Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»ભડકાઉ ભાષણ આપવાના આરોપમાં કેસ નોંધાયો હતો સમાજવાદી પક્ષના નેતા આઝમ ખાનને બે વર્ષની સજા
    India

    ભડકાઉ ભાષણ આપવાના આરોપમાં કેસ નોંધાયો હતો સમાજવાદી પક્ષના નેતા આઝમ ખાનને બે વર્ષની સજા

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 15, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાનને હેટ સ્પીચ કેસમાં દોષીત ઠેરવવામાં આવ્યા છે. રામપુરની કોર્ટે આ ર્નિણય સંભળાવ્યો છે. વર્ષ ૨૦૧૯માં રામપુરના શહઝાદનગર પોલીસ સ્ટેશનમાં સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાન વિરુદ્ધ ભડકાઉ ભાષણ આપવા બદલ કેસ નોંધવામાં આવ્યો હતો. આઝમ પર લોકસભા ચૂંટણી દરમિયાન ભડકાઉ ભાષણ આપવાનો આરોપ હતો, જ્યારે આઝમ ખાન સપા- બસપાના ગઠબંધનથી લોકસભાના ઉમેદવાર હતા. રામપુર કોર્ટે બે વર્ષની સજા સંભળાવી છે.

    ચૂંટણી પ્રચાર દરમિયાન આઝમ ખાને તેમની એક જાહેરસભામાં મુખ્યમંત્રી અને તત્કાલીન જિલ્લા મેજિસ્ટ્રેટ સહિત અનેક અધિકારીઓ વિરુદ્ધ નિવેદન આપ્યું હતું. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વાયરલ વીડિયોની નોંધ લેતા એડીઓ પંચાયત અનિલ ચૌહાણે શહજાદ નગર પોલીસ સ્ટેશનમાં આઝમ ખાન વિરુદ્ધ કેસ નોંધ્યો હતો, જેના બાદ પોલીસ અધિકારીઓએ મામલાની તપાસ કરી અને આઝમ વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી.

    જાેકે બાદમાં આ કેસમાં આઝમને કોર્ટમાંથી જામીન મળી ગયા હતા. આ કેસમાં કોર્ટમાં બંને પક્ષો દ્વારા તમામ દલીલો રજૂ કરવામાં આવી હતી, માત્ર ર્નિણય આવવાનો બાકી હતો. આ માટે કોર્ટ દ્વારા આજની તારીખ નક્કી કરવામાં આવી હતી. અગાઉ વર્ષ ૨૦૨૨માં રામપુરની એમપી-એમએલએ કોર્ટે જ આઝમ ખાનને ત્રણ વર્ષની જેલ અને ૨૫ હજાર રૂપિયાના દંડની સજા ફટકારી હતી.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Rain in Delhi-Noida: દિલ્હી-નોઇડામાં હવામાન અચાનક બદલાયું, જોરદાર વાવાઝોડા પછી ભારે વરસાદ

    May 13, 2025

    PM Modi Speech Adampur Air base: આતંકવાદનો સામનો કરવો જોઈએ, ધર્મની રક્ષા માટે હથિયાર ઉપાડવાની પરંપરા

    May 13, 2025

    PM Modi Adampur Air Base: ઓપરેશન સિન્દૂર બાદ PM મોદીની સાહસિક જવાનો સાથે વાતચીત, આદમપુર એરબેસ પર પહોંચ્યા

    May 13, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.