Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»કોચી એરપોર્ટ પરની ઘટના સ્પાઈસ જેટની દુબઈથી કોચી આવતી ફ્લાઈટનું ટાયર ફાટ્યું
    India

    કોચી એરપોર્ટ પરની ઘટના સ્પાઈસ જેટની દુબઈથી કોચી આવતી ફ્લાઈટનું ટાયર ફાટ્યું

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 5, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    દુબઈથી કોચી આવી રહેલી સ્પાઈસજેટની ફ્લાઈટનું ટાયર લેન્ડિંગ વખતે જ ફાટી ગયું હતું. સદ્‌નસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. દુબઈથી કોચી આવી રહેલી સ્પાઈસજેટની ફ્લાઈટ એસજી-૧૭ દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. એરલાઈનના પ્રવક્તાએ આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ ના થઈ હોવાનું જણાવ્યું છે. મંગળવારે સવારે કોચી એરપોર્ટ પર આ ઘટના બની હતી. સ્પાઈસજેટની કોચી આવી રહેલી ફ્લાઈટમાં દુર્ઘટના ટળી હતી. મંગળવારે સવારે સ્પાઈસજેટની ફ્લાઈટ કોચી એરપોર્ટ પર લેન્ડ થઈ એ વખતે તેનું ટાયર ફાટી ગયું હતું. દુબઈથી આવી રહેલી જીય્-૧૭ ફ્લાઈટ કોચી એરપોર્ટ પર લેન્ડ થઈ એ વખતે ટાયર ફાટવાની ઘટના બની છે. જાેકે, એરલાઈનના પ્રવક્તાનું કહેવું છે કે, ટાયર ફાટવા છતાં લેન્ડિંગ સુરક્ષિત રીતે થયું હતું અને કોઈ જાનમાલની હાનિ થઈ નથી.

    સ્પાઈસજેટના પ્રવક્તાએ મીડિયાને જણાવ્યું કે, “૪ જુલાઈના રોજ સ્પાઈસજેટ બોઈંગ ૭૩૭ ઓપરેટેડ ફ્લાઈટ જીય્-૧૭ દુબઈથી કોચી આવી રહી હતી. ફ્લાઈટ વૉક પછી ખબર પડી કે, બીજા નંબરનું ટાયર ફાટી ગયું છે. ફ્લાઈટ ઉડ્યા પછી અને ઉડાણ દરમિયાન પણ સિસ્ટમ બધા જ માપદંડો અનુસાર સામાન્ય રહી હતી અને લેન્ડિંગમાં પણ કોઈ તકલીફ નહોતી થઈ.
    ઉલ્લેખનીય છે કે, સ્પાઈસજેટ દેશની સૌથી લેટલતીફ ફ્લાઈટ છે. તેની મોટાભાગની ફ્લાઈટો મોડી પડતી હોવાના રિપોર્ટ્‌સ આવ્યા છે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, મે મહિનામાં દેશના ચાર સૌથી મોટા એરપોર્ટ દિલ્હી, મુંબઈ, બેંગાલુરુ અને હૈદરાબાદથી સ્પાઈસજેટની ફક્ત ૬૧ ટકા ફ્લાઈટ સમયસર ઉપડી હતી, તેવી વિગતો ડીજીસીએ પાસેથી મળી છે. સ્પાઈસજેટની રોજની ૨૫૦ ફ્લાઈટ ઉડાણ ભરે છે.

    સમયબદ્ધતાની દ્રષ્ટિએ દેશની બીજી સૌથી મોટી ફ્લાઈટ એર ઈન્ડિયા પણ બીજા સ્થાનેથી સરકીને પાંચમા સ્થાને આવી ગઈ હતી. નવી લોન્ચ થયેલી અકાસા એર સમયબદ્ધતાના મામલે દેશમાં ટોચ સ્થાને રહી હતી.
    કોરોનાકાળ પછી એવિએશન માર્કેટમાં ભારે ધસારો જાેવા મળી રહ્યો છે અને માગ વધી રહી છે, પરિણામે વધુ ફ્લાઈટ્‌સ ડીલે થઈ રહી હોવાની માહિતી મળી છે. ઉપરાંત છેલ્લા ચાર વર્ષથી સ્પાઈસજેટ આર્થિક સંકડાશનો સામનો કરી રહી છે અને તેના કારણે બળતામાં ઘી હોમાયું છે. આ સિવાય મે મહિનામાં સ્કૂલમાં વેકેશનની સીઝન હોવાથી લોકોનું ટ્રાવેલિંગ વધી જાય છે અને તેના કારણે ફ્લાઈટની માગ સામાન્ય કરતા વધારે રહે છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    PM Modi Adampur Air Base: ઓપરેશન સિન્દૂર બાદ PM મોદીની સાહસિક જવાનો સાથે વાતચીત, આદમપુર એરબેસ પર પહોંચ્યા

    May 13, 2025

    India Pakistan Conflict: પાકિસ્તાનનો કબૂલનામો: ભારતની જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનના 11 સૈનિકો મર્યા, 78 ઘાયલ

    May 13, 2025

    Drinking Poisonous Liquor: અમૃતસરમાં ઝેરી દારૂનો કહેર: 14 લોકોનાં મોત, 5 ગામોમાં હડકંપ

    May 13, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.