Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Gujarat»વાસણા બેરેજના સાત દરવાજા ત્રણ ફૂટ ખોલાયા અમદાવાદમાં સાબરમતી નદીના જળસ્તર વધ્યા
    Gujarat

    વાસણા બેરેજના સાત દરવાજા ત્રણ ફૂટ ખોલાયા અમદાવાદમાં સાબરમતી નદીના જળસ્તર વધ્યા

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 2, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    રાજ્યમાં મેઘરાજાની સવારીએ માઝા મૂકી છે. ત્યારે શુક્રવારે પણ અમદાવાદમાં ભારે વરસાદ વરસ્યો હતો. શનિવારે સવારથી જ શહેરમાં વરસાદ વરસી રહ્યો છે. શહેરના જાેધપુર વિસ્તારમાં સાંજે છથી આઠ કલાકમાં છ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત શનિવારે સવારે ચાર વાગ્યા સુધીના ૨૨ કલાકમાં ૬૭ એમએમ વરસાદ નોંધાયો છે. ઉપરવાસ અને અમદાવાદમાં પાણીની આવક વધવાને કારણે વાસણા બેરેજના સાત દરવાજા ખોલવામાં આવ્યા છે. તમામ સાત દરવાજા ત્રણ ફૂટ સુધી ખોલી દેવામાં આવ્યા છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે, સાબરમતી નદીમાં પાણીની આવતા વાસણા બેરેજના તમામ દરવાજા ખોલવામાં આવ્યા છે.

    અમદાવાદમાં ધોધમાર વરસાદથી સાબરમતીના જળસ્તર વધ્યા છે જેના કારણે વાસણા બેરેજના તમામ દરવાજા ખોલવાનો ર્નિણય લેવામાં આવ્ચો છે. વાસણા બેરેજના તમામ સાત દરવાજા ત્રણ ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. હાલ નદીનું જળસ્તર ૧૩૧ ફૂટ નજીક પહોચ્યું છે. સાબરમતી નદીમાં જળ સ્તર વધવાને કારણે ૨૧, ૨૨, ૨૫, ૨૬, ૨૮, ૨૯ અને ૩૦ નંબરના ગેટ ખોલવામાં આવ્યા છે. જેથી પાણીની આવક આગળ જઇ શકે. શનિવારે સોમવારે શહેરમાં ૨૨ કલાકમાં ૬૭ એમએમ વરસાદ નોંધાયો છે. જેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

    શુક્રવારે અમદાવાદમાં દિવસ દરમિયાન તાપ રહયો હતો. જાેકે, સાંજના સમયે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. શહેરમાં શુક્રવારે સાંજે ૬થી ૮ના બે કલાકના સમયમાં જાેધપુરમાં પોણા છ, બોપલમાં ચાર તથા બોડકદેવ વોર્ડમાં સાડા ત્રણ ઈંચથી વધુ વરસાદ થયો હતો. હવામાન વિભાગે આજે રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યત ાઓ વ્યક્ત કરી છે. જેમાં ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. આગામી ચાર દિવસ સુધી રાજ્યમાં વરસાદ રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Indian cricketer રવિન્દ્ર જાડેજા BJP માં જોડાયા.

    September 5, 2024

    TRAI: ટેલીમાર્કેટિંગ કંપનીઓ સામે મોટી કાર્યવાહી, 50 બ્લેકલિસ્ટ, 8 લાખ ફરિયાદો મળી

    September 3, 2024

    Gujarat: મોરબીમાં NH 27 વાહનવ્યવહાર માટે ફરીથી ખોલવામાં આવ્યો.

    August 30, 2024
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.