Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Gujarat»મર્યા પછી પણ શાંતિ નથી! કાકડમટીમાં મૃતદેહને અગ્નિ સંસ્કાર માટે કરવો પડે છે સંઘર્ષ
    Gujarat

    મર્યા પછી પણ શાંતિ નથી! કાકડમટીમાં મૃતદેહને અગ્નિ સંસ્કાર માટે કરવો પડે છે સંઘર્ષ

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 9, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    વલસાડ તાલુકાનું કાકડમટી ગામ જ્યાં મર્યા પછી પણ મૃતદેહને હાલાકી ભોગવી પડે છે તંત્રના પાપે અહીં બનેલ પારનદીને જાેડતી ખાડી પરનો બ્રિજ પહેલા જ વરસાદમાં ધોવાઈ જતા ચાર વર્ષથી કાકડમટી ગામ સહિત આજુબાજુના પાંચથી છ જેટલા ગામના લોકો ચોમાસા દરમિયાન મૃતદેહને લઈને નદીમાંથી પસાર થવા મજબૂર બને છે.
    વરસાદની સિઝન માં કકડમટી ગામે આવેલ ખાડીમાં જાે પાણીનું વેણ વધારે હોય તો ગામ લોકોએ ખુલ્લામાં અંતિમ સંસ્કાર કરવા પડે છે.અથવા કાકડમટીથી ૧૫ થી ૨૦ કિલોમીટર દૂર છેક ધરમપુર સુધી જવું પડે છે જાેકે અહીં મોટા ભાગની આદિવાસી વસ્તી ધરાવતા ગામો છે જેમાં મોટા ભાગના લોકો ગરીબ પરિસ્થિતિ થી આવતા હોય છે.

    જેથી તેઓ પાસે ધરમપુર સુધી જવાનું ભાડું ન હોવાને કારણે તેઓએ મજબૂરીમાં નદી ઓળંગીને કાકણમટી ગામે પાર નદી કિનારે આવેલ સ્મશાન ભૂમિમાં જીવના જાેખમે જઈ અંતિમ સંસ્કાર કરવા પડે છે ગામ લોકોનું કહેવું છે કે કાગળમટી ગામ સહિત બાજુમાં આવેલ સિંચાઈ, કુંડી, વેલવાચ ,કચિગામ જેવા ગામો મળી અંદાજિત ૮,૦૦૦ થી ૧૦,૦૦૦ લોકો આ જ સ્મશાન ભૂમિ નો ઉપયોગ કરતા આવેલ છે.કાકડમટી ગામે પારનદી મળતી ખાડી પર ચાર વર્ષ પહેલા એક બ્રિજ બનેલ હતો જે ઉપયોગ થાય તે પહેલા જ તંત્ર ના પાપે પહેલા જ વરસાદમાં તૂટી જતા ચાર વર્ષથી આ ગામના લોકો શહીત આજુબાજુના ચારથી પાંચ ગામના લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.

    વધુ વરસાદ હોય અને ખાડીમાં પાણી હોય તો માત્ર ૭ થી ૮ લોકો જ મૃતદેહને લઈને ખાડીમાંથી ધસમસ્તા પાણીના પ્રવાહ વચ્ચેથી સ્મશાન ભૂમિએ જઈ અંતિમ ક્રિયા કરે છે ત્યારે જાે વધુ વરસાદ અને વધુ પાણી ખાડીમાં આવેલા હોય તો ગામ લોકોએ ખુલામાં જ અંતિમ સંસ્કાર કરવા પડે છે. બીજી તરફ ગામ લોકો ના ખેતરો પણ ખાડીની બીજી તરફ આવેલ હોવાથી ગામ લોકો જીવના જાેખમે ખાડીમાંથી પસાર થાય છે અને ખેતરે જાય છે ત્યારે ખાડીમાંથી પસાર થતી વખતે પગ લપસે તો જીવનું જાેખમ બની જતું હોય છે.. ત્યારે અહીંના ગામ લોકોની એક જ માંગ છે કે ખાડી વચ્ચે બ્રિજ બની જાય તો તેઓની આ સમસ્યાનું નિરાકરણ આવી શકે છે ..

    કાકડમટી ગામ ના લોકો એ અનેક વખત પંચાયતના સરપંચ સહિત ધારાસભ્ય તેમજ સાંસદ સુધી રજૂઆત કરી છે છતાં હજી સુધી આ બ્રિજ બન્યો નથી જેથી તેઓ વરસાદમાં ખાડી માંથી મૃતદેહ લઇ જીવના જાેખમે અંતિમક્રિયા કરવા મજબૂર બને છે..ત્યારે તંત્ર ના કાને આ વાત પોહચે નેતાઓ આંખો ખોલી ને ગામ લોકો ની સમસ્યા પર નજર નાખે અને વહેલી તકે બ્રિજ બને એ જરૂરી છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Indian cricketer રવિન્દ્ર જાડેજા BJP માં જોડાયા.

    September 5, 2024

    TRAI: ટેલીમાર્કેટિંગ કંપનીઓ સામે મોટી કાર્યવાહી, 50 બ્લેકલિસ્ટ, 8 લાખ ફરિયાદો મળી

    September 3, 2024

    Gujarat: મોરબીમાં NH 27 વાહનવ્યવહાર માટે ફરીથી ખોલવામાં આવ્યો.

    August 30, 2024
    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.