Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Cricket»ભારતીય મહિલા ટીમ ૩ ટી૨૦-વન-ડે રમવાની છે બાંગ્લાદેશના પ્રવાસ માટે ભારતીય મહિલા ટીમ જાહેર
    Cricket

    ભારતીય મહિલા ટીમ ૩ ટી૨૦-વન-ડે રમવાની છે બાંગ્લાદેશના પ્રવાસ માટે ભારતીય મહિલા ટીમ જાહેર

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 3, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    મહિલા પસંદગી સમિતિએ બાંગ્લાદેશ સામેની ત્રણ મેચની ટી૨૦ અને વન-ડેસિરીઝ માટે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની જાહેરાત કરી છે. આ સિરીઝની તમામ ૬ મેચો મીરપુરના શેર-એ-બાંગ્લા નેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. ફાસ્ટ બોલર રેણુકા સિંહ, વિકેટકીપર-બેટ્‌સમેન રિચા ઘોષ, અનુભવી ઓલરાઉન્ડર શિખા પાંડે અને ડાબોડી સ્પિનર રાજેશ્વરી ગાયકવાડને બાંગ્લાદેશ સામે ૯ જુલાઈથી શરૂ થનારી સિરીઝ માટે ટીમ ઈન્ડિયામાં સ્થાન મળ્યું નથી.

    બીસીસીઆઈએ અખબારી યાદીમાં એ માહિતી પણ નથી આપી કે આ ત્રણને ટીમમાં શા માટે સામેલ કરવામાં આવ્યા નથી. રિચા ઘોષની ગેરહાજરીએ આસામની ઉમા છેત્રી માટે દરવાજા ખોલી દીધા છે. જે ટી૨૦ અને વન-ડેબંને ટીમોમાં યાસ્તિકા ભાટિયા પછી બીજી વિકેટકીપર છે. ૨૦ વર્ષીય ઉમા ભારત એટીમનો ભાગ હતી જેણે હોંગકોંગમાં એસીસીઇમર્જિંગ નેશન્સ ટુર્નામેન્ટ જીતી હતી.
    કેરળની ઓલરાઉન્ડર મિન્નુ મણિ, સ્પિનર અનુષા બરેડ્ડી અને ઉત્તર પ્રદેશની રાશિ કનોજિયાને ટી૨૦ અને વન-ડેમાટે ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. હરમનપ્રીત કૌર બંને ટીમનું નેતૃત્વ કરશે જ્યારે સ્મૃતિ મંધાના વાઈસ કેપ્ટન હશે.

    બાંગ્લાદેશનો આ પ્રવાસ ભારતીય મહિલા ટીમ માટે વ્યસ્ત ક્રિકેટ પ્રવાસની શરૂઆત છે. ટીમ ઈન્ડિયા આગામી ૬ મહિનામાં ન્યૂઝીલેન્ડ, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરશે. આ સાથે જ ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે મલ્ટી ફોર્મેટમાં ટેસ્ટ રમશે. રમેશ પોવારને પદ પરથી હટાવ્યા બાદ મહિલા ટીમના કોચનું પદ ખાલી છે. ત્યારથી, ભારતના પૂર્વ ઓલરાઉન્ડર હૃષિકેશ કાનિતકર વચગાળામાં આ પદ સંભાળી રહ્યા છે. કાનિતકર મે મહિનામાં ફિટનેસ

     

    કેમ્પનો પણ ભાગ હતા.
    ભારતની ટી૨૦ ટીમ ઃ હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ-કેપ્ટન), દીપ્તિ શર્મા, શેફાલી વર્મા, જેમિમાહ રોડ્રિગ્સ, યાસ્તિકા ભાટિયા (વિકેટકીપર), હરલીન દેઓલ, દેવિકા વૈદ્ય, ઉમા છેત્રી (વિકેટકીપર), અમનજાેત કૌર, એસ મેઘના, પૂજા વસ્ત્રકર, મેઘના સિંહ, અંજલિ સરવાની, મોનિકા પટેલ, રાશિ કનોજિયા, અનુષા બારેડ્ડી, મિન્નું મણિ.
    ભારતની વનડે ટીમ ઃ હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ-કેપ્ટન), દીપ્તિ શર્મા, શેફાલી વર્મા, જેમિમાહ રોડ્રિગ્સ, યાસ્તિકા ભાટિયા (વિકેટકીપર), હરલીન દેઓલ, દેવિકા વૈદ્ય, ઉમા છેત્રી (વિકેટકીપર), અમનજાેત કૌર, પ્રિયા પુનિયા, પુજા, પૂજા વસ્ત્રકર, મેઘના સિંહ, અંજલિ સરવાની, મોનિકા પટેલ, રાશિ કનોજિયા, અનુષા બારેડ્ડી, સ્નેહ રાણા.

    ભારતીય ટીમનો બાંગ્લાદેશ પ્રવાસ
    ૯ જુલાઈ, પ્રથમ ટી૨૦ શેર-એ-બાંગ્લા નેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, મીરપુર બપોરે ૧ઃ૩૦ વાગ્યે
    ૧૧ જુલાઈ, બીજી ટી૨૦ શેર-એ-બાંગ્લા નેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, મીરપુર બપોરે ૧ઃ૩૦ વાગ્યે
    ૧૩ જુલાઈ, ત્રીજી ટી૨૦ શેર-એ-બાંગ્લા નેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, મીરપુર બપોરે ૧ઃ૩૦ વાગ્યે
    ૧૬ જુલાઈ, પ્રથમ વન-ડેશેર-એ-બાંગ્લા નેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, મીરપુર સવારે ૯ઃ૦૦ વાગ્યે
    ૧૯ જુલાઈ, બીજી વન-ડેશેર-એ-બાંગ્લા નેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, મીરપુર સવારે ૯ઃ૦૦ વાગ્યે
    ૨૨ જુલાઈ, ત્રીજી વન-ડેશેર-એ-બાંગ્લા નેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, મીરપુર સવારે ૯ઃ૦૦ વાગ્યે

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Sarfaraz Khan: બુચી બાબુ ટુર્નામેન્ટનો હીરો સરફરાઝ, ઈજાને કારણે હવે ટીમની બહાર

    August 31, 2025

    T20 Cricket: સલમાન નિજારે માત્ર 2 ઓવરમાં કમાલ કરી, 12 બોલમાં 11 છગ્ગા ફટકાર્યા!

    August 30, 2025

    Education: અમેરિકામાં અભ્યાસ: રહેવાનો વાસ્તવિક ખર્ચ કેટલો છે?

    August 22, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.