Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Politics»મધ્યપ્રદેશમાં ચૂંટણી રેલીને સંબોધતા વડાપ્રધાનના વિપક્ષો પર પ્રહાર સરકારને ઊખાડી ફેંકવા વિપક્ષો ઈન્ડિયા ગઠબંધનના ઝંડા સાથે ફરી રહ્યા છેઃ મોદી
    Politics

    મધ્યપ્રદેશમાં ચૂંટણી રેલીને સંબોધતા વડાપ્રધાનના વિપક્ષો પર પ્રહાર સરકારને ઊખાડી ફેંકવા વિપક્ષો ઈન્ડિયા ગઠબંધનના ઝંડા સાથે ફરી રહ્યા છેઃ મોદી

    Shukhabar DeskBy Shukhabar DeskNovember 8, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    વસતી નિયંત્રણ પર બિહારના મુખ્ય મંત્રી નીતીશ કુમારના વિવાદાસ્પદ નિવેદન અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે વિપક્ષી ગઠબંધન ઈન્ડિયાને પણ નિશાન પર લીધુ છે. પીએમ મોદીએ મધ્ય પ્રદેશના ગુનામાં ચૂંટણી રેલીને સંબોધિત કરતા આજે કહ્યું કે, ગઠબંધનના નેતાએ વિધાનસભાની અંદર માતા-બહેન સાથે એવા ભાષામાં વાત કરી… તેમને કોઈ શરમ નથી.

    તેમણે કહ્યું કે, જે ઈન્ડિયા ગઠબંધનના નેતા ઝંડો લઈને ફરી રહ્યા છે અને જેઓ દેશની વર્તમાન સરકારને ઉખાડી ફેંકવા માટે જાત-જાતના ખેલ ખેલી રહ્યા છે. તે ઈન્ડિયા ગઠબંધનના નેતાએ વિધાનસભાની અંદર, જે સભામાં માતા-બહેનો હાજર હતા ત્યાં કોઈ કલ્પના ન કરી શકે તેવી ભાષામાં ગંદી વાત કરી.

    પીએમ મોદીએ આગળ કહ્યું કે, એટલું જ નહીં ગઠબંધનનો એક પણ નેતા માતા-બહેનો પર આપવામાં આવેલા નિવેદન વિરુદ્ધ એક શબ્દ બોલવા માટે તૈયાર નથી. તેઓ તમારું શું ભલુ કરી શકશે? કેવું દુર્ભાગ્ય આવ્યુ છે. દુનિયામાં દેશની બદનામી કરાવી રહ્યા છે. તમારા સમ્માનમાં જે થઈ શકશે તે હું કરીશ. પીએમ મોદીએ આ સાથે જ કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, તે લોકોને માત્ર પોતાના દીકરા-દીકરીની ચિંતા છે. કોંગ્રેસ દૂરનું નથી વિચારતી.

    વસતી નિયંત્રણ કરવા માટે મહિલાઓ વચ્ચે શિક્ષાના મહત્વ પર ભાર મૂકતા નીતીશ કુમારે ગઈ કાલે ગૃહમાં કહ્યું હતું કે, કેવી રીતે એક શિક્ષિત મહિલા પોતાના પતિને શારીરિક સબંધ દરમિયાન રોકી શકે છે. તેને લઈને વિપક્ષ તેને નિશાન પર લઈ રહ્યું છે.
    બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ગૃહમાં નિવેદન આપ્યા બાદ ચારેબાજુથી તેનો વિરોધ શરુ થયો હતો અને પટનાથી લઈને દિલ્હી સુધી હોબાળો મચી ગયો હતો. જાે કે તેજસ્વી યાદવે નીતિશ કુમારનો બચાવ કર્યો હતો ત્યારે નીતીશ કુમારે આજે તેમના નિવેદન પર માફી માંગતા કહ્યું હતું કે ‘મેં માત્ર મહિલા શિક્ષણની વાત કરી હતી, જાે મેં કંઈપણ ખોટું કહ્યું હોય તો હું માફી માંગુ છું.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Punjab માં ઉમેદવારો પક્ષના ચિન્હ વિના પંચાયત ચૂંટણી લડશે.

    September 5, 2024

    Haryana માં કોંગ્રેસ પાસે સીએમ માટે આ 3 ચહેરા સામે આવ્યા.

    September 2, 2024

    Election Commission Haryana વિધાનસભા માટે નવી તારીખની જાહેરાત થઈ શકે છે.

    August 27, 2024
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.