Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»શ્રદ્ધાળુઓને હવે ચીન જવાની જરૂર નહીં પડે ભારતમાંથી પવિત્ર કૈલાશ પર્વતના દર્શન થઇ શકશે
    India

    શ્રદ્ધાળુઓને હવે ચીન જવાની જરૂર નહીં પડે ભારતમાંથી પવિત્ર કૈલાશ પર્વતના દર્શન થઇ શકશે

    Shukhabar DeskBy Shukhabar DeskJune 29, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    કૈલાશ પર્વત અને માનસરોવરના દર્શન કરવા ઈચ્છતા શ્રદ્ધાળુઓ માટે એક સારા સમાચાર છે. હકીકતમાં, અત્યાર સુધી ભારત આ બંને સ્થળોના દર્શન માટે ચીન પર ર્નિભર હતું. ચીનની પરવાનગી મળ્યા બાદ જ અહીંની યાત્રા શક્ય બની હતી. કારણ કે આ બંને તિબેટ પ્રદેશમાં આવે છે. છેલ્લા ત્રણ વર્ષથી ચીને આ યાત્રા માટે પરવાનગી આપી નથી, જેના કારણે આ યાત્રા શક્ય બની નથી. આવી સ્થિતિમાં પિથોરાગઢના પ્રશાસનિક અધિકારીઓએ વધુ એક શિખર શોધી કાઢ્યું છે જ્યાંથી કૈલાશ પર્વત ખૂબ જ સરળતાથી જાેઈ શકાય છે. તેથી હવે અહીં આવવા-જવા માટે ચીનની પરવાનગીની જરૂર નથી. વાસ્તવમાં, કૈલાશ પર્વત નાભાઢંગ પાસે લગભગ ૨ કિલોમીટરની ઊંચી ટેકરી પરથી સ્પષ્ટ દેખાય છે. નોંધનીય છેકે અત્યાર સુધી આ વિશે કોઈને જાણ ન હતી. કેટલાક લોકો ચાલતા ચાલતા અહીં પહોંચ્યા હતા, જેમણે અહીં કૈલાશ પર્વતને ખૂબ નજીકથી જાેયો હતો.
    તેમણે પ્રશાસનિક અધિકારીઓને ભારતની ધરતી પરથી કૈલાસ પર્વતના દર્શનની માહિતી આપી હતી. જ્યારે અધિકારીઓની ટીમ આ વાતની પુષ્ટિ કરવા પહોંચી તો તેઓ પણ અચંબામાં પડી ગયા હતા. તેમણે અહીંથી કૈલાસ પર્વતનો સ્પષ્ટ નજારો પણ જાેવા મળ્યો. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું કે કૈલાશ પર્વતના દર્શન લિપુલેખથી ખૂબ જ સરળ રીતે જાેઇ શકાય છે. સ્થાનિક અધિકારીઓ આ રિપોર્ટ સરકારને સોંપશે, ત્યારબાદ આગળની તૈયારીઓ કરી શકાશે.
    આ શોધ બાદ હવે ચીન પરની ર્નિભરતા ખતમ થઈ જશે. વાસ્તવમાં ચીન સાથેની સરહદ પર તણાવને કારણે છેલ્લા ૩ વર્ષથી કૈલાશ માનસરોવરની યાત્રા થઈ રહી નથી. આવી સ્થિતિમાં જાે ભારતની ધરતી પરથી આ દર્શન શક્ય હોય તો આનાથી શ્રેષ્ઠ બીજું કંઈ હોઈ જ ન શકે. વાસ્તવમાં ભારત અહીં સુધી એક રસ્તો બનાવી રહ્યું છે જે લિપુલેખ સુધી જાય છે.
    જાે સ્થાનિક અહેવાલોનું માનીએ તો, હાલમાં આ ૨ કિમી લાંબી ચઢાણ પર ચઢવું સરળ નથી, જાેકે અહીં પહોંચવા માટે એક માર્ગ પર વિચાર કરવામાં આવી રહ્યો છે. સ્થાનિક અધિકારીના જણાવ્યા અનુસાર, જૂના લિપુલેખ સુધી રોડ બનાવવાની જરૂર પડશે અને મુસાફરો માટે મૂળભૂત સુવિધાઓની પણ અહીં વ્યવસ્થા કરવી પડશે. આ વ્યવસ્થાઓ પછી જ પ્રવાસીઓને અહીં આવવા માટે કહી શકાય.
    સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ, જ્યોલિંગકાંગથી લગભગ ૨૫ કિમી ઉપર લિમ્પિયાધુરા શિખર પર જઈને પણ કૈલાશ પર્વતના દર્શન શક્ય છે. અહીંથી ઓમ પર્વત, આદિ કૈલાશ અને પાર્વતી સરોવર તેમજ કૈલાશ પર્વત જાેઈ શકાય છે, જે અહીં પ્રવાસનને વધારી શકે છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    IndiGo: 1,600 ફ્લાઇટ્સ રદ, DGCA નારાજ – ઇન્ડિગો દૈનિક રિપોર્ટ સબમિટ કરશે

    December 11, 2025

    DRDO Jobs: 764 જગ્યાઓ માટે મોટી ભરતી, અરજીઓ ખુલી

    December 11, 2025

    SC: “સમાજમાં ફરવાનો કોઈ અધિકાર નથી” – એસિડ હુમલાખોરો પર સુપ્રીમ કોર્ટનું મોટું નિવેદન

    December 11, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.