Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»ઈપ્સોસ ગ્લોબલ ટ્રસ્ટવર્દીનેસ ઇન્ડેક્સ-૨૩નો ડેટા જાહેર દેશમાં સૌથી વધુ ભરોસાપાત્ર શિક્ષકો, લશ્કરના જવાનો બીજા ક્રમે
    India

    ઈપ્સોસ ગ્લોબલ ટ્રસ્ટવર્દીનેસ ઇન્ડેક્સ-૨૩નો ડેટા જાહેર દેશમાં સૌથી વધુ ભરોસાપાત્ર શિક્ષકો, લશ્કરના જવાનો બીજા ક્રમે

    Shukhabar DeskBy Shukhabar DeskOctober 30, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ઈપ્સોસ ગ્લોબલ ટ્રસ્ટવર્દીનેસ ઇન્ડેક્સ ૨૦૨૩ નો ડેટા જાહેર થયો. આ ડેટા અનુસાર ભારતમાં ટીચર સૌથી વધુ ભરોસાપાત્ર છે. જયારે પૂરી દુનિયામાં ડોક્ટરને સૌથી વધુ ભરોસાપાત્ર જણાવ્યા હતા. દેશમાં શિક્ષકો બાદ આર્મી ફોર્સના જવાન અને ત્રીજા નંબરે ડોકટરનો સમાવેશ થાય છે. અ સિવાય ભારતીયોને જજ અને વૈજ્ઞાનિકો પર ખુબ ઓછો ભરોસો છે. ભારત સહીતના ૩૧ દેશોમાં ૨૨,૮૧૬ લોકોના સેમ્પલના આધારે આ ડેટા તૈયાર કરવામાં આવ્યો છે.

    ભારતના શિક્ષકો પર ૫૩%, સશસ્ત્ર બળ પર ૫૨%, ડોક્ટર પર ૫૧% લોકોએ ભરોસો બતવ્યો હતો. આ સિવાય વૈજ્ઞાનિક પર ૪૯%, જજ પર ૪૬%, સામાન્ય પુરુષ અને મહિલાઓ પર ૪૬% અને બેન્કર પર ૪૫% લોકોએ ભરોસો બતાવ્યો હતો. તેમજ વૈશ્વિક લેવલ પર લોકોએ ડોકટર પર ૫૮%, વૈજ્ઞાનિકો પર ૪૫%, શિક્ષકો પર ૫૩% અને સશસ્ત્ર બળ પર સૌથી વધુ ભરોસો નોંધાયો હતો.

    ગ્લોબલ માર્કેટ રિસર્ચર, ઈપ્સોસ ઇન્ડિયાના સીઈઓ અમિત અદાકારે કહ્યું કે ભારતના લોકો શિક્ષકો, સશસ્ત્ર બળના સભ્યો અને ડોકટર પર સૌથી વધુ ભરોસો કરે છે. આ બધા પ્રોફેશન સમર્પણ અને સેવા સાથે જાેડાયેલા છે. જે આપના સમાજના મહત્વપૂર્ણ અંગ છે અને સમાજનો પાયો છે. તેમને એમ પણ કહ્યું કે કોરોના સમયે જયારે દેશમાં લોકડાઉન હતું, ત્યારે આ ત્રણેય પ્રોફેશને દેશમાં સેવા કરવાનું ચાલુ રાખ્યું હતું.

    જાપાન અને સાઉથ કોરિયા સિવાય પૂરી દુનિયામાં શિક્ષકો પર લોકોની વિશ્વસનીયતા જાેવા મળી. આ સિવાય ભારતમાં કેબીનેટ મંત્રી અને સરકારી અધિકારીઓ પર ૩૯%, રાજનેતાઓ પર ૩૮%, પાદરી અને પુજારી પર ૩૪%, પોલીસ પર ૩૩%, સિવિલ સેવકો પર ૩૨%, વકીલો પર ૩૨%, પત્રકારો પર ૩૦% ભારતીયોએ ભરોસો બતાવ્યો હતો. આ મામલે જાે વૈશ્વિક સ્તરે લોકો વિશે વાત કરીએ તો ૬૦% લોકો રાજકારણીઓને સૌથી અવિશ્વાસુ માનતા હતા. આ પછી ૫૩% લોકોએ કેબિનેટ મંત્રી અથવા સરકારી અધિકારી પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતા.

    આ અંગે અદારકરે જણાવ્યું હતું કે ભારતીય રાજનીતિ અને સરકારી વિભાગોની કામગીરીમાં ઘણી પારદર્શિતા હોવા છતાં પણ નાગરિકોને તેમનામાં અવિશ્વાસ છે.

    આ ક્ષેત્ર સાથે જાેડાયેલા લોકોની છબી શરૂઆતથી જ સારી રહી નથી. સમયાંતરે ભ્રષ્ટાચારના કેટલાક મામલા પ્રકાશમાં આવતાં તેમની છબી કલંકિત થઈ છે.

    ભારતમાં કોઈપણ વ્યવસાય સાથે સંકળાયેલા લોકો પર કેટલો વિશ્વાસ છે?
    શિક્ષક- ૫૩%
    સશસ્ત્ર દળો – ૫૨%
    ડોક્ટર- ૫૧%
    વૈજ્ઞાનિકો – ૪૯%
    જજ- ૪૬%
    સ્ત્રીઓ- ૪૬%
    બેંકર – ૪૫%
    આખી દુનિયામાં ડોક્ટરો પછી વૈજ્ઞાનિકો પર ભરોસો કરવામાં આવે છે
    ડોક્ટર- ૫૮%
    વૈજ્ઞાનિકો – ૫૭%
    શિક્ષક- ૫૩%
    સશસ્ત્ર દળો – ૫૩%

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    BJP: કેરળમાં રાજકીય તણાવ? ભાજપ કાર્યકર્તાના વાહનને આગ લગાવવામાં આવી, CCTVમાં શંકાસ્પદ લોકો દેખાયા

    December 1, 2025

    Imran Khan: અડિયાલા જેલ વિવાદ: ઈમરાનને લઈને નવાઝ અને પીટીઆઈ વચ્ચે મતભેદ, પરિવાર હજુ પણ અજાણ

    November 27, 2025

    Education: RRB ગ્રુપ D પરીક્ષા આવતીકાલથી શરૂ થશે, 32,348 ખાલી જગ્યાઓ માટે ભરતી

    November 26, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.