Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Gujarat»પ્રેમલગ્નનો કરુણ અંજામ નિકોલમાં રહેતી એક ગર્ભવતી પરિણીતાએ આપઘાત કર્યો
    Gujarat

    પ્રેમલગ્નનો કરુણ અંજામ નિકોલમાં રહેતી એક ગર્ભવતી પરિણીતાએ આપઘાત કર્યો

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 11, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    અમદાવાદના નિકોલ વિસ્તારમાં રહેતી એક ગર્ભવતી પરિણીતાએ આપઘાત કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. ૨૦ વર્ષની ભારતી એ ધવલ ચૌહાણ નામના યુવક સાથે પ્રેમલગ્ન કર્યા હતા. જાેકે લગ્નના નવ મહિનામાં જ પતિ ધવલ અને સાસુ જ્યોતિબેનના ત્રાસથી ભારતીએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે.
    ભારતી ગર્ભવતી હોવા છતાં સાસરિયા તરફથી હેરાનગતિ એટલી વધારે હતી કે તેને આપઘાત કરવાની ફરજ પડી. ગત તારીખ ૨૮ એપ્રિલના દિવસે ભારતી પોતાના સાસરીમાં હતી ત્યારે પતિ અને સાસુ સાથે અગમ્ય કારણસર ઝઘડો થતા તેને છઠ્ઠા માળેથી નીચે પડતું મૂક્યું હતું. આ આપઘાત કેસની તપાસ દરમ્યાન પોલીસને પતિ અને સાસુના માનસિક અને શારીરિક ત્રાસની માહિતી મળતા નિકોલ પોલીસે માતા પુત્ર વિરુદ્ધ દુષપ્રેરણાનો ગુનો નોંધીને બંને આરોપીની ધરપકડ કરી છે.

    એક વર્ષ પહેલાં ભારતી અને કુણાલ પરિચયમાં આવ્યા હતા અને બન્ને પ્રેમ સંબંધમાં જાેડાયા હતા. ભારતીએ પોતાના પરિવારની મરજી વિરુદ્ધ થઈને ધવલ સાથે પ્રેમ લગ્ન કર્યા અને નિકોલ રહેવા આવી ગઈ હતી. મહત્વનુ છે કે ધવલ લોડિગ રીક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. લગ્ન બાદ પતિ પત્ની વચ્ચે ઝઘડા વધ્યા હતા.ભારતી ગર્ભવતી થઈ હતી તેમ છતાં ધવલ માનસિક અને શારિરીક ત્રાસ આપતો હતો. પતિ અને સાસુના ત્રાસને લઈને ભારતીએ પોતાની માતા અને બહેનને જાણ કરી હતી. પ્રેમલગ્ન કર્યા હોવાથી તે પોતાના માતાના ઘરે જઈ શક્તિ ન હતી.જેથી કંટાળીને ભારતીએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. નિકોલમાં આપઘાત કેસમાં પોલીસે માતા પુત્રની ધરપકડ કરીને મેડિકલ તપાસ કરાવી. આ બન્ને આરોપીને કોર્ટમાં રજૂ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ આપઘાત પાછળ અન્ય કોઈ કારણ છે કે નહીં તે મુદ્દે પણ તપાસ પોલીસે શરૂ કરી.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Rain casualty Faridabad:ફરીદાબાદ અકસ્માત, કાનપુરના 6 મજૂરમાં 2ના મોત, 4 ઘાયલ

    July 10, 2025

    Gujarat Bridge Collapse: મહિસાગર નદી પર પુલ તૂટી પડતાં 13નાં મોત, સરકારની તાત્કાલિક કાર્યવાહી

    July 9, 2025

    Panchayat corruption: દેવરિયામાં મૃત વ્યક્તિને મજૂરી મળતી રહી!

    July 9, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.