Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»ફાયર વિભાગની ૧૦ ગાડીઓએ આગ પર કાબૂ મેળવ્યો મુંબઇમાં સાત માળની ઇમારતમાં ભીષણ આગ, સાત લોકોના મોત
    India

    ફાયર વિભાગની ૧૦ ગાડીઓએ આગ પર કાબૂ મેળવ્યો મુંબઇમાં સાત માળની ઇમારતમાં ભીષણ આગ, સાત લોકોના મોત

    Shukhabar DeskBy Shukhabar DeskOctober 6, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    મુંબઈના પશ્ચિમ ગોરેગાંવમાં રહેણાંક બિલ્ડિંગમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. સ્ય્ રોડ પરની સાત માળની ભવાની બિલ્ડિંગમાં આગ લાગતાં સાત લોકોના મોત થયા છે. આગમાં અત્યાર સુધીમાં ૩૯ લોકો ઈજાગ્રસ્ત થયા છે જ્યારે ૩૧ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. દસથી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. આગ ગઇકાલે રાત્રે લગભગ ૩ વાગ્યાની આસપાસ ફાટી નીકળી હતી. લગભગ દસથી બાર ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી અને ૩૧ લોકોને સલામત રીતે બહાર કાઢ્યા હતા જ્યારે ૩૯ ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. હાલ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે અને કૂલિંગની પ્રક્રિયા ચાલી રહી છે.

    આ આગ મુંબઈના ગોરેગાંવમાં G 5 બિલ્ડિંગમાં લાગી હતી. મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, આગમાંથી ૩૯ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. ભારે જહેમત બાદ ફાયર વિભાગની ૧૦ ગાડીઓએ ગોરેગાંવ વેસ્ટમાં જય ભવાની નામની ઈમારતમાં લાગેલી આગને કાબૂમાં લીધી હતી. તમામ ઇજાગ્રસ્તોને અલગ-અલગ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. આ મામલામાં BMC અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગુરુવારે મોડી રાત્રે એક બિલ્ડિંગમાં આગ લાગવાની માહિતી મળી હતી. અધિકારીઓએ જણાવ્યું કે આગની માહિતી મળતા જ તેઓએ તાત્કાલિક પોતાના વાહનોને સ્થળ પર મોકલ્યા હતા.

    અહીં બિલ્ડિંગના પાર્કિંગમાં પાર્ક કરેલી ૪ કાર અને ૩૦થી વધુ બાઇક સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગઈ હતી. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, બિલ્ડિંગના પાર્કિંગમાં ઘણું જૂનું કાપડ રાખવામાં આવ્યું હતું, જેમાં આગ લાગી હોઇ શકે છે. આગ થોડી જ વારમાં આખા પાર્કિંગ અને બિલ્ડિંગના પહેલા અને બીજા માળ સુધી ફેલાઇ ગઇ હતી. HBT હોસ્પિટલમાં લાવવામાં આવેલા ઘાયલોમાંથી ૬ લોકોના મોત થયા છે, જેમાં પાંચ મહિલાઓ (૨ બાળકો) અને એક પુરુષનો સમાવેશ થાય છે. ૨૫ ઘાયલોની હાલ સારવાર ચાલી રહી છે, જેમાં ૧૨ પુરુષો અને ૧૩ મહિલાઓનો સમાવેશ થાય છે. ઘાયલોને કૂપર હોસ્પિટલ અને ૐમ્‌ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Imran Khan: અડિયાલા જેલ વિવાદ: ઈમરાનને લઈને નવાઝ અને પીટીઆઈ વચ્ચે મતભેદ, પરિવાર હજુ પણ અજાણ

    November 27, 2025

    Education: RRB ગ્રુપ D પરીક્ષા આવતીકાલથી શરૂ થશે, 32,348 ખાલી જગ્યાઓ માટે ભરતી

    November 26, 2025

    Maharashtra Municipal Council Elections: 2 ડિસેમ્બરે મતદાન છે, પરંતુ ભાજપે ઘણા વોર્ડમાં ઉમેદવારી પત્રો ભર્યા છે

    November 22, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.