Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Cricket»હવે એક સ્થાન માટે ત્રણ ટીમ રેસમાં શ્રીલંકાએ ઝિમ્બાબ્વેને હરાવી વર્લ્ડકપમાં જગ્યા બનાવી લીધી
    Cricket

    હવે એક સ્થાન માટે ત્રણ ટીમ રેસમાં શ્રીલંકાએ ઝિમ્બાબ્વેને હરાવી વર્લ્ડકપમાં જગ્યા બનાવી લીધી

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 3, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    શ્રીલંકાએ ભારતમાં રમાનાર વનડે વિશ્વકપ માટે પોતાની જગ્યા પાક્કી કરી લીધી છે. શ્રીલંકાએ વિશ્વકપ ક્વોલિફાયરના એક મુકાબલામાં ઝિમ્બાબ્વેને હરાવી આ સિદ્ધિ મેળવી છે. બુલાવાયોમાં રમાયેલા મુકાબલામાં શ્રીલંકાને જીત માટે ૧૬૬ રનનો ટાર્ગેટ મળ્યો હતો, તેણે ૧ વિકેટ ગુમાવી ૩૩.૧ ઓવરમાં હાસિલ કરી લીધો હતો.
    શ્રીલંકાની જીતમાં ઓપનર પથુમ નિશંકાએ મહત્વની ભૂમિકા ભજવતા અણનમ સદી ફટકારી હતી. પથુમે ૧૦૨ બોલનો સામનો કરતા અણનમ ૧૦૧ રન બનાવ્યા હતા. અનુભવી બેટર દિમુથ કરૂણારત્નેએ ૩૦ અને કુસલ મેન્ડિસે ૨૫* રન ફટકાર્યા હતા. તો મેચમાં ચાર વિકેટ ઝડપનાર સ્પિનર મહીષ તીક્ષ્ણા પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો.

    ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઝિમ્બાબ્વેની ટીમ ૩૨.૨ ઓવરમાં ૧૬૫ રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ઝિમ્બાબ્વે તરફથી ફોર્મમાં ચાલી રહેલા બેટર સીન વિલિયમ્સે સૌથી વધુ ૫૬ રન ફટકાર્યા હતા, જેમાં છ ચોગ્ગા અને એક સિક્સ સામેલ હતી. તો સિકંદર રઝાએ ૩૧ રનનું યોગદાન આપ્યું હતું. શ્રીલંકા તરફથી સ્પિનર તીક્ષ્ણાએ ચાર અને ફાસ્ટ બોલર દિલશાન મદુશંકાએ ત્રણ વિકેટ લીધી હતી. પથિરાનાને બે સફળતા મળી હતી. ભારતમાં આ વર્ષે યોજાનાર વિશ્વકપમાં કુલ ૧૦ ટીમ ભાગ લઈ રહી છે.

    આઠ ટીમોએ ટૂર્નામેન્ટમાં પોતાની જગ્યા પાક્કી કરી લીધી છે. તો બે અન્ય ટીમો ક્વોલિફાયર દ્વારા મુખ્ય રાઉન્ડમાં પહોંચશે, જે અત્યારે ઝિમ્બાબ્વેમાં રમાઈ રહ્યો છે. તેમાંથી શ્રીલંકન ટીમે તો પોતાની જગ્યા પાક્કી કરી લીધી છે. હવે એક સ્થાન માટે ઝિમ્બાબ્વે, નેધરલેન્ડ અને સ્કોટલેન્ડ રેસમાં છે. જાે ઝિમ્બાબ્વે પોતાની અંતિમ મેચમાં સ્કોટલેન્ડને હરાવી દેશે તો તે વિશ્વકપ માટે ક્વોલિફાઈ કરી લેશે, જાે ઝિમ્બાબ્વે હારશે તો નેટ રનરેટના આધારે એક ટીમનો ર્નિણય થશે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Sarfaraz Khan: બુચી બાબુ ટુર્નામેન્ટનો હીરો સરફરાઝ, ઈજાને કારણે હવે ટીમની બહાર

    August 31, 2025

    T20 Cricket: સલમાન નિજારે માત્ર 2 ઓવરમાં કમાલ કરી, 12 બોલમાં 11 છગ્ગા ફટકાર્યા!

    August 30, 2025

    KL Rahul Became India’s Captain? જાણો આઈસીસીનો નિયમ અને આખી વિગત

    July 11, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.