Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»ઈન્ફોસિસિના સહસ્થાપકે ગ્રેજ્યુએશનની ડિગ્રી આઈઆઈટી-બોમ્બેમાંથી જ મેળવી છે નંદન નિલેકણીએ આઈઆઈટી-બોમ્બેને ૩૧૫ કરોડ આપવાની જાહેરાત કરી
    India

    ઈન્ફોસિસિના સહસ્થાપકે ગ્રેજ્યુએશનની ડિગ્રી આઈઆઈટી-બોમ્બેમાંથી જ મેળવી છે નંદન નિલેકણીએ આઈઆઈટી-બોમ્બેને ૩૧૫ કરોડ આપવાની જાહેરાત કરી

    Shukhabar DeskBy Shukhabar DeskJune 21, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    નવી દિલ્હી, તા.૨૦
    ઈન્ફોસિસના સહ-સ્થાપક નંદન નિલેકણીએ દેશની એક પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાને કરોડો રૂપિયા આપવાની જાહેરાત કરી છે. એક પ્રેસ રિલીઝ અને ટ્‌વીટ દ્વારા માહિતી મળી છે કે, નંદન નિલેકણીએ આઈઆઈટી-બોમ્બેને ૩૧૫ કરોડ રૂપિયા આપવાનું એલાન કર્યું છે.
    મળતી માહિતી પ્રમાણે નંદન નીલેકણી તરફથી આ નાણાકીય યોગદાન તેમના દ્વારા અગાઉ કરવામાં આવેલા રૂ. ૮૫ કરોડ કરતાં વધુ અનુદાન છે, જે તેમના કુલ યોગદાનને રૂ. ૪૦૦ કરોડ સુધી લઈ જાય છે. વાસ્તવમાં નંદન નીલેકણીએ પોતાની ગ્રેજ્યુએશનની ડિગ્રી આઈઆઈટી-બોમ્બેમાંથી જ મેળવી છે જે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં હતી.
    નંદન નીલેકણીએ જણાવ્યું હતું કે, “આઈઆઈટી-બોમ્બેએ મારા જીવનનો આધારશિલા રહ્યો છે, જે મારા શરૂઆતના વર્ષોને આકાર આપી રહ્યો છે અને મારી સફરનો પાયો નાખ્યો છે. આ દાન માત્ર એક નાણાકીય યોગદાન કરતાં વધુ છે; આ સ્થળને મારા તરફથી શ્રદ્ધાંજલિ છે. જેણે મને ઘણું બધું આપ્યું છે અને વિદ્યાર્થીઓ માટે પ્રતિબદ્ધતા આપી છે જે આવતીકાલે આપણી દુનિયાને આકાર આપશે.
    આ દાન માટે આજે બેંગ્લોરમાં એક મેમોરેન્ડમ ઓફ અંડરટેકિંગ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જે નંદન નિલેકણી અને પ્રોફેસર શુભાશીષ ચૌધરીએ કર્યું હતું. પ્રોફેસર ચૌધરી આઈઆઈટી-બોમ્બેના ડિરેક્ટર છે.
    આ દાન આઈઆઈટીબોમ્બેમાં વર્લ્ડ ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન આપવામાં, એન્જિનિયરિંગ અને ટેક્નોલોજીના ઉભરતા ક્ષેત્રોમાં સંશોધનને પ્રોત્સાહિત કરવામાં અને સમૃદ્ધ ટેક સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને વિકસાવવામાં મદદ કરશે.
    આઈઆઈટી-બોમ્બેના ડાયરેક્ટર શુભાશીષ ચૌધરીએ જણાવ્યું કે, આ દાન આઈઆઈટી બોમ્બેના વિકાસને મોટા પ્રમાણમાં વેગ આપશે અને તેને વૈશ્વિક નેતૃત્વના માર્ગ પર નિશ્ચિતપણે સ્થાપિત કરશે. નંદનનું યોગદાન ભારતની યુનિવર્સિટીઓમાં સંશોધન અને વિકાસને આગળ વધારવા માટે પરોપકારી યોગદાનને વધુ પ્રોત્સાહિત કરશે.
    નંદન નિલેકણી ૨૦૦૯ થી ૨૦૧૪ સુધી કેબિનેટ મંત્રીના રેન્કમાં યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (યુએડીએઆઈ)ના ફાઉન્ડર પ્રેસિંડેંટ હતા.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    IndiGo: 1,600 ફ્લાઇટ્સ રદ, DGCA નારાજ – ઇન્ડિગો દૈનિક રિપોર્ટ સબમિટ કરશે

    December 11, 2025

    DRDO Jobs: 764 જગ્યાઓ માટે મોટી ભરતી, અરજીઓ ખુલી

    December 11, 2025

    SC: “સમાજમાં ફરવાનો કોઈ અધિકાર નથી” – એસિડ હુમલાખોરો પર સુપ્રીમ કોર્ટનું મોટું નિવેદન

    December 11, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.