Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Cricket»યુવરાજના પિતાનું નિવેદન ધોની નહોતો ઇચ્છતો કે કોહલીની આગેવાનીમાં ભારત વર્લ્ડ કપ જીતે
    Cricket

    યુવરાજના પિતાનું નિવેદન ધોની નહોતો ઇચ્છતો કે કોહલીની આગેવાનીમાં ભારત વર્લ્ડ કપ જીતે

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 13, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી અને પૂર્વ અનુભવી ઓલરાઉન્ડર યુવરાજ સિંહના પિતા યોગરાજ સિંહે ફરી એકવાર પૂર્વ કેપ્ટન એમએસ ધોની પર નિશાન સાધ્યું છે. આ વીડિયોમાં તે કહેતા જાેવા મળી રહ્યા છે કે, ‘મારું લોહી હજુ પણ ઉકળી રહ્યું છે. વર્લ્ડકપ ૨૦૧૯ની સેમીફાઈનલ મેચમાં ધોનીએ જાણીજાેઈને સારી બેટિંગ ન કરી જેથી ભારત કિવી ટીમ સામે હારી ગયું. તે ક્યારેય ઇચ્છતો હતો કે અન્ય કોઇ કેપ્ટન ભારત માટે વર્લ્ડ કપ ટાઇટલ જીતે. તેમણે કહ્યું, ‘રવીન્દ્ર જાડેજા એક છેડેથી જબરદસ્ત હિંમત બતાવી રહ્યો હતો અને ભારતને લક્ષ્યની નજીક લઈ જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જ્યારે ધોની તેની ક્ષમતા મુજબ રમી રહ્યો ન હતો. જાે તે (ધોની) તેની ક્ષમતાના ૪૦ ટકા પણ રમ્યો હોત તો આપણે ૪૮મી ઓવરમાં જ મેચ જીતી શક્યા હોત. પૂર્વ ક્રિકેટરે કહ્યું, ‘ચાલો તર્કની વાત કરીએ. જાડેજા જ્યારે બેટિંગ કરતો હતો ત્યારે એ જ બોલર અને એ જ વિકેટ હતી.

    તે સતત સિક્સર અને ફોર ફટકારી રહ્યો હતો અને આ ભાઈ (ધોની) તુ માર, પંડ્યાને કહ્યું તુ માર. તેણે બે બેટ્‌સમેનોને આઉટ કરાવ્યા હતા. જાે જાડેજા આવીને રમી શક્યો હોત અને તે પણ રમી શક્યો હોત તો આપણે ૪૮ ઓવરમાં જ મેચ જીતી ગયા હોત. યોગરાજે CSK માટે ધોનીની ઇનિંગ્સનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું, ‘જ્યારે તે CSK માટે રમે છે ત્યારે તે ૧૫ બોલમાં ૪૦ રન અને ૨૦ બોલમાં ૫૦ રન બનાવે છે. આ દરમિયાન તે જબરદસ્ત રીતે સિક્સર અને ફોર પણ ફટકારે છે. તમે ચેન્નાઈ સુપર કિંગ્સ જીતી શકો છો… શું તમે તે દિવસે… તમને જણાવી દઈએ કે સેમી ફાઈનલ મેચમાં ધોની ૪૯મી ઓવરમાં ૫૦ રન બનાવીને રનઆઉટ થયો હતો. છેલ્લા પૂંછડીના બેટ્‌સમેનોએ ૨૪ રન બનાવવાના હતા પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા હતા. કિવી ટીમે આપેલા ૨૩૯ રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ ૨૨૧ રનમાં જ ઢગલો થઈ ગઈ હતી. આમ આ રોમાંચક મેચમાં ભારતીય ટીમને ૧૮ રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    T20 World Cup 2026: ટિકિટ કેવી રીતે બુક કરવી અને તેની કિંમત કેટલી છે તે જાણો

    December 12, 2025

    T20I Series 2025: અભિષેક શર્માનો ધમાકો, વર્ષમાં 50 છગ્ગા પૂરા કર્યા

    December 12, 2025

    T20 World Cup 2026: ટિકિટનું વેચાણ શરૂ, પ્રવેશ 100 રૂપિયાથી શરૂ

    December 11, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.