Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Gujarat»સમગ્ર દેશમાં મેઘરાજાની મહેર, કેટલાક ભાગમાં અવિરત વરસાદ ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ૫ દિવસ ભારે વરસાદની આગાહી
    Gujarat

    સમગ્ર દેશમાં મેઘરાજાની મહેર, કેટલાક ભાગમાં અવિરત વરસાદ ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ૫ દિવસ ભારે વરસાદની આગાહી

    Shukhabar DeskBy Shukhabar DeskJune 28, 2023No Comments3 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    દેશભરમાં મેઘરાજા રિઝ્‌યા છે અને તેમની મહેર કરી રહ્યા છે. દેશના કેટલાક ભાગોમાં છેલ્લા કેટલાક દિવસોથી અવિરત વરસાદ થઈ રહ્યો છે, જેને ધ્યાનમાં લઇને ભારતીય હવામાન વિભાગ (આઈએમડી) એ રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, ગોવા, ગુજરાત, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર સહિત કેટલાક રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી જારી કરી છે.”આગામી પાંચ દિવસ દરમિયાન પશ્ચિમ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને ઉત્તરાખંડમાં વાવાઝોડા અને વીજળી સાથે ભારે વરસાદ થવાની સંભાવના છે,” એમ આઈએમડીદ્વારા જારી કરવામાં આવેલા બુલેટિનમાં જણાવાયું છે.
    ઉત્તરાખંડમાં ૫ જુલાઈ સુધી મોનસૂન એલર્ટઃ- હવામાન વિભાગે સમગ્ર ઉત્તરાખંડમાં ૫ જુલાઈ સુધી મુશળધાર વરસાદની આગાહી કરી છે. આગામી દિવસોમાં દેહરાદૂન તેમજ ઉત્તરાખંડના પર્વતીય વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદને ધ્યાનમાં રાખીને યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના ડાયરેક્ટર બિક્રમ સિંહે વરસાદ દરમિયાન મુસાફરી ટાળવાની અપીલ કરી છે. દરમિયાન ઉત્તરાખંડ પ્રશાસન ભારે વરસાદને જાેતા એલર્ટ પર છે.
    અધિક પોલીસ મહાનિર્દેશક (એડીજી) કાયદો અને વ્યવસ્થા, વી મુરુગેસને જણાવ્યું છે કે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એસડીઆરએફ) અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ) ની ટીમો અમરનાથ યાત્રાના રૂટ પર તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી છે.
    ”એસડીઆરએફ અને એનડીઆરએફ સંપૂર્ણ એલર્ટ પર છે અને તેમને કોઈપણ સંભવિત ઘટનાનો સામનો કરવા માટે તેમને સૂચનાઓ આપવામાં આવી છે,” એમ એડીજીએ જણાવ્યું હતું. રાજ્યભરમાં ભારે વરસાદને જાેતા હવામાન વિભાગે રાજ્યના આઠ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
    હિમાચલમાં ૧ જુલાઈ સુધી ભારે વરસાદની ચેતવણીઃ- હિમાચલ પ્રદેશના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ ચાલુ છે અને હવામાન વિભાગે ૨૮ અને ૨૯ જૂનના રોજ છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ, વાવાઝોડા અને વીજળી પડવાની ચેતવણી જારી કરી છે. આ સાથે જ ૩૦ જૂન અને ૧ જુલાઈએ વાવાઝોડા અને વીજળીની ચેતવણી પણ આપવામાં આવી છે.
    આ વિસ્તારના મુખ્ય સચિવે જણાવ્યું હતું કે પ્રવાસીઓને નદીઓ અને નાળાઓમાં જવાનું ટાળવા અને વિસ્તાર-વિશિષ્ટ માહિતી મેળવવા અને માર્ગદર્શિકાઓનું પાલન કરવા માટે તેમના મોબાઇલ ફોન પર આઈએમડીએપ્લિકેશન ડાઉનલોડ કરવાની સલાહ આપવામાં આવી છે.
    હિમાચલ કોંગ્રેસના અધ્યક્ષ પ્રતિભા સિંહે મંગળવારે કેન્દ્ર સરકારને વરસાદ અને પૂર પ્રભાવિત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરીને ઝડપી

    બનાવવા માટે વિશેષ પેકેજ આપવા જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે રસ્તાઓ અને પાણીની યોજનાઓને નુકસાન ઉપરાંત પાકને પણ નુકસાન થયું છે.
    હિમાચલમાં, છેલ્લા ૨૪ કલાકમાં, વરસાદ સંબંધિત વિવિધ ઘટનાઓમાં (જેમાં ડૂબવું, ભૂસ્ખલન, માર્ગ અકસ્માત અને ઊંચાઈ પરથી પડી જવાનો સમાવેશ થાય છે) છ જેટલા લોકોએ જીવ ગુમાવ્યા છે, એમ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (ઈઓસી) એ જણાવ્યું હતું. પહાડી રાજ્યને (૨૪ જૂનથી ૨૭ જૂન સુધી) ૧૬૪.૨ કરોડ રૂપિયાનું સંચિત નુકસાન થયું છે.
    ગોવાના પણજીના કેટલાક ભાગોમાં પૂર આવ્યુંઃ- ગોવાની રાજધાની પણજીના અનેક ભાગોમાં મંગળવારે રાત્રે અવિરત વરસાદને કારણે પાણી ભરાઈ ગયા હતા. કોર્પોરેશન ઓફ સિટી ઓફ પણજી (સીસીપી)ના કામદારો કચરાથી અવરોધિત ગટરોને સાફ કરતા જાેવા મળ્યા હતા. શહેરના મુખ્ય રોડ પરની અનેક દુકાનોમાં પાણી ઘુસી ગયા હતા. ગોવામાં ગયા સપ્તાહના અંતથી વરસાદ પડી રહ્યો છે.
    પૂર્વ મહારાષ્ટ્રના ગોંદિયા, ભંડારા જિલ્લાઓમાં વરસાદઃ- પૂર્વી મહારાષ્ટ્રના ગોંદિયા અને ભંડારા જિલ્લામાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ થયો છે. વરસાદના પગલે પૂજારીટોલા ડેમના ચાર દરવાજા ખોલવામાં આવ્યા હતા. ગોંદિયાના કલેક્ટર ચિન્મય ગોતમારેએ નદી કિનારે રહેતા લોકોને સતર્ક રહેવા જણાવ્યું છે.
    ભારતીય હવામાન વિભાગ (આઈએમડી) એ ગુરુવાર સુધી મુંબઈ અને થાણે જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે પાલઘર અને રાયગઢ જિલ્લાઓ માટે સમાન સમયગાળા માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. મુંબઈમાં બુધવારે છૂટાંછવાયાં સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની ધારણા છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Indian cricketer રવિન્દ્ર જાડેજા BJP માં જોડાયા.

    September 5, 2024

    TRAI: ટેલીમાર્કેટિંગ કંપનીઓ સામે મોટી કાર્યવાહી, 50 બ્લેકલિસ્ટ, 8 લાખ ફરિયાદો મળી

    September 3, 2024

    Gujarat: મોરબીમાં NH 27 વાહનવ્યવહાર માટે ફરીથી ખોલવામાં આવ્યો.

    August 30, 2024
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.