનાથ શિંદેએ અમારા ૪૦ ધારાસભ્યોને લઈને પાર્ટી સાથે બળવો કર્યો હતો. ત્યારે દરેકને ૫૦-૫૦ કરોડ રૂપિયા મળ્યા હતા. બીજેપીએ ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ વાળી મહાવિકાસ અઘાડીની સરકારને પાડવા માટે પોતાના સમગ્ર બળનો ઉપયોગ કર્યો હતો. એકનાથ શિંદેના નેતૃત્વમાં ૪૦ ધારાસભ્યોએ અમારી પીઠ પાછળ વાર કર્યો હતો. તેમની સાથે ૧૦ અપક્ષ ધારાસભ્યો પણ હતા.’
    આ અગાઉ ૧૯ જૂને શિવસેનાનો ૫૭મો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો હતો. સ્થાપના દિવસ નિમિત્તે એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે જૂથે અલગ-અલગ સ્થળોએ કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. શિવસેનામાં વિભાજન બાદ પાર્ટીનું નામ અને પ્રતીક ‘તીર-ધનુષ’ શિંદે જૂથને ફાળવવામાં આવ્યું હતું. બીજી તરફ ઉદ્ધવ ઠાકરે જૂથનું નામ શિવસેના (યુબીટી) રાખવામાં આવ્યું હતું.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Air India Flight Emergency Landing: 156 મુસાફરો સાથે ઈમરજન્સી લેન્ડિંગ કરાવતી વખતે વિમાનમાં સર્જાયુ ગંભીર પરિસ્થિતિ

    June 13, 2025

    PM Modi On Operation Sindoor: પીએમ મોદીએ ગુજરાતમાંથી પાકિસ્તાનને ફરી ચેતવણી આપી

    May 26, 2025

    Rajiv Gandhi Death Anniversary: રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ આપતાં રાહુલ ગાંધી થયા ભાવુક

    May 21, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.