Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Gujarat»અમદાવાદમાં વધુ એક યુવતીએ પતિના ત્રાસથી કંટાળી આપઘાત કર્યો અનૈતિક સંબંધની લડાઈમાં પત્નીએ આપઘાત કરીને જીવનનું અંતિમ પગલું ભર્યુ
    Gujarat

    અમદાવાદમાં વધુ એક યુવતીએ પતિના ત્રાસથી કંટાળી આપઘાત કર્યો અનૈતિક સંબંધની લડાઈમાં પત્નીએ આપઘાત કરીને જીવનનું અંતિમ પગલું ભર્યુ

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 6, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    અમદાવાદમાં નારોલ વિસ્તારમાં એક યુવતીએ પતિના અનૈતિક સંબધ અને તેની પૈસાની લાલચને કારણે કંટાળીને આત્મહત્યા કરી છે. વાત અનૈતિક સબંધો કે પૈસાની લાલચથી નથી અટકતી પણ પોતાની ત્રણ મહિનાની દીકરીને પણ તેનાથી અલગ કરી પોતાના માતા પિતા પાસે મોકલી દીધી હતી. આખરે કંટાળીને પત્નીએ આપઘાત કર્યો હતો.
    આરોપી રજત હુંડાનાં ત્રાસથી તેની પત્ની અનુએ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે. રજતે અન્ય યુવતી સાથે અનૈતિક સંબંધ બનાવ્યા તેમજ બાળકીના જન્મ બાદ તેને પોતાની માતા પાસે મુકી આવીને પત્નીને નોકરી કરવા દબાણ કર્યું.

    એટલું જ નહીં પત્ની દીકરી માટે કરગરતી હતી છતાં તેને દિકરીને મળવા ન દીધી. પતિના અનૈતિક સંબંધ અને લાલચ તેમજ દીકરીના વિયોગ વચ્ચે અનુએ આત્મહત્યા કરીને અંતિમ પગલું ભર્યું.
    નારોલ પોલીસે પરિણીતાના આપઘાત કેસમાં આરોપી પતિ રજત હુંડાની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી. મૂળ હરિયાણાના મનોજકુમાર જાટ અમદાવાદમાં કન્સ્ટ્રક્શન અને હોટેલનું બિઝનેસ કરે છે તેમની ત્રણ બહેનો છે. જેમાં અનુ નામની બહેનના લગ્ન દોઢ વર્ષ પહેલાં રજત હુંડા સાથે થયા હતા. લગ્ન બાદ રજત અને અનુ પોતાના વતનમાં થોડાક મહિના રહ્યા બાદ અમદાવાદ આવ્યા હતા પોતાની બહેન અમદાવાદમાં સુખી રહે અને તેને કોઈ તકલીફ ન પડે તે માટે ભાઈએ પોતાની હોટલમાં રજતને મેનેજર તરીકે નોકરી માટે રાખ્યો હતો.

    લગ્નના થોડા સમય બાદ પતિ પત્ની વચ્ચે ઝઘડાઓ થતા હતા. જે દરમ્યાન અનુ ગર્ભવતી થઈ હતી તે સમયે પતિ રજત અન્ય યુવતીઓ સાથે અનૈતિક સંબધ શરૂ કર્યા હતા. જેની જાણ અનુને થતા બંને વચ્ચે ફરી ઝઘડો શરૂ થયો હતો. ઝઘડો એટલો ઉગ્ર થતા રજત અનુને માર પણ મારતો હતો.
    આ હેરાનગતિને લઈને અનુએ પોતાના પરિવારને જાણ કરી, પરંતુ પરિવારે ઘર સંસાર સાચવાની સલાહ આપી હતી. આ દરમ્યાન અનુએ બાળકીને જન્મ આપ્યો અને બાળકીને જન્મ બાદ પણ રજતે તેની આ હરકત ચાલુ રહી હતી અને પૈસાની લાલચમાં રજતે અનુને નોકરી કરવા માટે દબાણ શરૂ કર્યું હતું,

    પરંતુ બાળકી નાની હોવાથી તેણે નોકરી કરવાની ના પાડી એટલે રજત ચાર મહિનાની બાળકીને તેની માતા પાસે વતનમાં મૂકી આવ્યો હતો. જેથી અનુ બાળકી વગર સતત પરેશાન થતી હતી.
    પરણીતાના આપઘાત કેસમાં પોલીસે મૃતકના ભાઈની ફરિયાદ લઈને દુષ્પપ્રેરણાનો ગુનો નોંધીને રજત હુંડાની ધરપકડ કરી છે. જાેકે અનુએ પોતાના ભાઈને આપઘાત પહેલા પતિની હરકતો વિશે જાણ કરી હતી જેથી ઓડિયો રેકોડીગ હ્લજીન્ માં મોકલી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Indian cricketer રવિન્દ્ર જાડેજા BJP માં જોડાયા.

    September 5, 2024

    TRAI: ટેલીમાર્કેટિંગ કંપનીઓ સામે મોટી કાર્યવાહી, 50 બ્લેકલિસ્ટ, 8 લાખ ફરિયાદો મળી

    September 3, 2024

    Gujarat: મોરબીમાં NH 27 વાહનવ્યવહાર માટે ફરીથી ખોલવામાં આવ્યો.

    August 30, 2024
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.