Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Entertainment»આમિરની દીકરી નવી પેઢીમાં ખૂબ જ લોકપ્રિય છે, આમિરના છૂટાછેડા બાદ દીકરી આયરા દોઢ વર્ષ સુધી ડિપ્રેશન રહી
    Entertainment

    આમિરની દીકરી નવી પેઢીમાં ખૂબ જ લોકપ્રિય છે, આમિરના છૂટાછેડા બાદ દીકરી આયરા દોઢ વર્ષ સુધી ડિપ્રેશન રહી

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 12, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    આમિર ખાનની દીકરી આયરા ખાન છેલ્લા ઘણા સમયથી ડિપ્રેશન સામે ઝઝૂમી રહી છે, આખરે તેણે મીડિયા સામે પોતાની માનસિક સમસ્યાઓ વિશે ખુલીને વાત કરી. આયરા ખાન આમિર ખાનની પહેલી પત્ની રીના દત્તાની દીકરી છે. સ્ટાર કિડે તેના માતા-પિતાના છૂટાછેડા અને તેના જીવનમાં તેની ખરાબ અસર વિશે ખુલીને વાત કરી હતી. આયરા ખાને જેઓ સોશિયલ મીડિયાની નવી પેઢીમાં ખૂબ જ લોકપ્રિય છે, તેણે વાતચીતમાં તેના હતાશા અંગે કહ્યું કે, તેણીએ તેના સ્વભાવમાં એવો બદલાવ જાેયો કે, લગભગ આખો દિવસ સૂવામાં અને રડવામાં પસાર થઈ જાય છે. તેણીએ કહ્યું, ‘મારી માતાને જાણવા મળ્યું કે હું જીવવા માંગતી નથી, તેથી હું ફક્ત સૂઈ જતી, જેથી થોડા દિવસો જ જીવવા મળે.

    આયરા ખાને ખુલાસો કર્યો કે, પિતા આમિર ખાન અને માતા રીના દત્તાના છૂટાછેડા પછી તેને ખરાબ લાગ્યું પરંતુ તેણે કોઈને કહ્યું નહીં, કારણ કે તે ઈચ્છતી ન હતી કે, કોઈ તેની ચિંતા કરે. તે કહે છે, ‘આ તબક્કો મારા જીવનમાં લગભગ દોઢ વર્ષ સુધી ચાલ્યો. મેં ચાર દિવસથી ભોજન લીધું નથી. જાેકે, સ્ટાર કિડે એમ પણ કહ્યું કે, માતાપિતાના છૂટાછેડાની વધુ અસર થઈ નથી, કારણ કે તેઓ પરસ્પર સંમતિથી અલગ થયા હતા. સ્ટાર કિડે કહ્યું કે, તે ‘સાયકલિકલ ડિપ્રેશન’થી પીડિત છે અને કહ્યું કે, તેના પરિવારમાં આનુવંશિક રીતે માનસિક સ્વાસ્થ્યની સમસ્યા છે. ૨૬ વર્ષની આયરા ખાને કહ્યું કે, ‘દર ૮-૧૦ મહિના પછી હું તૂટી જતી હતી. આના પાછળ કેટલાક આનુવંશિક, કેટલાક માનસિક અને કેટલાક સામાજિક કારણો હતા. મને આ સમજવામાં થોડો સમય લાગ્યો.

    મેં સ્વાસ્થ્યની સારી પસંદગીઓ પણ કરી ન હતી અને હું ધીમે ધીમે ડિપ્રેશનમાં સરી પડ્યો. ગયા વર્ષે જુલાઈમાં હું ખૂબ જ ડાઉન હતો. મેં મારી દવાઓ લેવાનું બંધ કરી દીધું હતું અને ઘણું વજન વધી ગયું હતું. મેં સ્વસ્થ જીવનશૈલી સામે માનસિક અવરોધ ઊભો કર્યો હતો. આયરાએ માનસિક સમસ્યાઓથી પીડિત લોકોની મદદ માટે ‘અગસ્તુ ફાઉન્ડેશન’ શરૂ કર્યું છે, જેમાં સ્ટાર કિડના માતા-પિતા આમિર-રીના સલાહકાર બોર્ડના સભ્ય છે. આયરાને મુશ્કેલ સમયમાં તેના પરિવારનો સાથ મળ્યો, તેથી તે તેના જીવનમાં ખુશ છે. આમિર અને રીના (૫૮) વર્ષ ૨૦૦૨માં અલગ થઈ ગયા હતા. પૂર્વ દંપતીને બે બાળકો છે, પુત્રી આયરા સિવાય તેમને જુનૈદ નામનો પુત્ર છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      Amitabh Bachchan: અયોધ્યામાં જમીન ખરીદવા અમિતાભ બચ્ચને મોડી રાત્રે કર્યો ફોન, જાણો કેવી રીતે થઈ ₹૧૫ કરોડની એ મેગા ડીલ!

      July 6, 2026

      Samantha Net Worth: સાઉથની સૌથી અમીર અભિનેત્રીઓમાંની એક સામંથા!

      June 20, 2026

      Vijay Once Filed Case Against Parents: રાજકારણ માટે પિતા સામે કેસ કરનાર વિજય હવે સંભાળશે રાજ્યની કમાન

      May 12, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.