Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»હૈદ્રાબાદમાં છાત્રોની આત્મહત્યાના કિસ્સા વધ્યા હૈદ્રાબાદમાં સ્મ્મ્જીના છાત્રની હાથની નસ કાપીને આત્મહત્યા
    India

    હૈદ્રાબાદમાં છાત્રોની આત્મહત્યાના કિસ્સા વધ્યા હૈદ્રાબાદમાં સ્મ્મ્જીના છાત્રની હાથની નસ કાપીને આત્મહત્યા

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 10, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    તેલંગાણાના હૈદરાબાદમાં હાલના દિવસોમાં આપઘાતના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. આ ક્રમમાં હવે એમબીબીએસના વિદ્યાર્થીએ બ્લેડ વડે હાથની નસ કાપીને આપઘાત કરી લીધો છે. આપઘાતનો આ મામલો જગતગીરીગુટ્ટા વિસ્તારનો છે. મળેલ માહિતી અનુસાર આ ૨૧ વર્ષીય વિદ્યાર્થી છેલ્લા કેટલાક સમયથી ડિપ્રેશનમાંથી પસાર થઈ રહ્યો હતો. આ માટે તે સારવાર પણ લઈ રહ્યો હતો. પરંતુ છેલ્લા બે મહિનાથી વિદ્યાર્થીએ ડિપ્રેશન વિરોધી દવાઓ લેવાનું બંધ કરી દીધું હતું.

    મળેલા અહેવાલો અનુસાર મૃતકના પરિજનોએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીએ ગઈકાલે ભોજન કર્યું હતું. પછી પોતાના રૂમમાં ચાલ્યો ગયો હતો. જે બાદ પરિવારજનો કોઈ કામ માટે ઘરની બહાર ગયા હતા. જ્યારે તેઓ ઘરે પરત ફર્યા ત્યારે તેમણે તેમના પુત્રની લાશ લોહીથી લથપથ હાલતમાં પલંગ પર પડેલી મળી હતી. તેની પાસે બ્લેડ પણ હતી. આ બધું જાેઈને તેઓ ડરી ગયા હતા. તેઓએ તરત જ તેને હોસ્પિટલ લઈ ગયા હતા. પરંતુ અહીં ડોકટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. ત્યારબાદ માતા-પિતાએ આ અંગે પોલીસને જાણ કરી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.

    તેઓ દરેક એંગલથી મામલાની તપાસ કરી રહ્યા છે. પરંતુ અત્યાર સુધીની તપાસમાં આ આપઘાતનો મામલો જણાઈ રહ્યો છે. હાલ પોલીસની તપાસ ચાલુ છે.આ અગાઉ નિઝામપેટના બાચુપલ્લીમાં ૧૬ વર્ષની એક વિદ્યાર્થીનીએ હોસ્ટેલના પાંચમા માળેથી કૂદીને આપઘાત કર્યો હતો.

    પોલીસના જણાવ્યા અનુસાર વિદ્યાર્થિનીનો મૃતદેહ લોહીથી લથપથ જમીન પર પડેલો જાેવા મળ્યો હતો, ત્યારબાદ કોલેજ પ્રશાસનને તેની જાણ કરવામાં આવી હતી.કોલેજ પ્રશાસનને માહિતી મળ્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. આ વિદ્યાર્થીની કામારેડ્ડી શહેરની રહેવાસી હતી અને બાચુપલ્લીમાં કોલેજની હોસ્ટેલમાં રહેતી હતી.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Jammu Police દ્વારા હેલ્પલાઈન નંબર જાહેર, લોકોને સતર્ક રહેવાની અપીલ

    May 10, 2025

    Indian Army Press Conference: કર્નલ સોફિયાએ MEA પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું- PAK દ્વારા કરવામાં આવેલા બધા હુમલા નિષ્ફળ ગયા

    May 10, 2025

    PIB fact check: પાકિસ્તાને ભારતીય પાયલટને પકડ્યો? ફાઈટર જેટ ક્રેશ થયો? PAКના 3 દાવાઓ, PIB ફેક્ટ ચેક દ્વારા પોલ ખોલી

    May 10, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.