Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»મોદી-બાઈડેને પાક.ને આતંકીઓ સામે કાર્યવાહી કરવા કહ્યું સીએમના કાર્યકાળમાં નરસંહારને લઈને યુએસ પ્રવેશ પર પ્રતિબંધ હતોઃ ખ્વાજા આસિફ
    India

    મોદી-બાઈડેને પાક.ને આતંકીઓ સામે કાર્યવાહી કરવા કહ્યું સીએમના કાર્યકાળમાં નરસંહારને લઈને યુએસ પ્રવેશ પર પ્રતિબંધ હતોઃ ખ્વાજા આસિફ

    Shukhabar DeskBy Shukhabar DeskJune 25, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ભારતના વડા પ્રધાન મોદી અને યુએસ રાષ્ટ્રપતિ જાે બાઈડને ૨૨ જૂને વોશિંગ્ટનમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સંયુક્ત રીતે પાકિસ્તાનને આતંકવાદીઓ પર કાર્યવાહી કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત પઠાણકોટ અને મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલામાં સંડોવાયેલા દોષિતોને સજા કરવાની માંગ કરવામાં આવી હતી.
    આ નિવેદન બાદ પાકિસ્તાનના રક્ષા મંત્રીએ પ્રતિક્રિયા આપી છે.
    પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફે શુક્રવારે અમેરિકા અને ભારત તરફથી લગાવેલી ફટકાર પર વાંધો ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે, આ નિવેદન એ વ્યક્તિના પ્રવાસ દરમિયાન આવ્યું છે જેમના ગુજરાતના સીએમ તરીકેના કાર્યકાળ દરમિયાન મુસલમાનોના નરસંહારની તપાસના કારણે અમેરિકામાં પ્રવેશ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. આ અગાઉ પાકિસ્તાનના વિદેશ મંત્રીએ પીએમ મોદીને કસાઈ ગણાવ્યા હતા.
    ખ્વાજા આસિફે એક ટ્‌વીટમાં ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, તેઓ કાશ્મીરમાં આતંકવાદના અભિયાનનું નેતૃત્વ કરી રહ્યા છે. આમાં નિયમિતપણે સ્થાનિક વસ્તી અપંગ અને અંધ બની રહી છે. દેશના બાકીના ભાગમાં મોદીના અનુચર મુસ્લિમો, ખ્રિસ્તીઓ અને અન્ય લઘુમતીઓને ર્નિભયપણે માર-પીટ કરીને મારી નાખે છે.
    રક્ષા મંત્રીએ એ વાત પર પણ ભાર મૂક્યો કે, પાકિસ્તાને આતંકવાદને કારણે અસંખ્ય લોકોના જીવ ગુમાવ્યા છે અને દાયકાઓથી સતત આતંકવાદ સામે લડી રહ્યું છે.
    આ સાથે જ ખ્વાજા આસિફે મોદીને ગુજરાતના કસાઈ ગણાવ્યા અને કહ્યું કે આગામી સમયમાં રાષ્ટ્રપતિ બાઈડને સ્વાગત કરતી વખતે ઘણી હકીકતો ધ્યાનમાં લેવી જાેઈએ.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Government Job: RRB NTPC UG ભરતી 2025: અરજી પ્રક્રિયા શરૂ, 27 નવેમ્બર સુધીમાં અરજી કરો

    October 28, 2025

    IAS Transfer: યોગી સરકારનું મોટું પગલું: 46 IAS અધિકારીઓના પોસ્ટિંગમાં ફેરફાર, વહીવટી કડક થવાના સંકેત

    October 28, 2025

    Job 2025: કારકિર્દીમાં પ્રગતિ માટે સુવર્ણ તક, 103 સ્પેશિયાલિસ્ટ ઓફિસરની જગ્યાઓ

    October 28, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.