Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Gujarat»અંગત અદાવતમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી પતાવી દીધો સુરતમાં મધરાતે યુવકની હત્યા કરવામાં આવી
    Gujarat

    અંગત અદાવતમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી પતાવી દીધો સુરતમાં મધરાતે યુવકની હત્યા કરવામાં આવી

    Shukhabar DeskBy Shukhabar DeskOctober 18, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    શહેરમાં હત્યાનો સિલસિલો યથાવત હોય તેમ ફરી એકવાર હત્યાની ઘટના સામે આવી છે. સુરતના લિંબાયતમાં મીઠી ખાડી વિસ્તારમાં ક્રાંતિનગર પાસે એક ૨૮ વર્ષીય યુવકની હત્યા કરવાની ઘટના સામે આવી છે. ૨૮ વર્ષીય રહીમ શેખ ગઈ કાલે રાત્રે ઘર નજીક આવેલી હોટલ પાસે ગયો હતો ત્યારે એસ .કે ઉર્ફે મહેબૂબ નામના ઈસમ સાથે અંગત અદાવતને લઈને બોલાચાલી થઈ હતી. તેને લઈ રાતે ૧.૩૦ વાગ્યાના સુમારે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી રહીમ શેખની હત્યા કરવામાં આવી હતી. હત્યાની ઘટના દરમિયાન રહીમ શેખનો મિત્ર શોએબ પણ સાથે હતો જે વચ્ચે પડતા તે પણ ઇજાગ્રસ્ત થયો હતો. જેથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે.

    આ સમગ્ર મામલે લિંબાયત પોલીસે ઘટનાસ્થળે પહોંચી લાશને પીએમ અર્થે ખસેડી હત્યા કરનારા આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. ઉલ્લેખનીય છે કે, મરનાર યુવકને બે સંતાનો છે. યુવકના મોતને પગલે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. હાલ આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. અંગત અદાવતને પગલે યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, દીકરાના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. જાે કે, આ વિસ્તારમાં આ પ્રકારે હત્યાની ઘટનાઓ સતત સામે આવી રહી છે. ત્યારે વધુ એક હત્યાની ઘટના સામે આવતા લોકોમાં રોજ સાથે પોલીસની કામગીરી ઉપર પણ સવાલ ઉભા થવા પામ્યા છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Indian cricketer રવિન્દ્ર જાડેજા BJP માં જોડાયા.

    September 5, 2024

    TRAI: ટેલીમાર્કેટિંગ કંપનીઓ સામે મોટી કાર્યવાહી, 50 બ્લેકલિસ્ટ, 8 લાખ ફરિયાદો મળી

    September 3, 2024

    Gujarat: મોરબીમાં NH 27 વાહનવ્યવહાર માટે ફરીથી ખોલવામાં આવ્યો.

    August 30, 2024
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.